________________
શ્રાવક કથા
હાડકાઓને માટે સુખપ્રદ, માંસને માટે સુખપ્રદ, ત્વચાને માટે સુખપ્રદ તથા રોમોર્ને માટે સુખપ્રદ એવી ચાર પ્રકારની માલીશ અને દેહચંપી કરાવી અને શરીરને દબાવડાવ્યું. આ પ્રકારે થાક, વ્યાયામજનિત પરિશ્રાંતિ દૂર કરીને વ્યાયામશાળાથી રાજા બહાર નીકળ્યો. જ્યાં સ્નાનગૃહ હતું, ત્યાં આવ્યો. સ્નાનઘરમાં પ્રવેશ્યો તે ગૃહ મોતીઓની બનેલી જાળીઓ દ્વારા સુંદર લાગતું હતું. તેનું પ્રાંગણ વિવિધ પ્રકારના મણિ અને રત્નોથી ખચિત હતું. તેમાં રમણીય સ્નાનમંડપ હતો, તેની ભીંતો પર અનેક પ્રકારના મણિઓ તથા રત્નોને ચિત્રાત્મકરૂપે જડેલ હતા. આવા સ્નાનગૃહમાં પ્રવિષ્ટ થઈને રાજા ત્યાં સ્નાનહેતુ માટે સ્થાપિત ચોકી પર સુખપૂર્વક બેઠો.
૧૭૫
ત્યારપછી શુદ્ધ ચંદન આદિ સુગંધિત પદાર્થોના રસથી મિશ્રિત, પુષ્પરસ મિશ્રિત, સુખપ્રદ, બહુ ઉષ્ણ કે શીતલ નહીં એવા જળ વડે આનંદપ્રદ, અતીવ ઉત્તમ સ્નાનવિધિ દ્વારા પુનઃપુનઃ સ્નાન કર્યું. સ્નાન કરીને રાજાએ અનેક સેંકડો વિધિ–વિધાન સંપાદિત કર્યા (કૌતુક–મંગલ કર્યા) ત્યારપછી રુંવાટીવાળા, સુકોમળ, કાષાયિત વસ્ત્રથી શરીરને પોંછ્યુ. સરસ, સુગંધિત ગોરોચન તથા ચંદનનો દેહ પર લેપ કર્યો.
ત્યારપછી અદૂષિત અને અખંડ, નિર્મળ દૂષ્યરત્નને કોણિકે સારી રીતે પહેર્યું. પવિત્ર માળા ધારણ કરી, કેશર આદિનું વિલેપન કર્યું. મણિ વડે જડેલા સોનાના આભુષણ પહેર્યા. હાર, અર્ધહાર, ત્રિસરો હાર અને લાંબા, લટકતા કટિસૂત્ર વડે પોતાને સુશોભિત કર્યો. ગળાના ઘરેણાં ધારણ કર્યા, આંગળીઓમાં વીંટી પહેરી. આ પ્રમાણે પોતાના અંગોને સુંદર આભુષણોને વિભૂષિત કર્યું. ઉત્તમ કંકણો તથા ત્રુટિતો દ્વારા ભૂજાઓને સ્તંભિત કરી. એ રીતે રાજા અતિ શોભાયમાન લાગતો હતો. વીંટીઓને કારણે તેની આંગળીઓ પીળી લાગતી હતી. કુંડળોથી મુખ ઉદ્યોતિત હતુ અને મસ્તક મુગટ વડે દીપ્ત હતું.
હારો વડે ઢાંકેલ રાજા કોણિકનું વક્ષસ્થળ સુંદર લાગતું હતું. રાજાએ એક લાંબુ— લટકતું વસ્ત્ર ઉત્તરીયના રૂપમાં ધારણ કરેલું. સુયોગ્ય શિલ્પી દ્વારા મણિ, સ્વર્ણ, રત્નથી સુરચિત વિમલ, મહાર્ણ, સુશ્લિષ્ટ, વિશિષ્ટ, પ્રશસ્ત વીરવલય ધારણ કર્યા. વિશેષ તે રાજા વિશે શું કહીએ ? આ પ્રમાણે અલંકૃત્, વિભૂષિત, વિશિષ્ટ સજ્જાયુક્ત રાજા એવો લાગતો હતો, માને કે તે કલ્પવૃક્ષ હોય, પોતાના ઉપર કોરંટ પુષ્પોની માળાઓથી યુક્ત છત્ર અને બંને તરફ વિંઝાતા ચાર ચામર હતા, લોકો તેને જોતાની સાથે જ મંગલમય જયજય શબ્દ કરતા હતા, તેવો રાજા કોણિક સ્નાનગૃહથી બહાર નીકળ્યો.
ત્યારે અનેક ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇમ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાલ એ સર્વેથી પરિવૃત્ત થયેલો તે રાજા મહામેઘ, વિશાળ વાદળાથી નીકળેલ નક્ષત્રો, આકાશને દેદીપ્યમાન કરતા તારોના મધ્યવર્તી ચંદ્રની સશ જોવામાં ઘણો પ્રિય લાગતો હતો. તે જ્યાં બાહ્ય સભાભવન હતું, જ્યાં પ્રધાન હાથી હતો, ત્યાં આવ્યો. ત્યાં આવીને અંજનગિરિના શિખરની સમાન વિશાળ, ઉંચા ગજપતિ પર તે નરપતિ આરૂઢ થયો.
ત્યારે ભંભસારપુત્ર રાજા કોણિકના પ્રધાન હાથી પર સવાર થયા પછી સૌથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org