________________
શ્રાવક કથા
૧૯૭
બનેલી વજરત્નોની વેદિકાઓથી મનોહર જણાતો હતો. યંત્રચાલિત જેવા વિદ્યાધર યુગલોથી ઉપશોભિત હતો, સૂર્ય સદશ હજારો કિરણોથી દેદીપ્યમાન હતો. હજારો સુંદર રૂપકોથી યુક્ત હતો. દીપ્તમાન, અતીવ દીપ્તમાન, નેત્રોને આકૃષ્ટ કરનાર, સુખપ્રદ સ્પર્શવાળો અને શ્રી સંપન્ન હતો.
તેના પર સુવર્ણ, મણિ અને રત્નમથી સ્કૂપિકાઓ બનેલી હતી. શિખરનો શિરોભાગ વિવિધ પ્રકારની ઘંટિકાઓ અને પંચરંગી પતાકાઓથી પરિમંડિત હતો. પોતાના ચમકાટ અને ચારે દિશાઓમાં ફેલાતી કિરણોથી ચંચળ દેખાતો હતો. તેનું આંગણ અને દિવાલ, છાણ અને સફેદ માટીથી લીંપેલી હતી, સ્થાને સ્થાને સરસ ગોશીષ રક્તચંદનના થાપા લાગેલા હતા. ચંદનના કળશ રાખેલા હતા. પ્રત્યેક વાર ચંદનના કળશો અને તોરણોથી શોભિત હતા. દીવાલો પર ઉપરથી નીચે સુધી લાંબી-લાંબી સુગંધિત ગોળ માળાઓ લટકતી હતી.
તેમાં સ્થાને સ્થાને સરસ સુગંધિત પંચરંગી પુષ્પોના મંડપ હતા. ઉત્તમ કૃણ અગરુ, સુંદરુષ્ક, તરુષ્ક અને ધૂપની મનમોહક સુગંધથી મહેકતું હતું. તે સુરભિગંધથી ગંધવાટિકા જેવું પ્રતીત થઈ રહ્યું હતું, અપ્સરાઓના સમુદાયથી વ્યાપ્ત હતું. દિવ્ય વાઘનિનાદોથી ગુંજી રહેલ હતું તેમજ સ્વચ્છ – યાવત્ – અતીવ મનોહર હતું.
તે પ્રેક્ષાગૃહ મંડપની અંદર અત્યંત સમરમણીય ભૂમિભાગની વિકુર્વણા કરી – થાવત્ – મણિઓના સ્પર્શ પર્યંત તે ભૂમિભાગનું સમસ્ત વર્ણન પૂર્વવત્ અહીં સમજી લેવું.
તે સમ અને રમણીય પ્રેક્ષાગૃહ મંડપના ઉપરી ભાગમાં પલતા આદિના ચિત્રોથી ચિત્રિત, દર્શનીય – યાવત્ - અસાધારણ સુંદર ચંદરવો બાંધેલ હતો.
તે પ્રેક્ષાગૃહ મંડપના અત્યંત સમ રમણીય ભૂમિભાગના મધ્યભાગમાં વજરત્નોનો બનેલ એક વિશાળ અક્ષપાટ (ક્રીડામંચ)ની રચના કરી. તે અક્ષપાટના મધ્યભાગમાં આઠ યોજન લાંબી-પહોળી અને ચાર યોજન ઊંચી, મણિઓની બનેલી એક વિશાળ મણિપીઠિકા વિક્ર્વી, તે સ્વચ્છ – યાવત્ – પ્રતિરૂપ હતી.
તે મણિપીઠિકાની ઉપર એક વિશાળ સિંહાસન બનાવ્યું. તે સિંહાસન આવા પ્રકારનું હતું – તે સિંહાસનના પાયા તપનીય સુવર્ણ વિશેષના હતા, સિંહાકૃતિવાળા હાથા રત્નોના, પાયા સોનાના, પાદશીર્ષક વિવિધ પ્રકારના મણિના, વચ્ચેના ગાત્ર જંબુનદ સુવર્ણના હતા, તેના સાંધા વજરત્નોથી ભરેલ હતા. તેના મધ્યભાગમાં વણાયેલ નિવાર વિવિધ પ્રકારના મણિઓના બનેલા હતા.
તે સિંહાસન પર ઈહામૃ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, કુંજર, વનલતા, પાલતા, આદિના ચિત્રો બનેલા હતા. સિંહાસનની સામે રાખેલ પાદપીઠ સર્વશ્રેષ્ઠ મૂલ્યવાનું મણિઓ અને રત્નોનું બનેલું હતું, તે પાદપીઠ પર નવતૃણ, કુશાગ્ર અને કેસર તંતુઓ સદશ અત્યંત સુકોમળ સુંદર મસૂરક બિછાવેલ હતું. બેઠકનું સ્થાન મૃગચર્મ, રૂ, બૂર, માખણ, આકનું રૂ જેવા સુકોમલ સ્પર્શવાળા રસ્ત્રાણથી આચ્છાદિત હતું અને તે રજસ્ત્રાણ પણ રૂથી બનેલ અત્યંત રમણીય બીજા રક્તાશક વસ્ત્રથી ઢાંકેલ હતું. જેનાથી તે અત્યંત રમણીય, પ્રાસાદીય – યાવતુ – પ્રતિરૂપ દેખાતું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org