________________
શ્રાવક કથા
૧૭૩
કરાવો. વિવિધ રંગોની, ઊંચી, સિંહ, ચક્ર આદિ ચિન્હોથી યુક્ત ધ્વજા, પતાકા, નાની પતાકા આદિથી સજ્જ કરો.
નગરી દીવાલો લીંપાવો, ચૂનો કરાવો – યાવતુ – જેમાંથી સુગંધિત ધૂમની પ્રચુરતાથી ગોળ–ગોળ ઘૂમમય ગોટા બનતા દેખાય તેવું કરો. આ બધાં કાર્યો તમે જાતે કરો – બીજા પાસે કરાવો. એ રીતે કરીને, કરાવીને મને સૂચિત કરો કે, આજ્ઞાનું પાલન થઈ ગયેલ છે.
રાજા કોણિક દ્વારા આ પ્રમાણે કહેવાયું ત્યારે તે સેનાનાયક હર્ષિત અને સંતુષ્ટ થયો. બે હાથ જોડ્યા, મસ્તકે અંજલિ કરી, વિનયપૂર્વક રાજાની આજ્ઞાનો સ્વીકાર કરતા કહ્યું, “જેવી આપની આજ્ઞા". એ પ્રમાણે સેનાનાયકે રાજાજ્ઞાને સ્વીકારી હસ્તિસેનાનાયકને બોલાવ્યો, તેને કહ્યું, હે દેવાનુપ્રિય ! ભભસારપુત્ર મહારાજા કોણિકને માટે પ્રધાન, ઉત્તમ હાથી સજાવીને શીઘ તૈયાર કરો. ચતુરંગિણી સેના તૈયાર કરાવો. પછી મને આજ્ઞા પાલન થયાની સૂચના આપો.
હસ્તિ મહાવતે સેનાનાયકના કથનને સાંભળ્યું. વિનયપૂર્વક સ્વીકાર કર્યો. તે મહાવત કલાચાર્ય પાસેથી શિક્ષા પ્રાપ્ત કરીને જેની બુદ્ધિ વિવિધ કલ્પનાઓ તથા સર્જનમાં અતિ નિપુણ હતી, તેણે તે ઉત્તમ હાથીને ઉજ્વલ, નેપથ્ય, વેશભૂષા આદિ દ્વારા શીઘ સજ્જ કર્યો. તે સુસજ્જ હાથીનો ધાર્મિક ઉત્સવ અનુરૂપ શ્રૃંગાર કર્યો, કવચ લગાવ્યું, કક્ષાને વક્ષ:સ્થળ સાથે બાંધી, ગળામાં હાર તથા ઉત્તમ આભૂષણ પહેરાવ્યા, સુશોભિત કર્યો.
તે હાથી ઘણો તેજોમય દેખાવા લાગ્યો. સુલલિત કર્ણપૂરો તેને સુસજ્જિત કર્યો. લટકતા એવા લાંબા ઝૂલો તથા મદની ગંધથી એકત્ર થયેલ ભ્રમરાને કારણે ત્યાં અંધકાર જેવું પ્રતીત થતું હતું. ફૂલ પર વેલ અને બૂટા ભરેલ પ્રચ્છેદ વસ્ત્ર નાંખ્યું. શસ્ત્ર તથા કવચયુક્ત તે હાથી યુદ્ધાર્થ સજ્જિત જેવો પ્રતીત થતો હતો. તેના છત્ર, ધ્વજા, ઘંટા તથા પતકા – એ બધું યથાસ્થાને યોજિત કરાયું. તેના મસ્તકને પાંચ કલગીઓ વડે વિભૂષિત કરીને સુંદર બનાવવામાં આવ્યું. તેની બંને બાજુ ઘંટિકાઓ લટકાવી.
તે હાથી વીજળી સહિત કાળા બાદલ જેવો દેખાતો હતો. તે પોતાના મોટા હલનચલનને કારણે એવો લાગતો હતો, જાણે અકસ્માત કોઈ ફરતો-ચાલતો પર્વત ઉત્પન્ન થયો હોય. તે હાથી મદોન્મત્ત હતો. મોટા મેઘની જેમ તે ગુલગુલ શબ્દ દ્વારા પોતાના સ્વરમાં માનોને ગરજતો હતો. તેની ગતિ મન તથા વાયુના વેગને પણ પરાભૂત કરનારી હતી. વિશાળ દેહ તથા પ્રચંડ શક્તિને કારણે તે ભીમકાય પ્રતીત થતો હતો. તે સંગ્રામ યોગ્ય આભિષેક્ય હસ્તિરત્નને મહાવતે સન્નદ્ધ કર્યો, પછી ઘોડા, હાથી, રથ, પ્રવરયોદ્ધાથી પરિગઠિત સેના તૈયાર કરાવી. પછી આજ્ઞાપાલન થયાની સૂચના આપી.
ત્યારપછી સેનાનાયકે યાનશાલિકને બોલાવ્યો. તેને કહ્યું, સુભદ્રા આદિ રાણીઓને માટે, તે દરેકે દરેક માટે યાત્રાભિમુખ, બળદ જોડેલા યાનને બાહ્ય સભાભવનની નજીક ઉપસ્થિત કરો. યાનશાલકે સેનાનાયકની આજ્ઞા વિનયપૂર્વક સ્વીકારી. તે જ્યાં યાનશાળા હતી, ત્યાં આવ્યો. ચાનોનું નિરીક્ષણ કર્યું, તેનું પ્રમાર્જન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org