________________
૧૯૪ -
આગમ કથાનુયોગ-૫
સમાન ચમકતા હજારો રૂપકોથી યુક્ત હોય, જે દીપ્યમાન, દેદીપ્યમાન, નેત્રાકર્ષક, સુખદ સ્પર્શવાળા, અશ્રીક, ચંચલ ઘંટાવલીથી મધુર મનહર સ્વર સંપન્ન, શુભ કાંત દર્શનીય પ્રમાણોપેત કે નિપુણતાથી બનાવાયેલ, ચમકતા મણિરત્નોની માળાઓથી પરિવેષ્ઠિત, દિવ્યગતિથી સંપન્ન અને વેગવાળી ગતિથી યુક્ત હોય એવા યાનવિમાનની રચના કરીને જલદીથી મારી આજ્ઞા મને પાછી સોંપો.
ત્યારપછી તે આભિયોગિક દેવોએ સૂર્યાભદેવની આ આજ્ઞાને સાંભળીને હર્ષિત. સંતુષ્ટ – યાવત્ – વિકસિત હૃદય થઈને બંને હાથ જોડીને – યાવત્ – સ્વીકારી. પછી ઇશાન દિશામાં જઈને વૈક્રિય સમુદૂઘાત કર્યો. કરીને સંખ્યાત યોજન વિસ્તારવાળો દંડ કહ્યો – યાવત્ – સ્થળ બાદર પુગલોને કાઢ્યા. કાઢીને યથાસૂક્ષ્મ પુગલોને ગ્રહણ કર્યા. કરીને ફરી બીજી વખત પણ વૈક્રિય સમુઠ્ઠાત કરીને તે સેંકડો સ્તંભોથી સન્નિવિષ્ટ – યાવત – દિવ્ય વિમાનની રચના કરવા ઉદ્યત થયા.
ત્યારપછી તે આભિયોગિક દેવોએ તે દિવ્ય વિમાનની ત્રણે બાજુ ત્રણ સુંદર સોપાનો આ પ્રમાણે છે – જેનો પાયો વજોનો બનેલ હતો, તેના પગથિયા રિષ્ટ રત્નોના બનેલા હતા, સ્તંભો વૈડૂર્ય રત્નોના, સોપાનોના ફલક સુવર્ણ ચાંદીના, કટક લોહિતાક્ષ રત્નોના, સંધિસ્થાન વજોના, અવલંબન બાહા અનેક પ્રકારના મણિઓથી રચેલી હતી અને તે પ્રાસાદીય – યાવત્ – પ્રતિરૂપ હતા.
તે ત્રણે સુંદર સોપાનોમાંથી પ્રત્યેકની આગળ તોરણ બાંધેલા. તે તોરણોનું વર્ણન આ પ્રમાણે છે –
તે તોરણો અનેક પ્રકારના મણિઓથી બનેલા હતા, વિવિધ પ્રકારના મણિમયી સ્તંભો પર હલે–ચલે નહીં તે રીતે બાંધેલા હતા. નિશ્ચલ હતા. વિવિધ પ્રકારના મોતીઓથી સારી રીતે વેલ અને બૂટા બનાવેલા, વિવિધ પ્રકારના તારરૂપોથી ઉપચિત – યાવત્ – પ્રતિરૂપ હતા.
તે તોરણો ઉપર અષ્ટમંગલ સ્થાપિત કરેલા હતા. તે આ પ્રમાણે – સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય અને દર્પણ, જે સ્વચ્છ – યાવત્ – પ્રતિરૂપ હતા.
તે તોરણો ઉપર અનેક કૃષ્ણ ચામર – યાવત્ – શ્વેત ચામર આદિ અનેક રંગબેરંગી ધ્વજાઓ લટકાવેલી હતી. જે સ્વચ્છ – યાવત્ – પ્રતિરૂપ હતી.
તે તોરણોની ઉપર અનેક છત્રાતિછત્ર, પતાકાતિપતાકા, ઘંટાયુગલ, ઉત્પલ, કુમુદ, નલિન, સુંદર, સૌગંધિક, પુંડરિક, મહાપુંડરિક, સહસ્ત્રપત્ર કમળોના ઝૂમખા લટકાવેલા. જે સર્વાત્મના રત્નોથી બનેલા સ્વચ્છ – યાવત્ – પ્રતિરૂપ હતા.
ત્યારપછી તે આભિયોગિક દેવોએ તે દિવ્યયાન – વિમાનની અંદરના ભૂમિ ભાગની ઘણી જ રમણીય વિફર્વણા કરી. જેમકે તે મુરજ કે મૃદંગનો ઉપરી ભાગ હોય અથવા સરોવરનો ઉપરી ભાગ હોય, હાથની હથેલી કે ચંદ્રમંડલનો ઉપરી ભાગ હોય અથવા સૂર્યમંડલ કે દર્પણનો ઉપરી ભાગ હોય. અથવા મોટા–મોટા ખીલા ઠોકીને ચારે તરફ ખેંચી–ખેંચીને સમ બનાવાએલ બકરીના, બળદના, સુવરના, સિંહના, વાઘના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org