SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૧૬૧ અનેક પ્રકારના સેંકડો કૌતુક કર્યા તથા કલ્યાણપ્રદ પ્રવર સ્નાન કર્યું. પછી સુંવાટીવાળા કાષાયિક મુલાયમ વસ્ત્રથી શરીર પોંછયું. મહામૂલ્યવાનું દૂષ્યરત્નને ધારણ કર્યું. સરસ, સુગંધિત, ગોશીષ ચંદનથી અંગોનું લેપન કર્યું. પવિત્રમાળા ધારણ કરી, કેશર આદિનું વિલેપન કર્યું. મણિઓ અને સુવર્ણથી નિર્મિત આભૂષણ ધારણ કર્યા. હાર, અર્ધપાર, ત્રિસરોહાર અને લટકતા કટિસૂત્રથી પોતાને સુશોભિત કર્યું. ગળામાં રૈવેયક આદિ આભૂષણ ધારણ કર્યા. આંગળીઓમાં વીંટી પહેરી. મણિમય કંકણો, ત્રુટિતો અને ભુજાબંધોથી ભુજાઓ ખંભિત થઈ ગઈ. કુંડલોથી તેમનું મુખ ચમકી ગયા. મુગટથી મસ્તક દેદીપ્યમાન થઈ ગયું. (તદુપરાંત–) – હારોથી આચ્છાદિત તેનું વક્ષસ્થળ સુંદર પ્રતીત થઈ રહ્યું હતું. લટકતા વસ્ત્રને ઉત્તરીય રૂપે ધારણ કરેલું. મુદ્રિકાઓથી આંગળીઓ પીતવર્ણની દેખાતી હતી. સુયોગ્ય શિલ્પીઓ દ્વારા નિર્મિત, સ્વર્ણ અને મણિઓના સુયોગથી સુરચિત, વિમલ, મહાર્ણ, સુશ્લિષ્ટ, ઉત્કૃષ્ટ, પ્રશસ્ત આકારયુક્ત, વીરવલય ધારણ કર્યા. કલ્પવૃક્ષ સમાન અલંકૃત્. અને વિભૂષિત નરેન્દ્ર કોરંટ પુષ્પની માળાઓથી યુક્ત છત્રને ધારણ કરી, બંને પડખે ચાર ચામરોથી વિંઝાતો, લોકો દ્વારા મંગલમય જય-જયકાર કરાતો, અનેક ગણનાયકો, દંડનાયકો, રાજા, ઈશ્વર – યાવતું – સંધિપાલ આદિથી ઘેરાયેલો તે ખાનગૃહથી બહાર નીકળ્યો – યાવત્ – અંજનગિરિના શિખર સમાન વિશાળ ઊંચા ગજપતિ પર તે નરપતિ આરૂઢ થયો. ત્યારપછી કોણિક રાજા ૩૦૦૦ હાથીઓ – યાવત્ - વાદ્યઘોષપૂર્વક ચંપાનગરીના મધ્ય ભાગથી નીકળ્યો. ત્યારે ૩૩,૦૦૦ હાથીઓ, ૩૩,૦૦૦ ઘોડાઓ, ૩૩,૦૦૦ રથો, ૩૩ કોટિ મનુષ્યોથી ઘેરાયેલ, સર્વ ઋદ્ધિ – યાવત્ – કોલાહલપૂર્વક, સુવિધાજનક પડાવ કરતા, અતિ વિકટ અંતરાવાસ ન કરતા, વિશ્રામ કરતા, અંગજનપદના મધ્ય ભાગમાંથી થઈને જ્યાં વિદેહ જનપદ હતું, વૈશાલી નગરી હતી, તે તરફ જવા માટે ઉદ્યત થયો. રાજા કોણિકના યુદ્ધને માટે પ્રસ્થાનના સમાચાર જાણીને ચેટક રાજાએ કાશી કોશલ દેશોના નવ લિચ્છવી અને નવ મલકીએ અઢાર ગણ રાજાઓને પરામર્શ કરવાના હેતુ આમંત્રિત કરીને કહ્યું, હે દેવાનુપ્રિયો ! વાત એમ છે કે કોણિક રાજાએ સેચનક હાથી અને અઢારસરો હાર પાછો લેવા માટે ત્રણ દૂતો મોકલ્યા. પણ રાજા શ્રેણિકે પોતાના જીવતા જ આ બંને વસ્તુ તેમને પ્રદાન કરેલી છે. તો પણ જો હાર-હાથી જોઈતા હોય તો તેને અડધું રાજ્ય આપી દે ઇત્યાદિ પૂર્વવત્ વૃત્તાંત જણાવ્યો. હવે કોણિક રાજા યુદ્ધ માટે સજ્જ થઈને અહીં આવી રહ્યો છે, તો શું સેચનક હાથી અને અઢારસરો હાર કોણિક રાજાને પાછો આપવો કે વેહલકુમાર (લલ્લ અને વિહલકુમાર) તેમને પાછા સોંપવા કે પછી યુદ્ધ કરવું? ત્યારે તે કાશી-કોશલના નવ મલકી અને નવ લિચ્છવી એ અઢાર ગણ રાજાઓએ ચેટક રાજાને કહ્યું, હે સ્વામી ! આ ઉચિત નથી, યોગ્ય પણ નથી અને અનુરૂપ પણ નથી કે સેચનક હાથી અને હાર કોણિકને રાજાને આપવા, કે શરણાગતકુમારને પાછો સોંપવો. Jain Station.hternational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy