________________
શ્રાવક કથા
૧૯૧
તે આભિયોગિક દેવો ઉત્કૃષ્ટ – યાવત્ – દિવ્ય દેવગતિથી તિછ અસંખ્યાતા દ્વીપ સમુદ્રોની વચ્ચેથી ચાલતા જ્યાં જંબૂદ્વીપ હતો, ભરતક્ષેત્ર હતું, આમલ કલ્પાનગરી હતી, અંબાલવન ચૈત્ય હતું અને તેમાં જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીરને આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, કરીને વંદન– નમસ્કાર કર્યા કરીને આ પ્રમાણે કહ્યું
હે ભગવન્! અમે સૂર્યાભદેવના આભિયોગિક દેવો આપ દેવાનુપ્રિયને વંદના કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, સત્કાર અને સન્માન કરીએ છીએ અને કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ અને ચૈત્યરૂપ એવા આપની પર્યપાસના કરીએ છીએ.
હે દેવો ! આ પ્રમાણે સંબોધિત કરીને શ્રમણ ભગવંત મહાવીરે તે દેવોને આ પ્રમાણે કહ્યું, હે દેવો! આ પુરાતન છે, હે દેવો ! આ જીત – આચાર છે, હે દેવો ! આ કૃત્યરૂપ છે, હે દેવો! આ કરણીય છે, હે દેવો આ આસીર્ણ છે, હે દેવો ! આ સંમત છે કે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો અરિહંત ભગવંતોને વંદન કરે છે, નમસ્કાર કરે છે, કરીને પોતાના નામ અને ગોત્ર કહે છે. આ પ્રાચીન પરંપરાર છે – યાવત્ – સંમતપ્રથા છે. ૦ આભિયોગિક દેવોએ કરેલ સમવસરણ ભૂમિ પ્રમાર્જનાદિ :
ત્યારપછી તે આભિયોગિક દેવોએ શ્રમણ ભગવંત મહાવીરના કથનને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ – યાવત્ – પ્રફૂલ્લિત હૃદય થઈને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા, કરીને ઇશાન ખૂણામાં ગયા. ત્યાં જઈને વૈક્રિય સમુદ્રઘાત કર્યો. કરીને સંખ્યાત યોજન વિસ્તારવાળો દંડ કાવ્યો – યાવત્ – યથા બાદર પુદ્ગલોને દૂર કર્યા. કરીને સૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કર્યા. ફરી બીજી વખત પણ વૈક્રિય સમુદ્ઘાત કર્યો.
ત્યારપછી સંવર્તક વાયુની વિકુર્વણા કરી, જે રીતે કોઈ તરુણ, બળવાનું, યુગવાનું, શારીરિક પીડારહિત યુવાન, નિરોગ, મજબૂત અસ્થિપિંજરવાળો, નિશ્ચલ, સુદઢ બાહુ, અત્યંત સઘન ગોળ વલય જેવા સ્કંધવાળો, વારંવાર મુષ્ઠિપ્રહારોથી નિચિત્ શરીરવાળો, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ સંપન્ન સહોત્પન્ન તાલવૃક્ષની સમાન લાંબી પુષ્ટ ભુજાવાળો, લાંબા લાંબા ડગ ભરનારો, ચપળ, સામર્થ્યયુક્ત, છેક, દક્ષ, ચતુર, કુશળ, મેદાવી શ્રમિક સારી રીતે બનાવાયેલ વાંસના ઝાડૂને હાથમાં લઈને રાજપ્રાંગણને, રાજાના અંતઃપુરનો દેવાલય, સભા, પરબ, બાગ, ઉદ્યાનને ત્વરારહિત, આકુળતા કે ગભરાટરહિત સારી રીતે સર્વ દિશાઓમાં ચારે તરફ પૂરી રીતે સાફ કરી દે, તે જ રીતે તે સૂર્યાભદેવના આભિયોગિક દેવોએ સંવર્તક વાયુની વિફર્વણા કરીને શ્રમણ ભગવંત મહાવીરની આસપાસ એક યોજન પરિમંડલને કંઈપણ ખૂણ, કાષ્ઠ, પત્ર આદિ રહિત કરી દીધી. તે ભૂમંડલને સ્વચ્છ અને શાંત કરી દીધું, ઉપશમિત કરીને પુનઃ વૈક્રિય સમુદ્દાત દ્વારા જળબહુલ વાદળો વિકુર્ચા.
જે પ્રમાણે કોઈ તરણ – યાવતુ – કાર્યકુશળ શ્રમિક એક મોટા પાણીના ભરેલ સામાન્ય ઘડાને કે જલકુંભ કે થાળ કે જળકળશને હાથમાં લઈને બગીચાને – યાવત્ - પરબને ત્વરારહિત – યાવત્ – ચાતુર્યથી ચારે દિશામાં છંટકાવ કરે છે, તે જ પ્રકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WW