SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૧૪૫ હાથ જોડી, નતમસ્તક થઈ, મસ્તકે આવર્ત કરી, અંજલિ જોડીને આ પ્રમાણે કહ્યું અરિહંતોને નમસ્કાર થાઓ – યાવત્ – સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત કરનારા સિદ્ધોને નમસ્કાર થાઓ – યાવત્ – પહેલા પણ મેં શ્રમણ ભગવંત મહાવીરની પાસે સ્થૂલ પ્રાણિતિપાન – યાવત્ – ઇચ્છા પરિમાણ વ્રતને સ્વીકારેલ છે. તો પણ હું ચાવજીવને માટે સર્વથા પ્રાણિતિપાતનું – યાવત્ સર્વથા પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરું છું – ૮ – ૮ – ચારે આહારનો ત્યાગ કરું છું. જો હું આ પ્રત્યાખ્યાનથી મુક્ત થાઉં તો મને આ પ્રત્યાખ્યાન પારવું કહ્યું – ૪ – ૪ – મુદૂગરપાણિ યક્ષ તેને કોઈ રીતે વિચલિત ન કરી શક્યો – ૪ – – – – યાવત્ – તે યક્ષ અર્જુન માળીનું શરીર છોડીને ચાલ્યો ગયો. ત્યારે સુદર્શન શ્રમણોપાસકે પોતાને નિરુપસર્ગ જાણીને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી – ૮ – – સુદર્શને અર્જુન માળીને આ પ્રમાણે કહ્યું, હું જીવ-અજીવ આદિનો જ્ઞાતા સુદર્શન નામે શ્રમણોપાસક છું. ગુણશીલ ચૈત્યમાં શ્રમણ ભગવંત મહાવીરના વંદનાર્થે જઈ રહ્યો છું – – ૮ – શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં અર્જુનમાળીની સાથે પહોંચ્યો, ભગવંતને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કર્યા, પર્થપાસના કરવા લાગ્યો. ૦ આગમ સંદર્ભઃઅંત. ૨૭; ઉત્ત.નિ. ૧૧૦ + : ૦ સુમુખ ગાથાપતિ આદિની કથા : આ પૂર્વે શ્રમણ વિભાગમાં સુબાહુકુમાર આદિ દશ શ્રમણોની કથા આવી ગયેલ છે. આ દશે શ્રમણો પૂર્વભવમાં ગાથાપતિ હતા, સાધુદાનના પ્રભાવે તેઓએ મનુષ્ય-આયુનામ કર્મ બાંધ્યું, પછી સુબાહુ આદિ કુમાર થઈ દીક્ષા લીધી, દેવલોકમાં ગયા – ત્યાં દર્શના પૂર્વભવોની કથા નોંધેલી જ છે. અહીં ફક્ત તેમના પૂર્વભવના શ્રાવકપણાનો ઉલ્લેખ માત્ર કરેલ છે.) ૦ સુમુખકુમાર ગાથાપતિ કથા : સુમુખકુમાર નામે એક ગાથાપતિ જેબૂદ્વીપ અંતર્ગતુ ભારતવર્ષમાં હસ્તિનાપુર નામના નગરમાં રહેતો હતો. તેણે શુદ્ધ દ્રવ્યથી તથા ત્રિવિધ અને ત્રિકરણ શુદ્ધિથી સ્વાભાવિક, ઉદારતા સરળતા અને નિર્દોષતાથી સુદત્ત અણગારને પ્રતિલાભિત કર્યા, પોતાના સંસારને પરિમિત કર્યો. મનુષ્ય આયુનો બંધ કર્યો – યાવત્ – મૃત્યુ પામીને સુબાહુકુમાર થયો. (આ કથા વિસ્તારથી જોવા માટે જુઓ કથા – સુબાહુકુમાર – શ્રમણવિભાગમાં) – ૮ – – ૦ વિજયકુમાર કથા : મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરીકિણી નામે નગરી હતી, ત્યાં વિજય નામે કુમાર હતો, તેણે યુગબાહુ તીર્થકરને પ્રતિલાભિત કર્યા – યાવત્ – મનુષ્પાયુનો બંધ કર્યો. મૃત્યુ v/ Jain ducation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy