________________
શ્રાવક કથા
૧૮૩
ત્રિદંડ આદિ ઉપકરણોને એકાંતમાં ફેંકી દીધા (રાખી દીધા). રાખીને ગંગા મહાનદીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને રેતીનો સંથારો બિછાવ્યો. બિછાવીને તે રેતીના સંથારા પર આસીન થયા અને આસીન થઈને પદ્માસને બેઠા, બેસીને બંને હાથ જોડ્યા – યાવત્ – આ પ્રમાણે બોલ્યા
અર્હત્ – યાવત – સિદ્ધાવસ્થાને પ્રાપ્ત સિદ્ધોને મારા નમસ્કાર થાઓ. સિદ્ધાવસ્થાની પ્રાપ્તિને માટે સમુદ્યત શ્રમણ ભગવંત મહાવીરને અમારા નમસ્કાર થાઓ. અમારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક અંબઇ પરિવ્રાજકને નમસ્કાર થાઓ. પહેલા પણ આપણે અંબડ પરિવ્રાજકની પાસે સ્થૂલ પ્રાણાતિપાતનું જીવનપર્યતને માટે પ્રત્યાખ્યાન કરેલ. સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુન અને સ્થળ પરિગ્રહનું પણ જાવજીવન માટે પ્રત્યાખ્યાન કરેલ હતું.
હવે આ સમયે શ્રમણ ભગવંત મહાવીરની સાક્ષીએ આપણે સર્વ પ્રકારની હિંસા – થાવત્ – સર્વ પ્રકારના પરિગ્રહના જીવનપર્યતને માટે પ્રત્યાખ્યાન કરીએ છીએ. સર્વ પ્રકારના ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરંપરિવાદ, અરતિ, રતિ, માયામૃષા, મિથ્યાત્વશલ્ય અને અકરણીય યોગનું જાવજીવને માટે પ્રત્યાખ્યાન કરીએ છીએ. તથા જીવનપર્યતને માટે સર્વ પ્રકારના અશન, પાન, ખાદિમ– સ્વાદિમ રૂ૫ ચાર પ્રકારના આહારના પણ પ્રત્યાખ્યાન અર્થાત્ ત્યાગ કરીએ છીએ.
જો કે આપણને આ શરીર ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનોમ, પ્રેય, ધૈર્યમય, વૈશ્નાસિક, સંમત, બહુમત, અનુમત અને આભુષણોની મંજૂષાની સમાન પ્રીતકર છે. તેને ઠંડી–ગરમી લાગી ન જાય, તે ભૂખ્યું કે તરસ્યું ન રહે, આ શરીરને સાંપ ડસી ન જાય, ચોરોના ઉપદ્રવથી ગ્રસ્ત ન થઈ જાય, ડાંસ કે મચ્છર ખાય નહીં, વાત, પિત્ત, કફ, સન્નિપાતથી જનિત વિવિધ રોગો કે આતંકો, પરિષહો કે ઉપસર્ગો તેને સ્પર્શ ન કરે તે સર્વે વાતનું ધ્યાન રાખેલ છે.
પરંતુ આપણે આ શરીરનો પણ ચરમ ઉચ્છવાસ–નિઃશ્વાસે ત્યાગ – વ્યુત્સર્જન કરીએ છીએ. તેના મમત્વનો ત્યાગ કરીએ છીએ. આ પ્રમાણેનો વિચાર કર્યો. કરીને સંલેખના દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા, આહાર–પાણીનો ત્યાગ કરીને, શરીરને પાદપ–વૃક્ષ સમાન સ્થિત કરીને, મરણની આકાંક્ષા ન કરતા વિચારવા લાગ્યા.
આ પ્રકારે તે પરિવ્રાજકોએ અનેક ભક્ત–ભોજનને અનશન દ્વારા છેદન કર્યું. છેદન કરીને આલોચના–પ્રતિક્રમણ કર્યું અને સમાધિ મૃત્યુ પ્રાપ્ત કરીને મૃત્યુ સમય આવ્યો ત્યારે દેહનો ત્યાગ કરી બ્રહ્મલોક નામક પાંચમાં કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેમની ગતિને અનુરૂપ દશ સાગરોપમની સ્થિતિ કહી છે. તેઓ પરલોકના આરાધક થયા. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. ૦ અંબઇની આહારવિધિ અને શતગૃહવાસ :
હે ભગવન્! અનેક લોકો એકબીજાને આ પ્રમાણે કહે છે, બોલે છે, પ્રરૂપિત કરે છે કે, અંબઇ પરિવ્રાજક કાંપિલ્યપુરનગરમાં સો ઘરોમાં આહાર કરે છે, સો ઘરોમાં નિવાસ કરે છે તો હે ભગવન્! આ વાત કઈ રીતે માનવી ? .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org