________________
શ્રાવક કથા
૨૦૨
ત્યારપછી તે સૂર્યાભદેવે ૧૦૮ શંખો, ૧૦૮ શંખવાદકો, ૧૦૮ શૃંગો. ૧૦૮ શૃંગવાદકો, ૧૦૮ શંખિકા, ૧૦૮ શંખવાદિકા, ૧૦૮ ખરમુખી, ૧૦૮ ખરમુખીવાદકો, ૧૦૮ પેય (નગરાઓ), ૧૦૮ પેયવાદકો, ૧૦૮ પિરિપિરિકાઓ અને ૧૦૮ પિરિપિરિ વાદકોની વિદુર્વણા કરી.
ત્યારપછી તેણે દેવકુમાર અને દેવકુમારીઓને બોલાવ્યા.
ત્યારે તે સર્વે દેવકુમાર અને દેવકુમારીઓ સૂર્યાભદેવે બોલાવવાથી હર્ષિત – યાવતુ - જ્યાં સૂર્યાભદેવ હતો ત્યાં આવ્યા અને આવીને બંને હાથ જોડ્યા – યાવત્ – વધાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! અમારે માટે જે કરવા યોગ્ય છે, તેની આજ્ઞા આપો.
ત્યારે સૂર્યાભદેવે તે બધાં દેવકુમારો અને દેવકુમારીઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે બધાં શ્રમણ ભગવંત મહાવીરની સમીપે જાઓ, તેમને ત્રણ વખત આદક્ષિણા–પ્રદક્ષિણા કરો. કરીને વંદન-નમસ્કાર કરો. કરીને ગૌતમ આદિ નિગ્રંથ શ્રમણોને દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ, દિવ્ય દેવાનુભાવ અને દિવ્ય બત્રીશ પ્રકારની નૃત્યવિધિ દેખાડો, મારી આજ્ઞાનું શીઘ પાલન કરો. ૦ નૃત્યવિધિનું વર્ણન :
(૧) ત્યારપછી તે સર્વે દેવકુમારો અને દેવકુમારીઓએ સૂર્યાભદેવની આજ્ઞાને સાંભળીને હર્ષિત – કાવત્ – પ્રસન્ન થઈને બંને હાથ જોડીને – યાવતું – તે સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને તેઓ જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કર્યા. કરીને જ્યાં ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથ બિરાજતા હતા ત્યાં આવ્યા.
- ત્યારપછી તે બધાં દેવકુમાર અને દેવકુમારીઓએ પંક્તિબદ્ધ થઈને એક સાથે મળીને એક સાથે નીચા નમ્યા. નીચા નમીને એક સાથે જ પોતાના મસ્તક ઊંચા કરી સીધા ઊભા રહ્યા. આ પ્રકારે તે બધાં સાથે મળીનેનીચા નમ્યા, ફરી મસ્તક ઊંચા કર્યા. પછીથી ઊભા રહીને ધીમેથી કંઈક નખ્યા અને પછી મસ્તક ઉન્નત કર્યા. મસ્તક ઉન્નત કરીને એક સાથે અલગ-અલગ ફેલાઈ ગયા, ફેલાઈને એક સાથે પોતપોતાના વાદ્યોને લીધા. ફરી એક સાથે મળીને વાદ્યો વગાડવા લાગ્યા, ગાવા લાગ્યા, નૃત્ય કરવા લાગ્યા. તેઓનું સંગીત કેવા પ્રકારનું હતું તે જણાવે છે– - ઉરથી મંદ, મૂર્ધન્યથી તાર–તાર અને કંઠથી વિશેષ તાર (સ્વર) વાળું હતું. આ રીતે ત્રિસ્થાન સમુદ્રત તે સંગીત ત્રિસમય રેચકથી રચિત હોવાથી ત્રિવિધરૂપ હતું. સંગીત ગુંજારવથી સમસ્ત પ્રેક્ષાગૃહ ગુંજતું હતું. રાગને અનુરૂપ, ત્રિસ્થાન અને ત્રિકરણ શુદ્ધ, ગુંજતી વાંસળી અને વીણાના સ્વરોમાં એકરૂપ હતું. ગુંજતા એવા વાંસ, તંત્રી, તાલ, લય, ગહથી સુસંપ્રયુક્ત હતું, મધુર, સમ, સલલિત, મનોહર, મૃદુ, રિભિત, પદ, સંચારથી યુક્ત હતું. શ્રોતાઓને રતિકર, સુખાંત એવા તે નર્તકોના શ્રેષ્ઠ નૃત્ય સજ્જ વિશિષ્ટ પ્રકારનું ઉત્તમોત્તમ સંગીત હતું.
તેઓએ શું કર્યું તે જણાવે છે – શંખ, શૃંગ, શંખિકા, ખરમુખી, પેય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org