________________
શ્રાવક કથા
૧૮૯
આ નગરીમાં સેય (શ્રેત) નામે એક રાજા હતો તેને ધારિણી નામે પત્ની (રાણી) હતી. ભગવંત મહાવીર પધાર્યા. વંદના કરવા અને ધર્મ શ્રવણાર્થે પર્ષદા નીકળી – યાવતુ – રાજા પણ નીકળ્યો – યાવત્ – પર્યુપાસના કરવા લાગ્યા. ૦ સૂર્યાભદેવ દ્વારા ભગવંત વંદન હેતથી અભિયોગિક દેવને બોલાવવા :
તે કાળે, તે સમયે સૌધર્મકલ્પના સૂર્યાભવિમાનની સુધર્મા નામક સભામાં સૂર્યાભ સિંહાસન પર બેઠેલા સૂર્યાભદેવ ૪૦૦૦ સામાનિક દેવો, પોતપોતાના પરિવાર સહિત ચાર અગમહિષીઓ, ત્રણ પર્ષદા, સાત સેનાઓ, સાત સેનાપતિઓ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો અને બીજા પણ સૂર્યાભ વિમાનવાસી દેવો તથા દેવીઓથી પરિવેષ્ટિત થઈને જોરજોરથી દક્ષપુરુષો દ્વારા બનાવાઈ રહેલા, કરાઈ રહેલા, નાટ્ય, ગીત, વાદ્ય, તંત્રી, તલ, તાલ, ત્રુટિત, ધનમૃદંગના સ્વરોને સાંભળતો, દિવ્ય ભોગોને ભોગવતો વિચરી રહ્યો હતો. ત્યારે એ કેવકલ્પ જંબૂલીપ નામક દ્વીપને વિપુલ અવધિજ્ઞાનથી જોતો હતો.
ત્યારે તેણે જંબૂલીપ ભરતક્ષેત્રમાં આમલકલ્પા નગરીની બહાર અંબાલવન ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહને ગ્રહણ કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા એવા શ્રમણ ભગવંત મહાવીરને જોયા, જોઈને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, પ્રીતિમના, પરમ સૌમનસ, હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા, વિકસિત શ્રેષ્ઠ કમળ જેવા નેત્રવાળા, આનંદના વેગથી ચલાયમાન ઉત્તમ કટક, ત્રુટિત, કેયુર, મુકુટ, કુંડલ અને સુંદર હાર વડે સુશોભિત વક્ષસ્થળ વાળો, નીચે લટકતા પ્રલંબસૂત્ર અને કંપાયમાન થતા બીજા–બીજા આભુષણોને ધારણ કરનારો એવો તે શ્રેષ્ઠ દેવ સંભ્રમ સહિત, ત્વરા અને ચપળતા સાથે સિંહાસનથી ઊભો થયો, ઊભો થઈને પાદપીઠથી નીચે ઉતર્યો. ઉતરીને પાદુકા ઉતારી, ઉતારીને એક શાટિક ઉત્તરાસંગ કર્યું.
- ત્યારપછી તીર્થકરની અભિમુખ સાત-આઠ કદમ અનુગમન કર્યું, કરીને ડાબો ઘૂંટણ ઊંચો કર્યો. જમણો ઘૂંટણ ભૂમિ પર ટેકાવ્યો. પછી ત્રણ વખત મસ્તકને ભૂમિતલ પર નમાવ્યું, નમાવીને પછી મસ્તકને કંઈક ઊંચુ કર્યું. ઊંચું કરીને કટક, ત્રુટિતથી ખંભિત ભૂજાઓને મિલાવી, મિલાવીને બંને હાથ જોડીને, દશે નખોને પરસ્પર સ્પર્શિત કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને આ પ્રમાણે બોલ્યો
અરિહંતોને – યાવત્ – સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલાને મારા નમસ્કાર થાઓ. શ્રમણ ભગવંત મહાવીરને – યાવત્ – સિદ્ધિ સ્થાને પ્રાપ્ત કરવાની કામનાવાળાને મારા નમસ્કાર થાઓ. ત્યાં બિરાજિત ભગવંતને અહીં રહેલો એવો હું વંદના કરું છું. ત્યાં બિરાજિત ભગવંત અહીં રહેલા એવા મને જુઓ. આ પ્રમાણે કહીને તે વંદના–નમસ્કાર કરે છે, વંદના–નમસ્કાર કરીને પૂર્વાભિમુખ થઈને શ્રેષ્ઠ સિંહાસન પર તે બેઠો.
ત્યારપછી તે સૂર્યાભદેવને આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે–
એ પ્રમાણે ખરેખર, યોગ્ય અવગ્રહ લઈને સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવંત મહાવીર જંબૂલીપ નામના હીપના ભરતક્ષેત્રમાં આમલકલ્પા નગરીની બહાર અંબશાલ નામના ચૈત્યમાં વિચરી રહ્યા છે. તથારૂપ ભગવંતોનું નામ અને ગોત્રનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org