________________
૨૦૦
આગમ કથાનુયોગ-૫
આજુ-બાજુ અને સાથે સાથે ચાલ્યા.
ત્યારપછી પાંચ અનીકાધિપતિઓ દ્વારા પરિવેષ્ટિત વજરત્નમયી ગોળ, મનોજ્ઞ સંસ્થાનવાળો – યાવતુ – ૧૦૦૦ યોજન ઊંચો અતિ વિશાળ મહેન્દ્રધ્વજને આગળ કરીને તે સૂર્યાભદેવ ૪૦૦૦ સામાનિક દેવો – યાવત્ – ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો અને બીજા પણ સૂર્યાભ વિમાનવાસી દેવો તથા દેવીઓને સાથે લઈને સમસ્ત ઋદ્ધિ – યાવત્ – નિનાદ સહિત દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવનો અનુભવ, પ્રદર્શન, અવલોકન કરતા જ્યાં સૌધર્મકલ્પનો ઉત્તર દિશાવર્તી નિર્વાણ માર્ગ હતો ત્યાં આવ્યા.
ત્યારપછી એક લાખ યોજન પ્રમાણ વેગવાળી ગતિથી નીચે ઉતરીને અને તેવી જ ઉત્કૃષ્ટ ગતિથી ગમન કરતા તિછરૂપમાં સ્થિત અસંખ્યાત દ્વીપ સમુદ્રોના મધ્યાતિમધ્ય ભાગમાંથી ગમન કરતા જ્યાં નંદીશ્વરદ્વીપ હતો, જ્યાં તેનો અગ્નિ ખૂણો હતો, ત્યાં સ્થિત રતિકર પર્વત હતો, ત્યાં આવ્યા, આવીને તે દિવ્ય દેવઋદ્ધિ – યાવત્ – દિવ્ય દેવાનુભાવનું પ્રતિસંહરણ કરીને જ્યાં જંબૂલીપ નામના દ્વીપમાં ભરતવર્ષ ક્ષેત્ર હતું, આમલકલ્પા નગરી હતી, આમ્રશાલવન ચૈત્ય હતું અને ચૈત્યમાં જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા.
- ત્યાં આવીને તે દિવ્ય વિમાન વડે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, કરીને શ્રમણ ભગવંત મહાવીરથી ઇશાન ખૂણામાં તે દિવ્ય વિમાનને જમીનથી ચાર આંગળ ઊંચે ઊભુ રાખ્યું. પછી સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ગંધર્વોનીક અને નાટ્યાનીક એ બે અનીકો સાથે લઈને પૂર્વ દિશાવર્તી ત્રિસોપાન પંક્તિ દ્વારા નીચે ઉતર્યા.
ત્યારપછી સૂર્યાભદેવના ૪૦૦૦ સામાનિક દેવ ઉત્તર દિશાવર્તી ત્રિસોપાન પંક્તિ દ્વારા તે દિવ્યવિમાનથી નીચે ઉતર્યા. ત્યારપછી બાકી રહેલા દેવદેવીઓ દક્ષિણ દિશાવર્તી ત્રિસોપાન પંક્તિ દ્વારા તે દિવ્યવિમાનથી નીચે ઉતર્યા.
ત્યારપછી તે સૂર્યાભદેવ ચાર અગ્રમહિષીઓ – વાવ – ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો તથા અન્ય ઘણાં જ સૂર્યાભવિમાનવાસી દેવ-દેવીઓથી પરિવેષ્ટિત થઈને સર્વ ઋદ્ધિ – યાવત્ – વાદ્યનિનાદોપૂર્વક જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
હે ભગવન્! હું સૂર્યાભદેવ આપ દેવાનુપ્રિયને વંદન-નમસ્કાર કરું છું – યાવત્ – આપની પર્યાપાસના કરું છું.
હે સૂર્યાલ ! એ પ્રમાણે સૂર્યાભદેવને સંબોધિત કરીને શ્રમણ ભગવંત મહાવીરે આ પ્રમાણે કહ્યું, હે સૂર્યાભ ! આ પુરાતન પરંપરા છે, હે સૂર્યાભ ! આ જીત આચાર છે. હે સૂર્યાભ ! આ કરણીય છે. હે સૂર્યાભ! આ પરંપરાથી આચરિત છે, હે સૂર્યાભ ! આ અભ્યનુજ્ઞાત છે કે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો અતુ ભગવંતને વંદન–નમસ્કાર કરે છે. પછી પોતપોતાના નામગોત્ર કહે છે. તેથી હે સૂર્યાભ! તારી આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org