SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૫ શ્રવણ કરવું પણ મહાફળરૂપ છે, તો પછી તેમની સન્મુખ જવું, વંદન—નમ કરવું, પ્રશ્નોના સમાધાન કરવા અને તેમની પર્યાપાસના કરવાના વિષયમાં તો કહેવાનું જ શું હોય ? આર્ય પુરુષ પાસે માત્ર એક ધાર્મિક સુવચન સાંભળવું પણ ઉત્તમ છે, તો પછી તેમની પાસેથી વિપુલ અર્થ પ્રાપ્ત કરવા વિશે તો કહેવાનું જ શું હોય ? તેથી હું જાઉં અને શ્રમણ ભગવંત મહાવીરને વંદના કરું – યાવત્ – પર્યાપાસના કરું. તે મારા માટે પ્રત્ય આલોક પરલોકમાં હિતકર થાવત્ – અનુગામીરૂપ આ પ્રમાણે તેણે વિચાર કર્યો. વિચારીને આભિયોગિક દેવોને બોલાવ્યા. બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! ખરેખર, એ પ્રમાણે યથાપ્રતિરૂપ અવગ્રહને ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવંત મહાવીર ાવત્ અંબસાલવન ચૈત્યમાં વિચરણ કરી રહ્યા છે. તેથી હે દેવાનુપ્રિયો ! તમે લોકો જાઓ અને જંબુદ્વીપના ભરતક્ષેત્રની આમલકલ્પા નગરીના અંબશાલવન ચૈત્યમાં બિરાજમાન શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરો. પ્રદક્ષિણા કરી, વંદન—નમસ્કાર કરો. ૧૯૦ ત્યારપછી પોતપોતાના નામ અને ગોત્ર તેમને કહી સંભળાવો, સંભળાવી શ્રમણ ભગવંત મહાવીરની આસપાસના એક યોજન પ્રમાણ ક્ષેત્રમાં જે કંઈ તૃણ કે પત્ર કે કાષ્ઠ કે કચરો આદિ પદાર્થ પડેલા હોય, તે બધાંને ઉઠાવીને એકાંતમાં લઈ જઈને ફેંકી દો, ફેંકીને પાણીનો છંટકાવ કરી ભૂમિને સ્વચ્છ કરો, તેના પર સુગંધિત જલનું સિંચન કરો અને ધૂળને શાંત કરી દો. સિંચીને જેની ધૂળ નષ્ટ થઈ છે – નિહિત થઈ છે – ઉપશાંત થઈ છે પ્રશાંત થઈ છે એવી કરી દો. - — એ પ્રમાણે કરીને જલજ અને સ્થલજ પંચવર્ણી સુગંધિત પુષ્પોની વર્ષા કરો. આ પુષ્પવર્ષા કરતા તે ફૂલ સીધા પડે, તેના ડીંટા નીચે રહે અને જાનુપ્રમાણ થાય તે રીતે વ્યાપ્ત કરો. કરીને તે જમીનને કાળો અગરુ, ઉત્તમ કુંરૂપ અને તુરુષ્કની સુગંધિત ધૂપથી મહેકતી કરો. જે સુગંધ મહેકતી – મધમધાયમાન અને ગંધવર્તિકા સમાન હોય. તે ભૂમિને સર્વ પ્રકારે દિવ્ય કરો કે જેથી તે ઉત્તમ દેવાના આગમન યોગ્ય બને. આ પ્રમાણે તમે કરો - કરાવો, મારી આજ્ઞા પાછી સોંપો. -- ૦ આભિયોગિક દેવો દ્વારા ભ.મહાવીરને વંદના આદિ :– ત્યારે તે આભિયોગિક દેવોએ સૂર્યાભદેવના આ કથનને સાંભળીને, હર્ષિત, સંતુષ્ટ યાવત્ –વિકસિત હૃદય થઈને બંને હાથ જોડ્યા, પરસ્પર દશે નખો ભેગા કર્યા, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી તેમની આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકારી, સ્વીકારીને ઇશાન દિગુભાગમાં જઈને વૈક્રિય સમુદ્ઘાત કર્યો. કરીને સંખ્યાત યોજન લાંબો દંડ નીકળ્યો. તે દંડ આવા પ્રકારનોહતો રત્ન, વજ્ર, વૈર્ય, લોહિતાક્ષ, મસારગલ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, જ્યોતિરસ, અંજન, અંજનપુલક, રજન, જાત્યરૂપ, અંક, સ્ફૂટિક અને રિષ્ટ રત્નો. યથાબાદર પુદ્ગલોને દૂર કર્યા, દૂર કરીને સૂક્ષ્મ પુદ્દગલોને ગ્રહણ કર્યા. કરીને ફરીથી બીજી વખત વૈક્રિય સમુદ્દાત કર્યો. પછી ઉત્તર વૈક્રિયરૂપની વિકુર્વણા કરી, કરીને Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy