________________
આગમ કથાનુયોગ-૫
વિકસિત કરવામાં સહસ્રકિરણયુક્ત, દિવસના પ્રાદુર્ભાવક સૂર્યનો ઉદય થયા પછી, પોતાના તેજથી ઉદ્દીપ્ત થયા પછી શ્રમણ ભગવંત મહાવીર જ્યાં ચંપાનગરી હતી, જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું, ત્યાં પધાર્યા. યથાપ્રતિરૂપ આવાસ ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
૧૭૨
ત્યારે શ્રમણ ભગવંત મહાવીરના અનેક અંતેવાસી ઘણાં જ શ્રમણો સંયમ તથા તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. (આ શ્રમણો કેવા હતા ? તેમના તપ અને ગુણ આદિનું વર્ણન ભગવંત મહાવીરના કથાનકમાં “ભ.મહાવીરના શ્રમણો શીર્ષક હેઠળ લખાયેલું છે. ત્યાં જોવું - ''ઉવવાઈ સૂત્ર–૧૪ થી ૧૭, ૨૧)
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પાસે અનેક અસુરકુમારદેવ આદિ ભવનવાસી દેવો, - × - X - X પિશાચ આદિ વ્યંતરદેવ - x - x – x ચંદ્ર આદિ જ્યોતિષ્ક દેવો સૌધર્મ આદિ વૈમાનિક દેવો – × – x - X X − x અપ્સરા સમૂહ પ્રગટ થયો – યાવત્ – ભગવંત મહાવીરની પર્યાપાસના કરવા લાગ્યો. (આ સર્વે દેવોનું વિસ્તારપૂર્વક સમગ્ર વર્ણન જે ઉવવાઈ ઉપાંગ સૂત્રમાં સૂત્ર-૨૧ થી ૨૬માં છે, તે ભગવંત મહાવીરના કથાનકમાંથી જોઈ લેવું.)
-
તે સમયે ચંપાનગરીના શ્રૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચત્વરો, ચતુર્મુખ, રાજમાર્ગો, સામાન્ય માર્ગોમાં મનુષ્યોનો ઘણો જ કોલાહલ સંભળાઈ રહ્યો હતો. ઘણાં લોકો બોલી રહ્યા હતા, પરસ્પર કહી રહ્યા હતા X - X - X હે દેવાનુપ્રિયો ! આદિકર, તીર્થંકર, સ્વયંબુદ્ધ, પુરુષોત્તમ, સિદ્ધિગતિરૂપ સ્થાનની પ્રાપ્તિને માટે સમુદ્યત ભગવાન્ મહાવીર પૂર્વાનુપૂર્વી ક્રમે વિહાર કરતા, ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં અહીં આવ્યા છે, સમવસર્યા છે. અહીં ચંપાનગરીની બહાર યથોચિત સ્થાન ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા છે - યાવત્ - તે સર્વે ભગવંત મહાવીરની સન્મુખ પર્યુપાસના કરવા લાગ્યા.
-
-
1
પ્રવૃત્તિ નિવેદકને જ્યારે આ વાત માલૂમ પડી ત્યારે હર્ષિત અને સંતુષ્ટ થયો. તેણે સ્નાન કર્યું – યાવત્ – રાજા કોણિકને તે વાતનું નિવેદન કર્યું, રાજાએ સાડા બાર લાખ રજત મુદ્રા વાર્તા નિવેદકને પ્રીતિદાનરૂપે પ્રદાન કરી.
૦ રાજા કોણિકનું ભગવંત મહાવીરના વંદનાર્થે જવું :
ત્યારે ભંભસારપુત્ર રાજા કોણિકે બલવ્યામૃતને બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિય ! આભિષેક્ય, પ્રધાનપદે અધિષ્ઠિત હસ્તિરત્નને સુસજ્જ કરાવો. ઘોડા, હાથી, રથ તથા શ્રેષ્ઠ યોદ્ધાઓથી પરિગઠિત ચતુરંગિણી સેનાને તૈયાર કરો. સુભદ્રા આદિ દેવીઓને માટે, તેમના પ્રત્યેકને માટે યાત્રાભિમુખ, જોતરેલા યાનો બાહ્ય સભાભવનની નજીક ઉપસ્થિત કરો.
Jain Education International
ચંપાનગરીને બહારથી અને અંદરથી, તેના શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ અને સામાન્ય માર્ગની સફાઈ કરાવો. ત્યાં પાની છંટકાવો, છાણ વગેરેથી લિંપણ કરાવો. નગરની ગલીઓના મધ્ય ભાગો તથા બજારના રસ્તાની પણ સફાઈ કરાવી, પાણી છંટકાવો. તેને સ્વચ્છ અને શોભામણા કરાવો. પંચાતિમંચ તૈયાર
For Private & Personal Use Only
www.jainelibrary.org