________________
શ્રાવક કથા
૧૬૯
નીલકમળના પાંદડાનો ઢગલો તથા અળસીના ફૂલ સદશ પ્રભાવાળો હતો.
નીલમણી, કસૌટી, કમર પર બાંધવાનો ચામડાનો પટ્ટો, આંખોની કીકી – એ સર્વેના પુંજ સમાન તે પૃથ્વીશિલાપટ્ટકનો વર્ણ હતો. તે અત્યંત નિગ્ધ હતો. તેના આઠ ખૂણા હતા. દર્પણના તલ સમાન તે સુરખ્ય હતો. રીંછ, બળદ, ઘોડા, મનુષ્ય, મગર, પલી, સાપ, કિન્નર, રર, અષ્ટાપદ, ચમર, હાથી, વનલતા અને પઘલતાના ચિત્રો તેના પર બનેલા હતા. તેનો સ્પર્શ મૃગછાલ, કપાસ, બૂર, માખણ તથા આકના ૨ સમાન કોમળ હતો. તે આકારમાં સિંહાસન જેવો હતો. આ પ્રમાણે તે શિલાપટ્ટક મનોરમ, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતો. ૦ રાજા કોણિકનું વર્ણન :
ચંપાનગરીમાં કોણિક નામનો રાજા હતો, જે ત્યાં નિવાસ કરતો હતો. તે મહાડિમવાન, પર્વત સમાન મહત્તા તથા મલય, મેરુ અને મહેન્દ્રની સદશ પ્રધાનતા કે વિશિષ્ટતા યુક્ત હતો. તે અત્યંત વિશુદ્ધ અને ચીરકાલીન હતો. તેના અંગો પૂર્ણતઃ રાજચિત લક્ષણોથી સુશોભિત હતો. તે ઘણાં લોકો દ્વારા અતિ સન્માનિત અને પૂજિત હતો. સર્વગુણ સમૃદ્ધ, ક્ષત્રિય, મુદિક, મૂદ્ધભિષિક્ત, ઉત્તમ માતા–પિતાથી ઉત્પન્ન, કરુણાશીલ, મર્યાદાઓની સ્થાપના કરનારો તથા પાલન કરનારો, ક્ષેમકર, મંધર, મનુષ્યોમાં ઇન્દ્રસમાન, પોતાના રાષ્ટ્રને માટે પિતૃતુલ્ય, પ્રતિપાલક, હિતકારક, કલ્યાણકારક, પથદર્શક, ઉપસ્થાપક, નરપ્રવર, પુરુષવર પરાક્રમથી સિંહતુલ્ય, રૌદ્રતામાં વાઘ સદશ, સામર્થ્યમાં સર્પતુલ્ય, પુરુષોમાં ઉત્તમ પુંડરીક સમાન અને પુરુષોમાં ગંધહસ્તી સમાન હતો.
તે સમૃદ્ધ, દૈત તથા વિત્ત હતો. તેને ત્યાં મોટા-મોટા વિશાળ ભવન, સૂવાબેસવાના આસન તથા રથ, ઘોડા આદિ સવારી, વાહન ઘણાં પ્રમાણમાં હતા. તેની પાસે વિપુલ સંપત્તિ તથા સોના-ચાંદી હતા. અર્થલાભના ઉપાયોનો તે પ્રયોક્તા હતો. તેને ત્યાં ભોજન કરાયા પછી પણ ઘણી ખાદ્યસામગ્રી બચતી હતી. તેને ત્યાં અનેક દાસ-દાસી, ગાય-ભેંસ તથા બકરીઓ હતી. તેને ત્યાં યંત્ર, કોષ, કોષ્ઠાગાર તથા શસ્ત્રાગાર પ્રતિપૂર્ણ હતું. તેની પાસે ઘણી મોટી સેના હતી.
પોતાના રાજ્યના સીમાવર્તી રાજાઓ કે પડોસી રાજાઓને તેણે શક્તિહીન બનાવી દીધા હતા. પોતાના સગોત્ર પ્રતિસ્પર્ધીઓને વિનષ્ટ કરી દીધા હતા, તેઓનું ધન છીનવી લીધું હતું, તેઓને માનભંગ કરી દીધા હતા, તેમને દેશથી નિકાલ કરી દીધેલા. તે જ પ્રકારે પોતાના શત્રુઓનો વિનષ્ટ કરી દીધેલા, તેમની સંપત્તિ છીનવી લીધેલી અને માનભંગ કરી દીધેલા, દેશનિકાલ કરી દીધેલા. પોતાના પ્રભાવાતિશયથી તેણે તેઓને જીતી લીધા હતા, પરાજિત કરી લીધેલા.
આ પ્રમાણે તે કોણિક રાજા નિરુપદ્રવ, લેમમય, કલ્યાણમય, સુભિક્ષયુક્ત અને શત્રુકૃત્ વિનરહિત રાજ્યનું શાસન કરતો હતો. ૦ રાજા કોણિકની રાણી ઘારિણી :
(અહીં રાણી ઘારિણીનું વર્ણન છે. કથામાં આગળ જતા સુભદ્રા નામથી વર્ણન ચાલુ થાય છે. કદાચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org