SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ આગમ કથાનુયોગ-૫ ૦ અંબડ (પરિવ્રાજક) શ્રાવક તેના ૭૦૦ શિષ્યોની કથા - અનેક પ્રકારના પરિવ્રાજકો કહ્યા છે. તેમાં આઠ પ્રકારના બ્રાહ્મણ પરિવ્રાજકોની વાત આવે છે જેવા કે, અંબર, પારાશર, દ્વૈપાયન, નારદ ઇત્યાદિ૦ અંબઇનું સાતસો શિષ્યો સાથે ગમન અને ઉદક ક્ષય : તે કાળે, તે સમયે ગ્રીષ્મઋતુના સમયમાં જ્યેષ્ઠ મહિનામાં અંબઇ પરિવ્રાજકના ૭૦૦ અંતેવાસી ગંગા મહાનદીના બંને કિનારાથી કાંડિલ્યપુર નામના નગરથી પુરિમતાલ નગર જવાને માટે ઉદ્યત થયા. ત્યારે તે પરિવ્રાજકો એવી અટવીમાં પહોંચ્યા કે જ્યાં કોઈ ગામ ન હતું, જ્યાં આવાગમન પણ ન હતું અને માર્ગ વિકટ હતો. આવી અટવીનો કેટલોક ભાગ પાર કર્યો કે ચાલતા-ચાલતા પોતાની સાથે જે પાણી લીધેલ હતું. તે પાણી પીતાપીતા ક્રમશ: પૂર્ણ થઈ ગયું. ત્યારે તે પરિવ્રાજકો પાણી ખલાસ થઈ જવાથી તરસથી વ્યાકુળ થઈ ગયા અને કોઈ પાણી આપનાર તેમને દેખાયો નહીં ત્યારે તેઓએ પરસ્પર એકબીજાને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! જ્યાં કોઈ ગામ નથી – યાવત્ – આ જંગલનો કેટલોક ભાગ જ પાર કરી શક્યા છીએ કે સાથે લાવેલ પાણી – યાવત્ – ક્રમશઃ સમાપ્ત થઈ ગયેલ છે. તેથી હે દેવાનુપ્રિય! આપણા માટે શ્રેયસ્કર છે કે ગ્રામવિહીન – યાવત્ – અટવીમાં કોઈ પાણી આપનારાની બધી દિશાઓમાં ચારે તરફ માર્ગણા–ગવેષણા કરવી ઉચિત રહેશે. આ પ્રમાણે કહીને એકબીજાના વિચારને પરસ્પર સ્વીકાર કર્યો. એ પ્રમાણે સ્વીકાર કરીને તે ગ્રામવિહીન -- યાવત્ - અટવીમાં ચારે તરફ કોઈ પાણી આપનારની માર્ગણા–ગવેષણા કરી, ગવેષણા કરવા છતાં કોઈ પાણી આપનાર દાતા મળ્યો નહીં. ફરીથી બીજી વખત પરસ્પર એકબીજાને બોલાવીને તેઓએ આ પ્રમાણે કહ્યું – ૦ “અદત્ત” ન લેવાના વ્રતપાલક પરિવ્રાજકોની સંલેખના : હે દેવાનુપ્રિયો ! અહીં કોઈ પાણી આપનાર દાતા નથી અને આપણે “અદત્ત”— નહીં અપાયેલ વસ્તુનું ગ્રહણ કરવાનું કલ્પતું નથી. (પાઠાંતરથી – અદત્ત સેવન કરવાનું કલ્પતું નથી.) તેથી આપણે આ સમયે આપત્તિકાળમાં પણ અદત્ત ગ્રહણ ન કરીએ, સેવન ન કરીએ. જેથી આપણા તપનો ભંગ ન થાય. તેથી આપણા માટે એ શ્રેયસ્કર છે કે, હે દેવાનુપ્રિયો ! આપણે ત્રિદંડો, કુંડિકાઓ, કાંચનિકાઓ, કરોટિકાઓ, વૃષિકાઓ, છિનાલિકાઓ, અંકુશો, કેશરિકાઓ, પવિત્રિકાઓ, ગણોત્રિકાઓ, છત્રો–પાદુકાઓ, ખડાઉઓ,ધાતુરન્તો-ભગવા રંગના વસ્ત્રો, એકાંતમાં છોડીને ગંગા મહાનદીમાં જઈને રેતીનો સંથારો બિછાવી સંલેખના કરીએ. એ રીતે સંખનાની આરાધના કરી, ભોજન-પાનનો ત્યાગ કરી પાદોપગમરૂપે શરીરને સ્થિત કરીને, નિશ્ચષ્ટ અવસ્થાને સ્વીકાર કરી મરણની આકાંક્ષા ન કરતા સ્થિત થઈએ. આ પ્રમાણે કહીને પરસ્પર એકબીજાના વિચારનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy