________________
૨૦૬
આગમ કથાનુયોગ-૫
પ્રવિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી.
(૨૧) ત્યારપછી પઘલતા પ્રવિભક્તિ – યાવત્ – શ્યામલતા પ્રવિભક્તિ દ્વારા લતા પ્રવિભક્તિ નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી.
(૨૨) પછી દ્રુત નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૨૩) પછી વિલંબિત નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૨૪) પછી દ્રતવિલંબિત નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૨૫) પછી અંચિત નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૨૬) પછી રિભિત નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૨૭) પછી અંચિત–રિભિત નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૨૮) પછી આરભટ નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૨૯) પછી ભસોલ નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. (૩૦) પછી આરભટ–ભસોલ નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી.
(૩૧) પછી ઉત્પાત, નિપાત, પ્રવૃત્ત, સંકુચિત, પ્રસારિત, રચારચિત, ભ્રાંત અને સંભ્રાંત નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી.
(૩૨) ત્યારપછી બધાં દેવકુમાર–દેવકુમારીઓ એકઠા થયા – યાવત્ – દેવરમણમાં પ્રવૃત્ત થઈ ગયા. પછી તેઓએ શ્રમણ ભગવંત મહાવીરના પૂર્વભવ ચરિત્ર નિબદ્ધ, ચ્યવન ચરિત્ર નિબદ્ધ, જન્મ, અભિષેક, બાલભાવ, યૌવન, કામભોગ, નિષ્ક્રમણ, તપશ્ચરણ, જ્ઞાનોત્પાદ, તીર્થ પ્રવર્તન, પરિનિર્વાણ અને ચરમ એ સર્વે ચરિત્રનિબદ્ધ નામક દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. ૦ નૃત્યવિધિ બાદ સૂર્યાભદેવનું પાછા જવું:
ત્યારપછી તે અનેક દેવકુમાર અને દેવકુમારીકાઓએ તત, વિતત, ધન, શુષિર એ ચારે પ્રકારના વાદ્યો વગાડ્યા. પછી તેઓએ ઉક્ષિત, પાદાંત, મંદક અને રોચિતાવસાનરૂપ પ્રકારના સંગીતનું ગાન કર્યું. પછી તેઓએ અંભિત, રિભિત, આરભટ અને ભસોલ એ ચાર પ્રકારની નૃત્યવિધિ દેખાડી. પછી તેઓએ દાર્દાન્તિક, પ્રાત્યંતિક, સામાન્યતોપનિપાતનિક અને અન્તર્મધ્યાવસાનિક એ ચાર પ્રકારના અભિનયો અભિનિત કર્યા.
ત્યારપછી તે સર્વે દેવકુમાર અને દેવકુમારીઓએ ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથોને દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ, દિવ્ય દેવાનુભાવ અને બત્રીસ પ્રકારના નાટક દેખાડ્યા પછી શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કર્યા, પછી સૂર્યાભદેવ પાસે આવ્યા. આવીને બંને હાથ જોડીને મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી સૂર્યાભદેવને વધાવ્યા. તેમની આજ્ઞા પાછી સોંપી.
ત્યારપછી તે સૂર્યાભદેવે પોતાની દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિદિવ્ય દેવાનુભાવને પ્રતિસંહરિત કર્યા. ક્ષણ માત્રમાં એકલો–એકાકી થઈ ગયો. પછી તેણે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી. વંદન–નમસ્કાર કર્યા. પોતાના પરિવાર સાથે તે દિવ્ય વિમાન પર આરૂઢ થઈને જે દિશાથી આવ્યો હતો, તે દિશામાં પાછો ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org