________________
શ્રાવક કથા
૧૫૭
આ પ્રમાણે વિચાર-વિમર્શ કરીને કોઈ સમયે અંતઃપુર અને પરિવારને લઈને, ધનસંપત્તિ આદિ ગૃહસ્થ સંબંધી ઉપકરણો લઈને તે રાજગૃહથી નીકળ્યો. નીકળીને જ્યાં ચંપાનગરી હતી ત્યાં આવ્યો. ત્યાં પરંપરાગત ભોગોને ભોગવતો કેટલાંક સમય બાદ શોક–સંતાપરહિત થયો. ચંપાને જ પોતાની રાજધાની બનાવી.
ત્યારપછી તે કૂણિક રાજાએ કોઈ દિવસે કાલ–સુકાલ આદિ દશ રાજકુમારોને બોલાવ્યા અને રાજ્ય, રાષ્ટ્ર, બળ (સેના), વાહન–રથ આદિ, કોશ, ધનસંપત્તિ, ધાન્ય, અંતઃપુર, જનના અગિયાર ભાગ કર્યા. ભાગ કરીને તે બધાં સ્વયં પોતપોતાની રાજ્યશ્રીનો ભોગ કરતા, પ્રજાનું પાલન કરતા વિચારવા લાગ્યા. ૦ હલ્લ–વિઘ–ચેટક રાજા સાથે યુદ્ધ :
તે ચંપાનગરીમાં શ્રેણિક રાજાના પુત્ર, ચેલાણા દેવીના આત્મજ અને કૂણિક રાજાનો નાનો ભાઈ વેહલ રાજકુમાર હતો. (આવશ્યક સૂત્ર મુજબ હલ અને વિહલ બંને રાજકુમારો હતા) તે સુકુમાર – યાવત્ – રૂપ-સૌંદર્યશાળી હતા. પૂર્વે જણાવ્યા મુજબ શ્રેણિક રાજાએ વેહલકુમારને સેચનક નામે ગંધહસ્તી અને અઢારસરો હાર આપેલા હતા. (આ અભિપ્રાય નિરયાવલિકાનો છે, આવશ્યક સૂત્ર મુજબ હલને હાથી અને વિહલ્લને અઢારસરો હાર આપેલા હતા.)
તે વેહલકુમાર (હલ અને વિહa) અંતઃપુર પરિવારની સાથે સેચનક ગંધહસ્તી પર આરૂઢ થઈને ચંપાનગરીની વચ્ચોવચ્ચ થઈને નીકળતા અને સ્નાન કરવાને માટે વારંવાર ગંગાનદીમાં ઉતરતા હતા. પોતાના ભવનોમાં, ઉદ્યાનોમાં અને પુષ્કરિણીઓમાં ક્રીડા કરતા હતા. તે હાથી પણ અંતઃપુરની સ્ત્રીઓ સાથે ક્રીડા કરતો. તે સેચનક હાથી રાણીઓને સૂંઢ વડે પકડતો, પકડીને કોઈને પીઠ પર બેસાડતો, કોઈને સ્કંધ પર બેસાડતો, કોઈને ગંડ સ્થળ પર બેસાડતો, કોઈને મસ્તક પર તો કોઈને દાંત–મૂશલ પર બેસાડતો. કોઈને મૂંઢમાં લઈ ઝૂલાવતો, કોઈને દાંતોની વચ્ચે લેતો, કોઈને ફૂવારાથી નવડાવતો. કોઈ—કોઈને અનેક પ્રકારની ક્રીડા કરાવતો હતો.
ત્યારે ચંપાનગરીના શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચતૂરો, મહાપથો અને સામાન્ય પથો પર ઘણાં લોકો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહેતા હતા, બોલતા હતા, પ્રજ્ઞાપના કરતા હતા, પ્રરૂપિત કરતા હતા કે, હે દેવાનુપ્રિયો ! અંતઃપુર પરિવારની સાથે વેહલકુમાર (સેચનક ગંધહસ્તી દ્વારા અનેક પ્રકારની ક્રીડાઓ કરતા હતા. વાસ્તવમાં વેહલકુમાર જ (હલ અને વિપુલ જ) રાજલક્ષ્મીના સુંદર ફળને અનુભવી રહ્યા છે.
તે પદ્માવતી રાણી તેમને જોતી, નગરના મધ્યભાગથી તે હુલ્લ–વિહલ્લ હાર અને કુંડલસહિત, દેવદૂષ્યથી વિભૂષિત થઈને ઉત્તમ હસ્તિના સ્કંધ પર જોઈને પદ્માવતીને ઘણો જ ખેદ થયો.
ત્યારે પદ્માવતીદેવી તે જોઈને અને પ્રજાજનોના કથનને સાંભળીને આવો સંકલ્પ – થાવત્ – વિચાર ઉત્પન્ન થયો કે નિશ્ચયથી વેહલકુમાર (હલ અને વિહલકુમાર) સેચનક ગંધતિ દ્વારા – યાવતું – અનેક પ્રકારની ક્રીડાઓ કરી રહ્યા છે. તેથી ખરેખર તેઓ રાજ્યશ્રીના ફળને ભોગવી રહ્યા છે. કૂણિક રાજા નથી ભોગવતા તો અમારું આ રાજ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org