SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ આગમ કથાનુયોગ-૫ હે ગૌતમ ! પ્રાયઃ નરક અને તિર્યંચ યોનિકોમાં ઉત્પન્ન થયા. ૦ રથમૂસલ સંગ્રામ : હે ભગવન્! આ રથમૂશલ સંગ્રામ જ્યારે થઈ રહ્યો હતો ત્યારે કોણ હાર્યું અને કોણ જીત્યું ? હે ગૌતમ ! ઇન્દ્ર અને વિદેહપુત્ર (કોણિક) તથા અસુરેન્દ્ર અસુરરાજ ચમર (મહાશિલાકંટક યુદ્ધની માફક) જીત્યા અને નવ મલકી તથા નવલિચ્છવી રાજા હારી ગયા. ત્યારે રથમૂસલ સંગ્રામ ઉપસ્થિત થયો જાણીને કોણિક રાજાએ પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. ત્યારપછીનું સર્વ વર્ણન મહાશિલાકંટક માફક જાણવું વિશેષ એટલું કે અહીં ભૂતાનંદ નામનો હસ્તિરાજ હતો – યાવત્ – તે કોણિક રથમૂસલ સંગ્રામમાં ઉતર્યો. આગળ દેવેન્દ્ર દેવરાજ શક્ર હતો – યાવત્ – સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું. તેની પાછળ અસુરેન્દ્ર અસુરરાજ ચમર લોઢાના બનેલા એક મહાનું કઠિન જેવું કવચ વિક્ર્વીને ઊભો હતો. આ પ્રમાણે ત્રણ ઇન્દ્રો સંગ્રામ કરવાને માટે પ્રવૃત્ત થયા. તે આ પ્રમાણે – દેવેન્દ્ર, મનુજેન્દ્ર અને અસુરેન્દ્ર. હવે કોણિક કેવળ એક હાથીથી આખી શત્રુસેનાને પરાજિત કરવામાં સમર્થ હર્તા – યાવત્ – પહેલા કહેલા તે શત્રુ રાજાઓને દશે દિશાઓમાં ભગાડી દીધા. હે ભગવન્! આ રથમૂસલ સંગ્રામને રથમૂસલ સંગ્રામ કેમ કહેવાય છે ? હે ગૌતમ ! જે સમયે રથમૂસલ સંગ્રામ થઈ રહ્યો હતો, તે સમયે અશ્વરહિત, સારથિ રહિત અને યોદ્ધાઓથી રહિત કેવળ એક રથમૂસલ સહિત અત્યંત જનસંહાર, જનવધ, જનપ્રમર્દન અને જળપ્રલયની સમાન લોહીનું કીચડ કરતા ચારે તરફ દોડતા હતા. આ કારણે તે સંગ્રામને રથમૂલ સંગ્રામ – યાવત્ – કહેવાયો છે. હે ભગવન્! જ્યારે રથમૂસલસંગ્રામમાં કેટલા મનુષ્યો મર્યા? હે ગૌતમ ! રથમૂસલ સંગ્રામમાં છન્નુ લાખ મનુષ્યો મર્યા. હે ભગવન્! નિઃશીલ – યાવત્ – તે મનુષ્યો મૃત્યુ સમયે મરીને ક્યાં ગયા? ક્યા ઉત્પન્ન થયા ? હે ગૌતમ ! તેમાંથી ૧૦,૦૦૦ મનુષ્યો તો એક માછલીના ઉદરમાં ઉત્પન્ન થયા. એક મનુષ્ય દેવલોકમાં ઉત્પન્ન થયો. એક મનુષ્ય ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયો અને શેષ લોકો પ્રાયઃ નરક અને તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થયા. હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્ર અને અસુરેન્દ્ર અસુરરાજ ચમર, આ બંનેએ કોણિક રાજાને કયા કારણે સહાયતા આપી ? હે ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ શક્ર તો કોણિક રાજાનો પૂર્વ સંગતિક હતો અને અસુરેન્દ્ર અસુરકુમાર રાજા ચમર કોણિક રાજાનો પર્યાય સંગતિક મિત્ર હતો. તેથી તે ગૌતમ ! તેણે કોણિક રાજાને સહાયતા આપી. ૦ કૂલવાલકની મદદથી વૈશાલીનગરીને ભગ્ન કરવી : કોણિકને મદદ કરવા શક્ર અને ચમર આવેલા. પણ શક્રએ કહ્યું કે, ચેટકરાજા શ્રાવક છે, તેથી હું તેના પર પ્રહાર કરીશ નહીં. માત્ર સંરક્ષણ કરીશ. જ્યારે ગણરાજાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy