________________
૧૫૪
આગમ કથાનુયોગ-૫
વિતાવવા લાગ્યો.
ત્યારપછી શ્રેણિક રાજાના અવસરો – યાવત્ – મર્મોને જાણી ન શકવાને લીધે કૂણિકકુમારે એક દિવસ કાલ–સુકાલ આદિ દશકુમારો (શ્રેણિકની કાલિ–સુકાલિ આદિ રાણીના પુત્રો)ને પોતાના ઘેર નિમંત્રિત કર્યા. તેઓની સાથે મંત્રણા કરી કે શ્રેણિક રાજાને કારણે આપણે સ્વયં રાજશ્રીનો ઉપભોગ અને રાજ્યનું પાલન કરી શકતા નથી. તેથી હું દેવાનુપ્રિયો ! આપણે માટે એ શ્રેયસ્કર થશે કે શ્રેણિક રાજાને બંધનમાં નાંખીને આપણે લોકો સ્વયં રાજ્યશ્રીનો ઉપભોગ કરીએ, રાજ્યનું પાલન કરીએ.
કૂણિકે જ્યારે તે દશેકુમારોને આ વાત કરી કહ્યું કે, આપણે શ્રેણિક (પિતા)ના રાજ્યના અગિયાર ભાગ કરીશું. તમને બધાને તમારો એક–એક ભાગ આપી દઈશ
ત્યારે કોણિકના આ કથન સાથે સંમત થઈ કાલ–સુકાલ આદિ દશેકુમારોએ તેના આ વિચારને વિનયપૂર્વક સ્વીકાર કર્યો. પછી કોઈ સમયે કૂણિકકુમારે શ્રેણિક રાજાના ખાનગી રહસ્યને જાણીને શ્રેણિક રાજાને બંધનમાં નાંખી દીધા. પછી મહાનું રાજ્યાભિષેક વડે પોતાનો અભિષેક કરાવ્યો. પોતે રાજા બની ગયો. કાલ–સુકાલ આદિ દશે રાજકુમારોને પણ રાજ્યભાગ આપી દીધો. શ્રેણિકને રોજ કોરડાથી ૧૦૦ ફટકા મારવા લાગ્યો. પોતાની માતા ચેલણાને પણ પિતા પાસે જવા દેતો ન હતો. ભોજન–પાણી પણ આપતો ન હતો. ચેલણા ગમે તે રીતે જઈને અળદ બાફીને આપી આવતી ઇત્યાદિ. ૦ ચેaણાની ઉદાસિનતા અને કોણિકનો પુત્રપ્રેમ :
સ્થાનાંગ સૂત્ર–૮૭૦માં તથા તેની વૃત્તિમાં જણાવ્યા પ્રમાણે તેમના શાસનમાં નવ જીવોએ તીર્થકર નામકર્મ બાંધ્યું. તેમાં ત્રીજું નામ ઉદાયિનું આવે છે.)
આ ઉદાયિ રાજકોણિકનો પુત્ર હતો. કોઈ દિવસે તે કોણિક રાજા સ્નાન કરીને, બલિકર્મ કરીને, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરીને પછી અવસરને યોગ્ય શુદ્ધ અને માંગલિક વસ્ત્રો પહેરીને, સર્વ અલંકારોથી અલંકૃત્ થઈને ચેલણાદેવીના ચરણની વંદનાર્થે પહોંચ્યો. તે સમયે કૂણિક રાજાએ ચેલણાદેવીને ચિંતાગ્રસ્ત જોયા. ચેલણાદેવીને પૂછયું કે, એવી શું વાત છે કે, તમારા ચિત્તમાં સંતોષ, ઉત્સાહ, હર્ષ અને આનંદ નથી કે હું પોતે રાજ્યશ્રીનો ઉપભોગ કરતા – યાવતુ – સમય વિતાવી રહી છું ?
ત્યારે ચેaણાદેવીએ કૂણિક રાજાને કહ્યું કે, હે પુત્ર ! મને સંતોષ, ઉત્સાહ, હર્ષ અથવા આનંદ કઈ રીતે થઈ શકે, જયારે તે તારા દેવતા સ્વરૂપ, ગુરુજન જેવા, અત્યંત નેહાનુરાગ યુક્ત પિતા શ્રેણિક રાજાને બંધનમાં નાંખીને તારો પોતાનો રાજ્ય અભિષેકથી અભિષેક કરાવ્યો છે.
ત્યારે કૃણિક રાજાએ ચેલણાદેવીને કહ્યું કે, હે માતા ! શ્રેણિક રાજા તો મારો ઘાત કરવાને ઇચ્છુક હતા. હે માતા શ્રેણિક રાજા તો મને મારી નાંખવા માંગતા હતા, બંધનમાં નાંખવા ઇચ્છતા હતા અને નિર્વાસિત કરવા માંગતા હતા, તો પછી હે માતા ! એમ કેમ માનવું કે શ્રેણિકરાજાને મારા પ્રત્યે અતીવ સ્નેહાનુરાગ હતો ?
તેવામાં અન્ય કોઈ દિવસે કોણિક રાજા અને પદ્માવતીદેવીનો નાનો પુત્ર (ઉક્ત)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org