________________
શ્રાવક કથા
૧૬૭
ઉદારપુરુષોને માટે તે ચૈત્ય આહણીય, પ્રાહ્મણીય, અર્ચનીય, વંદનીય, નમસ્કરણીય, પૂજનીય, સત્કારણીય, સન્માનનીય, કલ્યાણમય, મંગલમય, દિવ્ય, પર્યપાસનીય હતું.
આ પૂર્ણભદ્ર ચૈત્ય દિવ્ય, સત્ય અને સત્યોપાય હતું. તે અતિશય અને અતીન્દ્રિય પ્રભાવયુક્ત હતું. હજારો પ્રકારોની પૂજા તેને પ્રાપ્ત હતી. ઘણાં લોકો ત્યાં આવતા અને તે પૂર્ણભદ્ર ચૈત્યની અર્ચના કરતા હતા. ૦ કોણિકની ચંપાનગરીનું વનખંડ :
તે પૂર્ણભદ્ર ચૈત્ય ચારે તરફથી એક વિશાળ વનખંડથી ઘેરાયેલ હતું, સઘનતાને કારણે તે વનખંડ કાળુ, કાળી આભાવાળું, નીલી, નીલી આભાવાળું તથા હરું અને ફરી આભાવાળું હતું. લતાઓ, રોપાઓ અને વૃક્ષોની પ્રચુરતાને કારણે તે સ્પર્શમાં શીતલ, શીતલ આભામય, સ્નિગ્ધ-સ્નિગ્ધ આભામય સુંદર વર્ણ આદિ ઉત્કૃષ્ટ ગુણયુક્ત તથા તીવ્ર આભામય હતું. આ રીતે આ વનખંડ કાળાપણું, કાળી છાયા, નીલાપણું, નીલી છાયા, હરાપણું, હરીછાયા, શીતળતા, શીતળ છાયા, સ્નિગ્ધતા, નિષ્પ છાયા, તીવ્રતા, તીવ્રછાયાથી યુક્ત હતું. વૃક્ષોની શાખાઓની પરસ્પર ગુંથાઈ જવાને કારણે તે ગહેરી, સઘન છાયાથી યુક્ત હતું. તેનું દશ્ય એવું રમણીય હતું. જાણે મોટા મોટા વાદળોની ઘટાઓથી ઘેરાયેલું હોય.
તે વનખંડના વૃક્ષ ઉત્તમ – મૂળ, કંદ, સ્કંધ, છાલ, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ તથા બીજથી સંપન્ન હતું. તે ક્રમશઃ આનુપાતિક રૂપમાં સુંદર તથા ગોળાકાર વિકસિત હતા. તેને એક–એક ડાળી તથા અનેક શાખાઓ હતી. તેના મધ્યભાગમાં અનેક શાખા અને પ્રશાખાઓ વિસ્તારથી ફેલાયેલ હતી. તેના સઘન, વિસ્તૃત તથા સુઘડ થળ અને ડાળીઓ અનેક મનુષ્યો દ્વારા ફેલાયેલી ભુજાઓથી પણ ગ્રહણ કરી શકાય તેમ ન હતું.
તેના પાંદડા છેદરહિત, અવિરત, અઘોમુખ તથા ઉપદ્રવરહિત હતા. તેના જૂના, પીળા પાંદડા ખરી ગયા હતા. નવા લીલા ચમકતા પાંદડાઓની સઘનતાથી ત્યાં અંધારુ અને ગાંભીર્ય જણાઈ રહ્યું હતું. નવીન, પરિપુષ્ટ પાંદડા, કોમળ ઉજ્વળ તથા ફરકતી એવી કુંપણો–પ્રવાલોથી તેના ઉચ્ચ શિખરો સુશોભિત હતા. તે વનખંડમાં કેટલાંયે વૃક્ષો એવા હતા, જે સર્વ ઋતુઓના ફૂલો, મંજરીઓ, પાંદડા, ફૂલોના ગુચ્છો, ગુલ્મો તથા પાંદડાઓના ગુચ્છોથી યુક્ત રહેતું હતું. કેટલાંએ એવા હતા, જે સદા સમશ્રેણિક રૂપમાં સ્થિત હતા. કેટલાંએ હંમેશાં યુગલ રૂપમાં કેટલાંક પુષ્પ–ફળ આદિના ભારથી નિત્ય વિનમિત, પ્રણમિત નમેલા હતા.
આ રીતે વિવિધ પ્રકારની પોતપોતાની વિશેષતાઓ વાળા હતા. તે વનખંડના વૃક્ષ પોતાની સુંદર લુંબીઓ તથા મંજરીઓના રૂપમાં માનો કે શિરોભૂષણ ધારણ કરીને રહેલા હતા. ત્યાં પોપટ, મોર, મેના, કોયલ, કોગિક, ભંગારક, કૉડલક, ચકોર, નંદિમુખ, તીતર, બટેર, બતક, ચક્રવાક, કલહંસ, સારસ પ્રભૂતિ પક્ષીઓ દ્વારા કરતા અવાજોના ઉન્નત અને મધુર સ્વરાલાપથી તે વૃક્ષો ગુંજિત હતા, સુરખ્ય લાગતા હતા.
તે વનખંડમાં સ્થિત મદમાતા ભ્રમર તથા ભ્રમરીઓ અને મધમાખીઓના સમૂહ અને મકરંદથી અન્યાન્ય સ્થાનોથી આવેલા વિવિધ જાતિના ભ્રમર મસ્તીથી ગણગણી રહ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org