SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ–૫ અસ્પષ્ટ ઉચ્ચારણ વર્જિત, સુવ્યવસ્થિત વર્ણો વડે વ્યવસ્થિત શ્રૃંખલાયુક્ત, પૂર્ણતા તથા સ્વરમાધુર્યયુક્ત, શ્રોતાઓની સર્વ ભાષામાં પરિણત થનારી, એક યોજન સુધી પહોંચે તેવા સ્વરમાં, અર્હમાગધી ભાષામાં ધર્મનું પરિકથન કર્યું. ત્યાં ઉપસ્થિત સર્વે આર્ય–અનાર્યજનોને અગ્લાન ભાવથી ધર્મનું આખ્યાન કર્યું. ભગવંત દ્વારા ઉગીર્ણ અર્હ માગધી ભાષા તે સર્વે આર્યો અને અનાર્યોની ભાષામાં પરિણત થઈ ગઈ – એ રીતે ભગવંતે ધર્મદેશના આપી. ત્યારે તે વિશાળ મનુષ્ય પરિષદ્ શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ શ્રવણ કરી, હ્રદયમાં અવધારણ કરી હર્ષિત, સંતુષ્ટ થઈ, ચિત્તમાં આનંદિત થઈ, પ્રીતિમના થઈ – યાવત્ – જે દિશામાંથી આવી હતી, તે દિશામાં પાછી ગઈ. ૧૮૦ ૦ રાજા કોણિક તથા સુભદ્રા આદિનું પાછા ફરવું : ત્યારપછી ભંભસારનો પુત્ર રાજા કોણિક શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મનું શ્રવણ કરી હર્ષિત—સંતુષ્ટ થઈ, મનમાં આનંદિત થયો. પોતાના સ્થાનેથી ઉઠ્યો. શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી વંદન—નમસ્કાર કર્યા. પછી કહ્યું કે, હે ભગવન્ ! આપના દ્વારા સુઆખ્યાત, સુપ્રજ્ઞપ્ત, સુભાષિત, સુવિનિત, સુભાવિત નિગ્રંથ પ્રવચન અનુત્તર છે. તેનાથી શ્રેષ્ઠ ધર્મ ઉપદેશની વાત જ કઈ હોય ? એમ કહીને જે દિશામાંથી આવ્યો હતો, તે જ દિશામાં પાછો ફર્યો. સુભદ્રા આદિ રાણીઓ પણ શ્રમણ ભગવાન્ મહાવીર પાસેથી ધર્મનું શ્રવણ કરી હર્ષિત, સંતુષ્ટ, આનંદિત થતી એવી પોતાના સ્થાનેથી ઉઠી. ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી. તેમ કરીને ભગવંતને વંદન-નમસ્કાર કર્યા. વંદન—નમસ્કાર કરીને તેઓ બોલી – નિગ્રંથ પ્રવચન સુઆખ્યાત છે.... ઇત્યાદિ પૂર્વવત્. આ પ્રમાણે કહીને તેઓજે દિશામાંથી આવી હતી, તે જ દિશામાં પાછી ફરી. ૦ કોણિકે ભગવંતને કરેલ ચક્રવર્તી વિષયક પ્રશ્ન : જ્યારે ભગવંત ચંપાનગરીમાં સમોસર્યા, ત્યારે કોણિકને વિચાર આવ્યો કે, મારા ઘણા હાથીઓ ચક્રવર્તીના હાથી જેવા છે. તેમજ અશ્વો અને રથો પણ તેવા જ છે, તો હું ભગવંત મહાવીર પાસે જઈને પૂછું કે, હે સ્વામી ! હું ચક્રવર્તી થઈશ કે નહીં ? આ પ્રમાણે વિચારીને તે સર્વસૈન્ય સમુદાયસહિત નીકળ્યો. પછી ભગવંત મહાવીરને વંદન કરીને પૂછ્યું કે, હે ભગવન્ ! ચક્રવર્તીઓ કેટલા થયા ? ભગવંતે કહ્યું, બધાં ચક્રવર્તીઓ થઈ ગયા. (હવે કોઈ ચક્રવર્તી નહીં થાય). ત્યારે કોણિકે ફરી પૂછ્યું કે, મારી શી ગતિ થશે ? ભગવંતે કહ્યું કે, તું છટ્ઠી પૃથ્વીમાં ઉત્પન્ન થઈશ. તેને એ વાતની શ્રદ્ધા ન થઈ. ત્યાંથી પાછો ફર્યો. ૦ ગણધર સુધર્માસ્વામીને કોણિકનું વંદનાર્થે જવું : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય આર્યસુધમાં નામે સ્થવિર હતા. તે જાતિસંપન્ન, બલસંપન્ન – યાવત્ – ચૌદ પૂર્વોના જ્ઞાતા અને ચાર જ્ઞાનના ધારક યાવત્ – તેઓ ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા. હતા ત્યારપછી ચંપાનગરીથી પર્ષદા નીકળી. કોણિક રાજા પણ નીકળ્યો. ધર્મોપદેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy