________________
શ્રાવક કથા
૧૭૧
અભિલાષા કરો છો -- જેના નામ તથા ગોત્રના શ્રવણમાત્રથી હર્ષિત અને પરિતુષ્ટ થાઓ છો, હર્ષાતિરેકથી હૃદય વિકસિત થાય છે. તે શ્રમણ ભગવંત મહાવીર પૂર્વાનુપૂર્વી ક્રમથી વિહાર કરતા, ગ્રામાનુગ્રામ વિચરણ કરતા ચંપાનગરીના સન્નિવેશમાં પધાર્યા છે. હવે પૂર્ણભદ્ર ચૈત્યમાં પધારશે.
હે દેવાનુપ્રિય ! આપની પ્રીતિ અર્થે નિવેદિત કરું છું. તે આપને પ્રિય જાઓ.
ભંભસારપુત્ર રાજા કોણિક વાર્તાનિવેદક પાસેથી આ સાંભળીને, તેને હૃદયંગમ કરીને હર્ષિત અને સંતુષ્ટ થયો. ઉત્તમ કમલ સમાન તેનું મુખ અને નેત્ર ખીલી ઉઠ્ઠયા, હર્ષાતિરેકજનિત સંસ્કૃર્તિવશ રાજાના હાથના ઉત્તમ કડા, બાહુરક્ષિકા, કેયુર, મુગટ, કુંડલ તથા વક્ષ:સ્થળ પર શોભિત હાર સહસાકંપી ઉઠયા. રાજાના ગળામાં લાંબી માળા લટકી રહી હતી. આભૂષણ ઝૂલી રહ્યા હતા. રાજા આદરપૂર્વક જલ્દીથી સિંહાસન પરથી ઊભો થયો. પાદપીઠ પર પગ રાખીને નીચે ઉતર્યો. પાદુકા ઉતારી, પછી ખગ, છત્ર, મુગટ, વાહન, ચામર – એ પાંચ રાજચિન્હોને અલગ કર્યા. જલથી આચમન કર્યું સ્વચ્છ, પરમ શુચિભૂત, અતિ સ્વચ્છ અને શુદ્ધ થયો. કમળના ડોડાની માફક તેણે હાથોનું સંપુટ બનાવ્યું.
ત્યારપછી જે તરફ તીર્થકર ભગવંત મહાવીર બિરાજિત હતા. તે તરફ તે સાતઆઠ કદમ સામે ગયો. એમ કરીને પોતાના ડાબા ઘૂંટણને આકુંચિત કર્યો – જમણા ઘૂંટણને ભૂમિ પર રાખ્યો. ત્રણ વખત પોતાનું મસ્તક જમીન પર લગાડ્યું. ત્યારપછી તે કિંચિત્ ઊભો થયો (ઊંચો ઉદ્દયો) કંકણ તથા બાહુ રક્ષિકાર્થે સુસ્થિર ભુજાઓને ઉઠાવી, બંને હાથ જોડ્યા. અંજલિ કરીને (કોણિક રાજા) બોલ્યો
અતુ, ભગવંત, તીર્થકર, આદિકર, ધર્મતીર્થ, સ્વયંસંબુદ્ધ, પુરુષોત્તમ, પુરુષસીંહ, પુરુષવર પુંડરીક – યાવત્ – અપુનરાવર્તન એવી સિદ્ધિગતિ – સિદ્ધોને મારા નમસ્કાર થાઓ. આદિકર, તીર્થકર, સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરવાના ઇચ્છુક મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીરને મારા નમસ્કાર થાઓ. અહીં રહેલ એવો હું ત્યાં રહેલા એવા ભગવંતને વંદના કરું છું, ત્યાં સ્થિત ભગવંત પણ મને જુએ. એમ કહીને રાજા કોણિકે ભગવંતને વંદન–નમસ્કાર કર્યા.
- ત્યારપછી તે પૂર્વ તરફ મુખ રાખીને પોતાના ઉત્તમ સિંહાસન પર બેઠો. એક લાખ આઠ હજાર રજતમુદ્રાઓ વાર્તાનિવેદકને પ્રીતિદાન રૂપમાં આપી. તથા ઉત્તમ વસ્ત્ર આદિ દ્વારા સત્કાર કર્યો, આદરપૂર્ણ વચનોથી સન્માન કર્યું. એ રીતે સત્કાર તથા સન્માન કરીને તેને કહ્યું, હે દેવાનુપ્રિય ! જ્યારે શ્રમણ ભગવંત મહાવીર અહીં પધારે, આ ચંપાનગરીની બહાર પૂર્ણભદ્ર ચૈત્યમાં યથાપ્રતિરૂપ આવાસ–સ્થાન ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા બિરાજે ત્યારે મને આ સમાચાર નિવેદિત કરજે. એમ કહીને રાજાએ વાર્તાનિવેદકને વિદાય કર્યો.
ત્યારપછી બીજે દિવસે – રાત્રિ વીતી ગયા બાદ, પ્રભાત થયા પછી, નીલ અને અન્ય કમલોનું શોભામણું રૂપ ખીલ્યું ત્યારે, ઉવળ પ્રભાયુક્ત અને લાલ અશોક, પલાશ, પોપટની ચાંચ, ચણોઠીનો અર્ધભાગ સંદેશ લાલિમાયુક્ત થઈને કમલવનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org