________________
શ્રાવક કથા
૧૪૯
પરંતુ આ અયોગ્ય અને અનિષ્ટ દોહદ પૂર્ણ ન થવાથી તે ચેલણાદેવી શુષ્ક, પીડિત, માંસરહિત, જીર્ણ ને જીર્ણ શરીરવાળી થઈ ગઈ, નિસ્તેજ, દીન, વિમનસ્ક જેવી થઈ ગઈ, વિવર્ણમુખી, નેત્ર અને મુખકમળને નમાવીને યથોચિત પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારોનો ઉપભોગ કરતી ન હતી, તેણી મુરઝાયેલી, આહત મનોરથા – યાવત્ – ચિંતા શોકસાગરમાં નિમગ્ન થઈ ગઈ. હથેલી પર મુખ રાખીને આર્તધ્યાનમાં ડૂબી ગઈ. ત્યારે ચેલણાદેવીની અંગપરિચારિકાઓએ ચેલણા દેવીને સૂકાઈ ગયેલી, ભૂખથી ગ્રસ્ત – યાવત્ – ચિંતિત જોઈ.
ત્યારે તે પરિચારિકાઓએ શ્રેણિક રાજાની પાસે પહોંચી. તેમણે બંને હાથ જોડી, મસ્તકે અંજલિ કરીને શ્રેણિક રાજાને કહ્યું, હે સ્વામી ! ખબર પડતી નથી કે કયા કારણથી ચેલણાદેવી શુષ્ક, બુભૂતિ જેવી થઈને – યાવત્ – આર્તધ્યાનમાં ડૂબી ગયેલી છે.
શ્રેણિક રાજા તે અંગપરિચારિકાઓની આ વાતને સાંભળીને અને સમજીને આકુળ–વ્યાકુળ થતો ચેલણાદેવીની પાસે આવ્યો. ચેલણાદેવીને સૂકાયેલી, ભૂખથી પીડિત જેવી – યાવત્ – આર્તધ્યાન કરતી જોઈને બોલ્યો, હે દેવાનુપ્રિયે ! તું કેમ સૂકાયેલા શરીરવાળી, ભૂખી જેવી – યાવતુ – ચિંતાગ્રસ્ત થયેલી છો? પણ ચેલણાદેવીએ શ્રેણિક રાજાના આ પ્રશ્નનો આદર કર્યો નહીં. તે ચુપચાપ બેઠી રહી.
ત્યારે શ્રેણિક રાજાએ ફરી બીજી વખત અને ત્રીજી વખત પણ આ જ પ્રશ્ન ચલ્લણાદેવીને પૂછયો અને કહ્યું, હે દેવાનુપ્રિયે ! શું હું આ વાત સાંભળવાને યોગ્ય નથી. જેથી તું મારાથી છુપાવી રહી છો ? ચેલ્લાદેવીએ શ્રેણિકરાજાને કહ્યું, હે સ્વામી! વાત એમ છે કે, તે ઉદાર – યાવત્ – મહાસ્વપ્નને જોયા પછી ત્રણ માસ પૂર્ણ થયા પછી મને આવા પ્રકારનો દોહદ ઉત્પન્ન થયો કે, તે માતાઓ ધન્ય છે, જે આપની ઉદરાવલિના શૂલ પર સેકાયેલ – યાવત્ – માંસ દ્વારા તથા મદિરા દ્વારા પોતાનો દોહદને પૂર્ણ કરે છે. પરંતુ હે સ્વામી ! તે દોહદને પૂર્ણ ન કરી શકવાને કારણે હું શુષ્ક શરીરી, ભૂખી જેવી – યાવતું – ચિતિત થઈ છું. ૦ ચેલણાના દોહદને પૂર્ણ કરવામાં અભયકુમારની બુદ્ધિ :--
ત્યારે શ્રેણિક રાજાએ ચેaણાદેવીની તે વાતને સાંભળીને તેણીને આશ્વાસન આપતા કહ્યું કે, હે દેવાનુપ્રિયે ! તું હતોત્સાહ અને ચિંતિત ન થા. હું કોઈ એવો ઉપાય કરીશ જેનાથી તારા દોહદની પૂર્તી થઈ શકશે. આ પ્રમાણે કહીને ચેલણાદેવીને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ, પ્રભાવક, કલ્યાણપ્રદ, શિવ, ધન્ય, મંગલરૂપ મૃદુ વાણીથી આશ્વસ્ત કરી.
તે ચેલણાદેવીની પાસેથી નીકળીને બાહ્ય સભાભવનમાં ઉત્તમ સિંહાસનની પાસે આવ્યો આવીને પૂર્વાભિમુખ થઈને બેઠો તે દોહદની સંપૂર્તિને માટે આયથી, ઉપાયથી, ઔત્પાતિકી, વૈનાયિકી, કાર્મિકી, પારિણામિકી બુદ્ધિઓથી વારંવાર વિચાર કરતો પણ તેના આય–ઉપાય, સ્થિતિ અને નિષ્પતિને સમજી ન શકવાથી ઉત્સાહહીન – યાવત્ – ચિંતાગ્રસ્ત થઈ ગયો.
આ તરફ અભયકુમાર સ્નાન કરીને – યાવતું – પોતાના શરીરને અલંકૃત્ કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org