SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર આગમ કથાનુયોગ-૫ ત્યારે ચેલ્લાદેવી શ્રેણિક રાજાના આ આદેશને સાંભળીને લજ્જિત, પ્રતાડિત અને અપરાધિની જેવી થઈને, બંને હાથ જોડીને શ્રેણિક રાજાની આજ્ઞા વિનયપૂર્વક સ્વીકારી અને અનુક્રમે તે બાળકની દેખરેખ, લાલન-પાલન કરતી તેને મોટો કરવા લાગી. ૦ બાળકનું નામકરણ : –૦- અશોકચંદ્ર – (આવશ્યક નિર્યુક્તિ-૧૨૮૪ની વૃત્તિ + આવ યૂ.) રાજાને પુત્ર જન્મનો વૃત્તાંત કહ્યો. તે સાંભળી શ્રેણિકરાજા સંતુષ્ટ થયો. પણ દાસીએ તે પુત્રને અશોકવાટિકામાં ત્યજી દીધો. રાજાને તે વાત કોઈએ જણાવી, ત્યારે તે ત્યાં આવ્યો. ચેલણાને કહ્યું કે, તે તારા પ્રથમ પુત્રનો ત્યાગ કેમ કર્યો ? પછી તે અશોકવાટિકામાં ગયો. ત્યાં તે બાળક જીવતો હતો. ત્યારે અશોકવાટિકામાં થયેલા પ્રકાશને લીધે તેનું અશોકચંદ્ર એવું નામ રાખ્યું. – – કૂણિક – (નિયાવાલિકા સૂત્ર-૧૩, આવશ્યક પૂર્ણિ–ર–પૃ. ૧૬૭) એકાંત ઉકરડામાં ફેંકી દેવાયો હોવાને કારણે તે બાળકની આંગળીના આગળનો ભાગ મુરઘાએ ચાંચ વડે કરડી ખાધેલ હતો, તેના કારણે તે આંગળીમાંથી વારંવાર ખૂન અને પરુ વહેતું રહેતું હતું. તેની વેદનાને કારણે તે બાળક મોટેમોટેથી રડતો હતો. તે બાળકનું રૂદન સાંભળીને અને સમજીને શ્રેણિક રાજા બાળકની પાસે આવતો અને તેને ખોળામાં લેતો હતો. લઈને તેની આંગળીને મોઢામાં લેતો અને તે લોહી તથા પરુને મોઢામાં લઈને ચૂસી લેતો હતો, તેમ કરવાથી તે બાળકને શાંતિનો અનુભવ થતો અને તે શાંત થઈ જતો હતો. આ પ્રમાણે જ્યારે જ્યારે પણ તે બાળક વેદનાને કારણે જોરજોરથી રડવા લાગતો હતો, ત્યારે ત્યારે શ્રેણિક રાજા એ જ પ્રમાણે ચૂસતો – યાવત્ – તેની વેદના શાંત થઈ જવાથી તે ચૂપ થઈ જતો હતો. ત્યારપછી તે બાળકના માતાપિતાએ ત્રીજે દિવસે ચંદ્ર-સૂર્ય દર્શનનું સંસ્કરણ કર્યું – યાવત્ – અગિયારમાં દિવસ પછી બારમા દિવસે આ પ્રમાણે તેનું ગુણ નિષ્પન્ન નામકરણ કર્યું કે આ બાળકનું નામ “ફૂણિક” થાઓ. (આવશ્યક નિર્યુક્તિ-૧૨૮૪ની વૃત્તિ મુજબ-) કુકડાના પિછાના ખૂણાથી (છો વડે) તે બાળકની આંગળી વિદ્ધ થયેલી હતી. તે આંગળી સુકુમાલ હોવાથી વિકાસ પામી ન હતી, પણ થોડી વક્ર થઈ ગયેલી. તે કારણે તે બાળકનું નામ કૂણિક એવું રાખવામાં આવ્યું. –૦- કોણિક – (વ્યવહાર પ્રસિદ્ધ નામ-) વ્યવહારમાં શ્રેણિક રાજાના પુત્ર કે જેનું અશોકચંદ્ર/અશોકચંદ્રક કૂણિક નામ છે તે કોણિકરૂપે પ્રસિદ્ધ થયેલ છે. એટલું જ નહીં આ કોણિક નામનો ઉલ્લેખ કોણિકરૂપે જ ભગવતી સૂત્ર–૩૭૨ થી ૩૭૪માં, નાયાધમકામાં સૂત્ર–૩માં ઇત્યાદિ આગમોમાં પણ વિવિધ સ્થાને જોવા મળે છે. –૦- વિદેહપુત્ર – (ભગવતી સૂત્ર–૨૨) કોણિકને માટે વિદેહપુત્ર એવો ઉલ્લેખ પણ મહાશિલાકંટક સંગ્રામમાં ભગવતીજીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy