________________
શ્રાવક કથા
૧૯૯
૦ સૂર્યાભદેવનું ભગવંત સમીપે આગમન, વિમાન આરોહણ :
- ત્યારપછી તે આભિયોગિક દેવો પાસેથી તે દિવ્ય યાન–વિમાનના નિર્માણના સમાચાર સાંભળીને અને હૃદયમાં અવધારીને તે સૂર્યાભદેવ હર્ષિત, સંતુષ્ટ – યાવત્ – વિકસિત હૃદય થઈને જિનેન્દ્ર સન્મુખ જવા યોગ્ય દિવ્ય ઉત્તર વૈક્રિયરૂપ વિકલ્. વિકર્વીન સપરિવાર ચાર અગ્રમહિષીઓ અને ગંધર્વોનીક તથા નાટ્યાનીક એ બે સેનાઓથી પરિવેષ્ટિત થઈને તે વિમાનની અનુપ્રદક્ષિણા કરતા પૂર્વ દિશાવર્તી વિસોપાન પંક્તિથી તેના પર આરૂઢ થયો, થઈને જ્યાં સિંહાસન હતું ત્યાં આવીને તે શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વાભિમુખ બેઠો.
ત્યારપછી સૂર્યાભદેવના ૪૦૦૦ સામાનિક દેવ તે દિવ્યવિમાનની અનુપ્રદક્ષિણા કરતા ઉત્તર દિશાની ત્રિસોપાન પંક્તિથી આરૂઢ થયા, થઈને પ્રત્યેક પૂર્વનિર્ધારિત ભદ્રાસનો પર આસીન થયા. બાકીના દેવ-દેવીઓ તે દિવ્ય વિમાનની – યાવત્ – દક્ષિણ દિશાવતી ટિસોપાન પંક્તિથી તેના પર આરૂઢ થયા. પ્રત્યેક પોતાને માટે પૂર્વ નિર્ધારિત ભદ્રાસનો પર બેઠા.
ત્યારે તે દિવ્યવિમાન પર તે સૂર્યાભદેવના આરૂઢ થયા પછી તેની આગળ યથાનપૂર્વીક્રમથી આઠ મંગળ ચાલ્યા. તે આ પ્રમાણે – સ્વસ્તિક – યાવત્ – દર્પણ.
ત્યારપછી પૂર્ણ કળશ, ભંગાર, દિવ્ય છત્ર-પતાકા, ચામર સહિત જોતાં જ પ્રીતિ ઉત્પન્ન કરનાર, આલોક દર્શનીય અને વાયુથી ફરકતી એવી એક ઘણી જ ઊંચી આકાશતળને સ્પર્શતી વિજય-વૈજયંતી નામક પતાકા અનુક્રમે આગળ ચાલી.
ત્યારપછી વૈર્ય રત્નોથી નિર્મિત, દીપ્યમાન, નિર્મળ દાંડીવાળા, લટકતી કોરંટ પુષ્પ માળાઓથી શોભિત, ચંદ્રમંડળની સમાન શ્વેત, નિર્મળ ઊંચા છત્રથી યુક્ત મણિ. રત્નોથી બનેલ વેલ અને લૂંટાથી ઉપશોભિત, પાદુકાઢયયુક્ત, પાદપીઠ સહિત અને અનેક કિંકર દેવો દ્વારા વહન કરાતું એવું એક સિંહાસન અનુક્રમે આગળ ચાલ્યું.
ત્યારપછી વજરત્નોથી નિર્મિત, દીપમાન, નિગ્ધ, કમનીય, મનોજ્ઞ, વર્તુળાકાર દંડવાળા, શેષ ધ્વજાની અપેક્ષાએ વિશિષ્ટ અને અન્યાન્ય હજારો નાની–મોટી અનેક પ્રકારની મનોરમ રંગબેરંગી ધ્વજાઓથી પરિમંડિત, સુંદર, વાયુવેગથી ફરકતી એવી વિજય–વૈજયંતી પતાકા છત્રાતિછત્રથી યુક્ત આકાશમંડળનો સ્પર્શ કરતા હજારો યોજન ઊંચો એક ઘણો જ વિશાળ ઇન્દ્રધ્વજ અનુક્રમે આગળ ચાલ્યો.
ત્યારપછી સુંદર વેશભૂષાથી સુસજ્જિત, આભરણ અલંકારોથી વિભૂષિત અને અત્યંત પ્રભાવશાળી સુભટોના સમુદાયની સાથે પાંચ અનીકાધિપતિ અનુક્રમથી આગળ ચાલ્યા.
ત્યારપછી પોતપોતાની યોગ્ય વિશિષ્ટ વેશભૂષાઓ અને પોતપોતાની વિશેષતાદર્શક ચિન્હોથી સુસજ્જિત થઈને, પોતપોતાના પરિવાર, કાર્યોપયોગી સાધનોને સાથે લઈને અનેક આભિયોગિક દેવ અને દેવીઓ અનુક્રમે આગળ ચાલ્યા.
ત્યારપછી તે સૂર્યાભ વિમાનમાં રહેનારા ઘણાં વૈમાનિક દેવ-દેવીઓ પોતપોતાની સર્વ પ્રકારની ઋદ્ધિ – યાવતું – વાદ્ય નિનાદો સહિત તે સૂર્યાભદેવની આગળ-પાછળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org