SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૧૫૯ હતું, તેમાં જ્યાં ચેટક રાજા હતા, ત્યાં પહોંચી બંને હાથ જોડી – યાવત્ – જય-વિજય શબ્દોથી વધાવી કોણિક રાજાએ કહેલ સર્વ કથન કહી સંભળાવ્યું. દૂતનું નિવેદન સાંભળીને પછી ચેટક રાજાએ કહ્યું, જેમ કોણિક રાજા શ્રેણિક રાજાનો પુત્ર અને ચેલણા દેવીનો આત્મજ તથા મારો દોહિત્ર છે એ જ રીતે વેહલકુમાર (હલ અને વિલ) મારા દોહિત્ર છે. મારા શરણે આવેલાને હું કઈ રીતે આપી શકું ? તેથી હું તેમને સોંપીશ નહીં, તેમ છતાં કોણિક જો રાજ્ય અને જનપદનો અડધો ભાગ આપી દે તો હું સેચનક ગંધહસ્તી અને અઢારસરો હાર સહિત વેહલકુમારને (હલ્લ–વિહલ્લો) સોંપી દઉં. ત્યારપછી ચેટક રાજા દ્વારા વિદાય કરાયેલો તે દૂત ચાર ઘંટાવાળા અશ્વરથને પર આરૂઢ થઈને નીકળ્યો, વૈશાલીની વચ્ચોવચ્ચેથી નીકળીને વચ્ચે-વચ્ચે વિશ્રામ લેતા–લેતા – યાવત્ – કોણિક રાજાની સમક્ષ ઉપસ્થિત થયો અને કહ્યું, હે સ્વામી ! ચેટક રાજાએ આ પ્રમાણે ઉત્તર આપેલ છે. કૂણિક રાજાએ બીજી વખત પણ દૂતને કહ્યું કે, તું પુનઃ વૈશાલીનગરી જા. ત્યાં મારા નાના (માતામહ) ચેટકરાજાને – યાવત્ – આ પ્રમાણે નિવેદન કર – હે સ્વામી ! કૂણિક રાજા આ પ્રાર્થના કરે છે કે, જે કોઈ રત્ન પ્રાપ્ત થાય છે તે સર્વે રાજકુલાનુગામી હોય છે. શ્રેણિક રાજાએ રાજ્યશાસન અને પ્રજાપાલન કરતા બે રત્ન પ્રાપ્ત કર્યા. તેથી રાજકુળ પરંપરાગત સ્થિતિ મર્યાદાનો ભંગ ન કરતા તે સેચનક હાથી અને અઢારસરો હાર પાછો કોણિક રાજાને આપી દો. તેમજ વેહલકુમારને (હલ અને વિહલકુમારને) પાછા મોકલી દો. ત્યારપછી તે દૂતે કોણિક રાજાની આજ્ઞાને સાંભળી, તે વૈશાલી ગયો અને કોણિક રાજાની વિજ્ઞતિનું નિવેદન કર્યું, ત્યારે ચટક રાજાએ તે દૂતને પહેલા આપ્યો હતો તે જ ઉત્તર આપ્યો. ત્યારે દૂતે ચંપાનગરી જઈને કોણિક રાજાને અભિનંદન કરીને ચટક રાજાએ આપેલો ઉત્તર કહી સંભળાવ્યો. ત્યારે કૂણિક રાજા તે દૂત દ્વારા ચેટકરાજાએ આપેલ ઉત્તર સાંભળીને અને સમજીને ક્રોધાભિભૂત થઈને – યાવત્ – દાંતોને કચકચાવી પુનઃ ત્રીજી વાર દૂતને બોલાવ્યો – તું વૈશાલી જા, ત્યાં ડાબા પગે પાદપીઠને ઠોકર મારીને ચેટકરાજાને ભાલાની ધાર પર રાખીને આ પત્ર આપજે. પત્ર દઈને ક્રોધિત – યાવત્ – કચકચાવીને, ભૃકુટી તાણીને, કપાળમાં ત્રણ સળ પાળીને ચટક રાજાને કહેજે ઓ! અપ્રાર્થિતને પ્રાર્થિત કરનારા ! નિર્ભાગી – યાવતું – નિર્લજ્જ ચેટક રાજા! કોણિક રાજા આ આદેશ આપે છે કે કૂણિક રાજાને સેચનક હસ્તિ, અઢારસરો હાર પાછો આપો અને વેહલકુમાર (હલ અને વિહલકુમાર)ને મોકલો અથવા યુદ્ધને માટે સજ્જ થઈ જાઓ. કોણિક રાજા બળ–વાહન અને સૈન્યની સાથે યુદ્ધ સજ્જિત થઈને જલ્દી આવી રહ્યો છે. ત્યારે તે દૂત પૂર્વોક્ત પ્રકારે કોણિક રાજાની આજ્ઞા સ્વીકારીને વૈશાલીનગરી પહોંચ્યો. તેણે બંને હાથ જોડી, વધાઈ આપીને કહ્યું કે, આ તો મારા વિનયપ્રતિપતિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy