________________
શ્રાવક કથા
૧૬ ૩
રાજાના એક જ બાણથી કાલકુમાર હત–મથિત થઈ ગયો.
એ જ રીતે સુકાલકુમાર આદિ દશે કુમારો ચેટક રાજાના બાણથી હત–મથિત થઈને મૃત્યુ પામ્યા. એ રીતે દશ દિવસ સંગ્રામમાં દશ વીર–કુમારોનું મૃત્યુ થતા કોણિક રાજાએ અઠમ ભક્ત ગ્રહણ કર્યો. શક્ર અને ચમરેન્દ્ર આવ્યા. ત્યાં બે મહાસંગ્રામ થયા – એક મહાશિલાકંટક અને બીજો રથમૂશલ મહાસંગ્રામ. આ બંને મહાસંગ્રામનું વર્ણન ભગવતીજી સૂત્ર–૩૭૨ થી આ પ્રમાણે છે – ૦ મહાશિલાકંટક સંગ્રામ :
તે સમયે મહાશિલાકંટક સંગ્રામ ઉપસ્થિત થયેલો જાણી કોણિક રાજાએ પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. તેઓને કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી ઉદાયી નામના હસ્તિરાજને તૈયાર કરો અને ચતુરંગિણી સેના સન્ન કરો. ત્યારે કૂણિક રાજાની આજ્ઞાનુસાર – યાવત્ – ભીમસંગ્રામને યોગ્ય ઉદાર ઉદાયી નામક હસ્તીરાજનું સુસજ્જિત કર્યો. તે સાથે ચતુરંગિણી સેના પણ સુસજ્જિત કરી. જ્યાં કોણિક રાજા હતો, ત્યાં આવ્યા – યાવત્ – પૂર્વે જણાવ્યા મુજબ કોણિક રાજા સ્નાન કરીને – યાવત્ - સજ્જ થઈને ઉદાયી નામક હાથી પર આરૂઢ થયો.
ત્યારપછી ચતુરંગિણી સેનાથી સજ્જ થઈને – યાવત્ – જ્યાં મહાશિલાકંટક સંગ્રામ હતો ત્યાં આવ્યો. તે મહાશિલાકંટક સંગ્રામમાં ઉતર્યો. તેની આગળ દેવરાજ દેવેન્દ્ર શક્ર વજપ્રતિરૂપક અભેદ્ય એક મહાનું કવચની વિકૃર્વણા કરી ઊભો રહ્યો. આ પ્રમાણે બે ઇન્દ્ર સંગ્રામ કરવા લાગ્યા. એક દેવેન્દ્ર અને બીજો મનુજેન્દ્ર (કોણિક રાજા). કોણિક રાજા કેવળ એક હાથીથી પણ પરાજિત કરવામાં સમર્થ થઈ ગયો. ત્યારપછી તે કોણિક રાજાએ મહાશિલાકંટક સંગ્રામ કરતા નવ મલકી અને નવ લેચ્છકી જે કાશી અને કોશલ દેશના અઢાર ગણરાજા હતા, તેઓના પ્રવર યોદ્ધાઓને નષ્ટ કર્યા, ઘાયલ કર્યા, મારી નાંખ્યા. તેમની ચિહ્નાકિંત ધ્વજા-પતાકાઓ પાડી દીધી. તે વીરોના પ્રાણ સંકટમાં પડી ગયા. તેથી તેઓને યુદ્ધ સ્થળથી દશે દિશાઓમાં ભગાડી દીધા.
હે ભગવન્! આ મહાશિલાકંટક સંગ્રામને મહાશિલાકંટક સંગ્રામ કેમ કહેવામાં આવે છે ? જ્યારે મહાશિલાકંટક સંગ્રામ થઈ રહ્યો હતો, ત્યારે તે સંગ્રામમાં જે પણ ઘોડા, હાથી, યોદ્ધા કે સારથી આદિ હતા તેઓ તૃણથી, કાષ્ઠથી, પાંદડાથી, કાંકરા આદિથી જ્યારે આહત થતા હતા, ત્યારે તે બધાં એવો અનુભવ કરતા હતા કે અમે મહાશિલાના પ્રહારથી આહત થઈ રહ્યા છીએ.
હે ગૌતમ ! આ કારણથી આ સંગ્રામને મહાશિલાકંટક સંગ્રામ કહે છે.
હે ભગવન્! જ્યારે મહાશિલાકંટક સંગ્રામ થયો ત્યારે તેમાં કેટલા લાખ મનુષ્યો માર્યા ગયા ?
હે ગૌતમ ! તે મહાશિલાકંટક સંગ્રામમાં ૮૪ લાખ મનુષ્યો મર્યા.
હે ભગવન્! શીલરહિત – યાવતુ – પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસરહિત, રોષથી ભરેલા, પરિકુપિત, યુદ્ધમાં ઘાયલ થયેલા અને અનુપશાંત તે મનુષ્યો મરીને કયાં ગયા? ક્યાં ઉત્પન્ન થયા ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org