________________
શ્રાવક કથા
૧૪૭
અણગારને નિર્દોષ આહાર પાણીથી પ્રતિલાભિત કરીને મનુષ્યાયનો બંધ કર્યો. મૃત્યુ પામીને મહાચંદ્રકુમાર થયા. કથા જુઓ “મહાચંદ્ર શ્રમણ".
– ૪ – ૪ – ૦ વિમલવાહન રાજા કથા :
શતકાર નામે નગર હતું, ત્યાં વિમલવાહન રાજા હતો. કોઈ વખતે ધર્મરુચિ અણગારને આવતા જોઈને ઉત્કટ ભક્તિભાવપૂર્વક નિર્દોષ આહારનું દાન કરીને પ્રતિલાભિત કર્યા. શુભ મનુષ્યાયનો બંધ કર્યો. મૃત્યુ પામીને તે વરદત્તકુમાર થયા. કથા જુઓ વરદત્ત શ્રમણ',
– ૪ – ૪ – ૦ સુમુખથી વિમલવાહન પર્વતના દશે શ્રાવકની કથાના–આગમ સંદર્ભો આગમ સંદર્ભ :વિવા. ૩૭ થી ૪૬;
૦ કોણિક શ્રાવક કથા :
(શ્રાવકોની કથા મૂળ આગમના ક્રમાનુસાર ચાલી રહી છે. કોણિક રાજાનું વર્ણન “ઉવવાઈ” સૂત્રમાં વિસ્તારથી છે. અનેક સ્થાને સંદર્ભરૂપે “નહીં જૂનિ" કરીને તેનો ઉલ્લેખ પણ થાય છે. તે પણ “ઉવવાઈ” – સૂત્રાનુસાર જ થાય છે. તેથી અમે આ કથા આગમ ક્રમાનુસાર અહીં લીધેલી છે.)
(જો કે રાજા કૂણિકની કથા ફક્ત “ઉવવાઈમાં જ નથી, અન્ય આગમોમાં પણ તેની કથા અને ઉલ્લેખો આવે જ છે. આ આગમ સંદર્ભો આ પ્રમાણે છે–).
૦ કોણિકની કથાના આગમ સંદર્ભો :ઠા. ૮૭૦ + , ભગ. ૩૭ર થી ૩૭૪, ૫૮૮;
નાયાં. ૩, ૫, અંત. ૪૮, ૫૦; પપ્પા ૧; ઉવ ૧ થી ૧૩, ૨૮ થી ૩૪, ૪૨, ૪૩; નિર. ૫, ૧૩ થી ૨૦; કપૂ. ૧, ૨;
વવ.ભા. ૪૩૬૦, ૪૩૬૧ + : દસા૫૪; જીય.ભા. ૪૮૦;
આવ નિ ૯૫૧, ૧૨૮૪ની , આવ રૃ.૧–. ૪૫૫, પ૬૭; ર–પૃ ૧૬૬ થી ૧૭૭;
દસ ચૂ૫ ૫૧; –– ૪ – ૪ – ૦ કોણિકનો પૂર્વભવ :
એક પ્રત્યંત નગર હતું, ત્યાં જિતશત્રુ રાજાનો પુત્ર સુમંગલ હતો અને અમાત્યનો પુત્ર શ્રેણિક હતો (આવશ્યક નિર્યુક્તિ ૧૨૮૪ની વૃત્તિમાં સેણક નામ હતું તેમ જણાવેલ છે.) તે શ્રેણિકનું પેટ મોટું હતું. તેની મશ્કરી થતી, કોઈ તેને હાથ વડે મારતાં પણ ખરા. સુમંગલ તેને ઘણો દુઃખી કરતો હતો. તેનાથી કંટાળીને શ્રેણિકે બાલતપસ્વીપણે તાપસ દીક્ષા ગ્રહણ કરી.
ત્યારપછી સુમંગલ પણ રાજા થયો. કોઈ વખતે અવકાશ મળતા તે ફરવા નીકળેલો ત્યારે તેણે બાલતપસ્વી શ્રેણિકને જોયો. રાજા સુમંગલે તેને પૂછ્યું કે, તમે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org