________________
૧૫૬
આગમ કથાનુયોગ-૫
કે, દેવતા સ્વરૂપ અને ગુરુજન જેવા અત્યંત સ્નેહાનુરાગથી અનુરક્ત મારા જ પિતા શ્રેણિક રાજાને બંધનમાં બાંધ્યા. હવે હું જાઉં અને સ્વયં જ શ્રેણિક રાજાની બેડીઓ કાપીને બંધનમુક્ત કરું. આ પ્રમાણે કહીને તે હાથમાં કુહાડી લઈને જ્યાં કારાગૃહ હતું તે તરફ જવાને માટે ઉદ્યત્ થયો. (આ અભિપ્રાય નિરયાવલિકા આગમનો છે, આવશ્યક આગમ પ્રમાણે તે લોઢાનો દંડ લઈને નીકળ્યો)
- શ્રેણિક રાજાએ કોણિકને હાથમાં કુહાડી (લોહદંડ) લઈને પોતાની તરફ આવતો જોયો. ત્યારે રક્ષપાલકો સ્નેહથી (કરણાથી) બોલ્યા કે આ પાપી (કોણિક) લોહદંડ લઈને આવી રહ્યો છે. શ્રેણિક રાજાએ પણ મનોમન વિચાર્યું કે, આ મારું ખરાબ ઇચ્છનારો – યાવત્ – કુલક્ષણ, અભાગીયો, કાળી ચૌદશની પેદાશ, લોકલાજ રહિત નિર્લજ્જ કોણિકકુમાર હાથમાં કુહાડી લઈને આવી રહ્યો છે. ખબર નહીં હવે તે મને કેવા કુમોતથી મારશે ! આવા વિચારથી શ્રેણિક રાજા ભયભીત, ત્રસ્ય, ભય–સંભ્રાંત, ઉદ્વિગ્ન અને ભય વડે આક્રાંત થઈ ગયો. તેણે તાલપુટ વિષને મુખમાં નાખી દીધું.
ત્યારપછી તાલપુટ વિષે મુખમાં નાખવાના કારણે મુહર્તાન્તર પછી – થોડી જ વારમાં તે વિષ તેના શરીરમાં વ્યાપી ગયું, જેનાથી તે શ્રેણિક રાજા નિપ્રાણ, નિર્જીવ અને નિશેષ્ટ થઈ ગયો – યાવત્ – તે મૃત્યુ પામ્યો. ૦ શ્રેણિકનું નીરણ – કોણિકનું ચંપાનગરી ગમન :
ત્યારપછી તે કોણિક રાજા જ્યારે કારાવાસમાં પહોંચ્યો, ત્યારે તેણે શ્રેણિક રાજાને નિષ્માણ, નિચેષ્ટ, નિર્જીવ – યાવત્ – મૃત જોયા. ત્યારે તે દુસ્સહ, દુર્હર્ષ પિતૃશોકથી વિલાપ કરતો, કુહાડી વડે કપાયેલા ચંપકવૃક્ષની માફક પછાડ ખાઈને પૃથ્વી પર પડી ગયો. કેટલીક ક્ષણો બાદ કૂણિક રાજા આશ્વસ્ત થયો. પછી રડતો-આઝંદન કરતો, શોક અને વિલાપ કરતો કહેવા લાગ્યો કે, મેં અધન્ય, પુણ્યહીન, પાપી અને અભાગીઆએ આ અકાર્ય કર્યું, મારા દેવતારૂપ, અત્યંત સ્નેહાનુરાગયુક્ત એવા પિતા શ્રેણિકને કારાગૃહમાં, બંધનમાં નાંખ્યા, મારા કારણે જ મારા પિતા મૃત્યુ પામ્યા. તે ઘણો જ ખેદ પામ્યો.
ત્યારપછી ઐશ્વર્યશાળી પુરષો, તલવરો, માડંબિકો, કૌટુંબિકો, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિઓ, મંત્રી, ગણક, દ્વારપાળ, અમાત્ય, ચેટ, પીઠમર્દક, નાગરીક, વ્યવસાયી, દૂત, સંધિપાલ સાથે અભ્યદય – ઋદ્ધિપૂર્વક રાજા શ્રેણિકનું નીરણ કાર્ય કર્યું, અગ્નિ સંસ્કાર કર્યો. મૃતક સંબંધી લૌકિક કૃત્યો કર્યા. ઘેર પાછો ફર્યો
ત્યારપછી તે કૂણિક રાજા આ મહા મનોગત માનસિક દુઃખથી અતીવ દુઃખી થઈને અમાત્ય સાથે વિચારવા લાગ્યો કે, હવે આ રાજ્ય નાશ પામશે – આ પ્રમાણે તાંબાના પતરે લખીને અસરોને જીર્ણ કર્યા. પછી પિતૃકાર્ય કર્યું, પિંડદાનાદિ કર્યા, વિસ્તાર કર્યો. ત્યારપછી પિંડનિવેદના માટે પ્રવૃત્ત થયો. એ પ્રમાણે કાળ વ્યતીત થતા શોકરહિત થયો. તેને થયું કે હું ફરી–ફરી પિતાના સ્વજન અને પરિભોગ જોઈશ તો સતત વ્યથિત થતો રહીશ. તેથી મારે અહીંથી નીકળી જઈને ચંપાનગરીને મારી રાજધાની બનાવવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org