________________
શ્રાવક કથા
૧૫૫
ઉદાયિકુમાર હતો, કોણિક રાજા જમવા માટે બેઠો ત્યારે તે ઉદાયિને ખોળામાં બેસાડેલ હતો. તે વખતે તે બાળઉદાયિકુમારે ભોજનની થાળીમાં મૂત્ર (પેશાબ) કર્યો ત્યારે કોણિકે સહેજ પણ ચલિત થયા વિના કે પુત્રનો દોષ વિચાર્યા વિના જેટલામાં તે બાળકનું મૂત્ર પડેલ તેટલા ભાત તે એક તરફ કરીને કોણિક ભોજન કરવા લાગ્યો. ત્યારે કોણિકે માતાને પૂછયું કે, હે માતા ! શું જગતમાં એવો કોઈ બીજો પુરુષ હશે કે જેને મારા જેટલો આવો પુત્ર પ્રેમ હોઈ શકે ? ૦ ચેલણા દ્વારા શ્રેણિકના પુત્ર પ્રેમનું નિરૂપણ :
(ઉપરોક્ત મુદ્દામાં બે અલગ આગમોની બે અલગ વિચારધારા નિરપિત કરી –
(૧) ચેલણા અને કોણિકના સંવાદમાં કોણિકનો પ્રશ્ર – કે મારા પિતાને મારા પરત્વે અનુરાગ કઈ રીતે હોઈ શકે ?- “નિરયાવલિકા સૂત્ર–૧૫"
(૨) કોણિકનો ઉદાયિપુત્રનો પરત્વેનો પ્રેમ અને ચેલણાને પ્રશ્ન કે – મારે છે તેવો પુત્ર પ્રેમ જગતમાં બીજા કોઈને હોઈ શકે ? – “આવ.નિ. ૧૨૮૪ની વૃત્તિ".
કોણિકની આ વાત સાંભળીને ચેલ્લાદેવીએ પ્રત્યુત્તર આપતા કહ્યું કે, હે પુત્ર ! (સાંભળ, પુત્ર પ્રેમ કેવો હોય !) –
જ્યારે તું મારા ગર્ભમાં આવ્યો, તેને ત્રણ માસ પુરા થયા. ત્યારે મને એવો દોહદ ઉત્પન્ન થયો કે, તે માતા ધન્ય છે – યાવત્ – તારા પિતાનું માંસ ખાધુ – કાવત્ – જન્મતાં જ તને મેં ઉકરડામાં ફેંકાવી દીધો ઇત્યાદિ પૂર્વવત્ જાણવું.
- તારી આંગળીમાંથી ત્યારે લોહી, પર, કૃમિ નીકળતા, તું વેદનાથી પીડિત થઈને જોર-જોરથી રડતો. ત્યારે તારા પિતા શ્રેણિક રાજા તારી તે આંગળીને પોતાના મુખમાં લઈને ફર્યા કરતા, તારા લોહી અને પરુને ચુસી લેતા હતા. ત્યારે તું શાંત થતો, વેદનારહિત થતો. જો તેણે તેમ ન કર્યું હોત તો તું રડી–રડીને મરી ગયો હોત. ઇત્યાદિ સર્વ વૃત્તાંત કહ્યો. પછી ચેલ્લણાએ કહ્યું કે, તે કારણથી મેં તને કહ્યું કે, શ્રેણિક રાજા તારા પ્રત્યે અતીવ સ્નેહાનુરાગ યુક્ત હતા.
ત્યારે કોણિક રાજા મૃદુચિત્તવાળો થયો. (કુણો પડ્યો) પછી ચેલણા માતાને પૂછયું, તો પછી મને ગોળના લાડવા કેમ મોકલતા હતા? ચેલણાએ કહ્યું, તે મારું કૃત્ય હતું (તારા પિતાનું નહીં). કેમ કે તું સદા પિતાનો વૈરી હતો. પછી તેણીએ ગર્ભમાં કોણિક આવ્યો ત્યારથી આરંભને સર્વ વૃત્તાંત પૂર્વવત્ જણાવ્યું. તો પણ તારા પિતા તારાથી કદાપી વિરક્ત થયા ન હતા. એવા પિતાને તે કષ્ટમાં પાડેલા છે. માટે જ હું વ્યથિત – થાવત્ – ઉદાસીન રહું છું.
આ વાત સાંભળીને કોણિકને અરતિ થઈ. વ્યથિત થયો. ૦ કોણિકનો પશ્ચાત્તાપ અને શ્રેણિકની આત્મહત્યા :
કોણિક રાજાએ ચેલણા રાણીના આ કથનને સાંભળીને અને સમજીને ઘણી જ વ્યથા જન્મી. તેણે ચેલણા માતાને કહ્યું કે, હે માતા ! મેં ઘણું જ ખોટું કર્યું, અકાર્ય કર્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org