________________
૧૬૨
આગમ કથાનુયોગ-૫
તેથી જ્યારે કૃણિક રાજા ચતુરંગિણી સેનાને લઈને યુદ્ધ સજ્જિત થઈને અહીં આવી રહ્યો છે તો આપણે પણ કોણિક રાજા સાથે યુદ્ધ કરીએ.
ત્યારે ચેટક રાજાએ કહ્યું કે, જો આપ દેવાનુપ્રિય ! કોણિક રાજા સાથે યુદ્ધ કરવાને માટે તૈયાર છો, તો હે દેવાનુપ્રિયો ! પોતપોતાના રાજ્યોમાં જાઓ અને સ્નાનાદિ કરી કાલ આદિ કુમારોની સમાન – યાવત્ – ચતુરંગિણી સેનાની સાથે અહીં આવો. તે સાંભળીને અઢારે રાજા પોતપોતાના રાજ્યોમાં ગયા અને યુદ્ધને માટે સુસજ્જિત થઈને આવ્યા અને તેમણએ ચેટક રાજાને જય-વિજય શબ્દોથી વધાવ્યા. ત્યારપછી ચેટકરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને આજ્ઞા કરી કે, આભિષેજ્ય હસ્તિરત્નને સજાવો - યાવત્ – ચેટક રાજા પણ કોણિક રાજાની માફક હાથી પર આરૂઢ થયો.
તે અઢાર ગણ રાજાઓ આવ્યા બાદ, ચેટકરાજા સહિત ઓગણીસ રાજાઓ કોણિક રાજાની માફક નીકળ્યા. ચેટક રાજા ૩૦૦૦ હાથીઓ આદિ સાથે વૈશાલી નગરીની વચ્ચોવચ્ચ થઈને નીકળ્યો. ત્યારે ચેટકરાજા સહિતના તે ઓગણીસ રાજાઓ પ૭,૦૦૦ હાથી, પ૭,૦૦૦ ઘોડા, ૫૭,૦૦૦ રાજાઓ અને ૫૭ કોટિ મનુષ્યોની સાથે સર્વદ્ધિ – યાવત્ – વાદ્યઘોષપૂર્વક સુખદ વાસ, નીકટ-નીકટ વિશ્રામ કરતા વિદેજનપદની વચ્ચોવચ્ચથી ચાલતા જ્યાં સીમાંત પ્રદેશ હતો ત્યાં આવીને છાવણી નાંખી. તથા કોણિક રાજાની પ્રતીક્ષા કરતા યુદ્ધને માટે તત્પર થઈને ત્યાં રહ્યા.
ત્યારપછી કોણિક રાજા સમરત ઋદ્ધિ – યાવત્ – કોલાહલની સાથે જ્યાં સીમાંત પ્રદેશ હતો, ત્યાં આવ્યો. ચેટક રાજાથી એક યોજન દૂર તેણે છાવણી નાંખી.
ત્યારપછી બંને રાજાઓએ રણભૂમિને સજ્જિત કરી, સજ્જિત કરીને રણભૂમિમાં પોતપોતાના જય-વિજયને માટે અર્ચના કરી. ત્યારપછી કોણિક રાજાએ ૩૩,૦૦૦ હાથી – યાવત્ – ૩૩ કોટિ પાયદળ સાથે ગરુડ વૂડની રચના કરી. ગરુડબ્ડ દ્વારા તેણે રથમૂસલ સંગ્રામ પ્રારંભ કર્યો. આ તરફ ચેટક રાજાએ પ૭,૦૦૦ હાથી – યાવત્ – ૫૭ કોટિ પદાતીઓ સાથે શકટ યૂહ રચ્યો. (આવશ્યક સૂત્રમાં “સાગરબ્યુહ રચ્યો” તેમ જણાવેલ છે.) રચીને તેઓ રથમૂસલ સંગ્રામમાં પ્રવૃત્ત થયા. કોણિકે દંડનાયક રૂપે પહેલે દિવસે “કાલકુમાર''ની નિમણૂંક કરેલી.
ત્યારે બંને રાજાની સેનાઓ યુદ્ધને માટે તત્પર થઈ – યાવત્ – આયુધો અને પ્રહરણો લઈને, હાથોમાં ઢાલ બાંધીને, તલવારો ખ્યાનમાંથી બહાર કાઢી, ખંભા પર લટકતા તૂણીરોથી, પ્રત્યંચાયુક્ત ધનુષ્યમાંથી છોડેલ બાણોથી, ફટકારતા એવા ડાબા હાથોથી, જોરજોરથી વાગતી એવી જાંઘોમાં બાંધેલી ઘંટિકાઓથી, વાગતી એવી તુરતીઓથી અને પ્રચંડ હુંકારોથી મહાનું કોલાહલથી સમુદ્રગર્જના જેવો અવાજ કરતા સર્વઋદ્ધિ – યાવત્ – વાદ્યઘોષોથી, પરસ્પર અશ્વારોહીઓ અશ્વારોહી સાથે, ગજાસૂઢો ગજાસૂઢોથી, રથારોહી રથારોહીથી અને પદાતીઓ પદાતીઓની સાથે યુદ્ધમાં ભીડાઈ ગયા. બંને રાજાઓની સેનાઓ પોતપોતાના સ્વામીના શાસન–અનુરાગથી પૂર્ણ હતી.
તેથી મહાન્ જનસંહાર, જનવધ, જનમર્દન, જનભય અને નાચતા એવા મુંડોથી ભયંકર લોહીનું કીચડ કરતી એવી બંને સેના એકબીજા સાથે યુદ્ધમાં ભીડાઈ ગઈ – ચેટક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org