________________
૧૪૬
આગમ કથાનુયોગ-પ
-
-
-
-
પામીને ભદ્રનંદી થયો. કથા જુઓ ભદ્રનંદી શ્રમણ.
– ૪ ––– ૪ – ૦ ઋષભદત્ત ગાથાપતિ કથા :
ઇષકાર નામે નગર હતું, ત્યાં ઋષભદત્ત નામે એક ગાથાપતિ રહેતો હતો. તેણે પુષ્પદત્ત સાગર અણગારને નિર્દોષ આહાર દાન આપ્યું, શુભ એવા મનુષ્યાનો બંધ કર્યો. મૃત્યુ પામીને સુજાતકુમાર થયો. કથા જુઓ “સુજાતકુમાર શ્રમણ".
૦ ધનપાલ રાજા કથા :
- કૌશાંબી નામે નગરી હતી. ત્યાં ધનપાલ નામે એક રાજા હતો. તેણે વૈશ્રમણભદ્ર નામક અણગારને નિર્દોષ આહારનું દાન કર્યું. તેના પ્રભાવથી મનુષ્યના આયુષ્યનો બંધ કર્યો. મૃત્યુ પામીને સુવાસવકુમાર થયા. કથા જુઓ “સુવાસવ કુમારશ્રમણ'.
– ૪ – ૪ – ૦ મેઘરથ રાજા કથા :
માધ્યમિકા નામે એક નગરી હતી. ત્યાં મેઘરથ નામે રાજા હતો. તેણે સુધર્મા અણગારને ભાવપૂર્વક નિર્દોષ આહારનું દાન કર્યું. મનુષ્યાયુનો બંધ કર્યો મૃત્યુ પામીને જિનદાસકુમાર થયા. કથા જુઓ “જિનદાસ શ્રમણ”. ૦ મિત્ર રાજા કથા :
મણિચયિકા નામે નગરી હતી. ત્યાં મિત્ર નામે રાજા હતો. તેણે સંભૂતિવિજય નામના અણગારને શુદ્ધ આહાર વડે પ્રતિલાભિત કર્યા. મૃત્યુ પામીને તે ધનપતિકુમાર થયો. કથા જુઓ “ધનપતિ શ્રમણ”.
૦ નાગદેવ ગાથાપતિ કથા –
મણિપુર નામે નગર હતું. ત્યાં નાગદેવ નામે ગાથાપતિ હતો. તેણે ઇન્દ્રદત્ત અણગારને નિર્દોષ આહાર દાનથી પ્રતિલાભિત કર્યા. તેના પ્રભાવે મનુષ્ય આયુનો બંધ કરીને મૃત્યુ પામીને મહાબલકુમાર થયા. કથા જુઓ મહાબલ શ્રમણ.
– – – ૦ ધર્મઘોષ ગાથાપતિ કથા :
મહાઘોષ નામે નગર હતું, ત્યાં ધર્મઘોષ ગાથાપતિ હતો. તેણે ધર્મસિંહ નામના મુનિને નિર્દોષ આહારથી પ્રતિલાભિત કર્યા. મનુષ્યાયનો બંધ કર્યો. મૃત્યુ પામીને ભદ્રનંદીકુમાર થયા. કથા જુઓ “ભદ્રનંદી શ્રમણ”.
૦ જિતશત્રુ રાજા કથા :
ચિકિત્સાનામક નગરી હતી. ત્યાં જિતશત્રુ નામે રાજા હતો. તેણે ધર્મવીર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org