________________
૧૪૪
આગમ કથાનુયોગ-૫
પાસે અંગીકાર કરેલ ધર્મપ્રજ્ઞપ્તિ અંગીકાર કરીને લેતિકાપિતા દ્વારા વિચરવું – ૪ – ૪ -- લેતિકાપિતાએ અગિયાર ઉપાસક પ્રતિમાને અંગીકાર કરવી – ૪ – ૪ – તેનું શરીર ક્ષીણ થવાથી અપશ્ચિમ ભારણાંતિક સંખના-ઝૂલણા સ્વીકાર કરીને, ભોજન–પાણીનો ત્યાગ કરીને મરણની આકાંક્ષા ન કરતા વિચરવું ઇત્યાદિ સર્વે વર્ણન આનંદશ્રાવક અને કામદેવ શ્રાવકની કથામાં નોંધ્યા પ્રમાણે જાણવું.
ત્યારે તે લેતિકાપિતા શ્રમણોપાસક અનેક શીલવ્રતો, ગુણવ્રતો, વિરમણો, પ્રત્યાખ્યાનો અને પૌષધોપવાસોથી આત્માને પરિમાર્જિત કરી વીસ વર્ષ પર્યત શ્રમણોપાસક પર્યાયનું પાલન કરી, એક માસની સંલેખના દ્વારા આત્માને શુદ્ધ કરી, અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરી, આલોચના અને પ્રતિક્રમણ કરી સમાધિપૂર્વક મરણ સમયે મૃત્યુ પામીને સૌધર્મકલ્પ અરૂણકીલ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં તેમની સ્થિતિ ચાર પલ્યોપમની થઈ – યાવત્ – તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, સંપૂર્ણ દુઃખોનો અંત કરશે.
૦ આગમ સંદર્ભ :ઉવા. ૩, ૫૮;
૦ સુદર્શન શ્રાવકની કથા -
(આ કથા શ્રમણ વિભાગમાં અર્જુન માળીની કથામાં આવી ગયેલ છે.) ૦ સુદર્શન શ્રાવક કથાસાર :
તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગરી હતી. તેમાં સુદર્શન નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તે ધનધાન્ય સંપન્ન હતો – યાવત્ – અપરાભૂત હતો. તે સુદર્શન જીવાજીવાદિ તત્ત્વોનો જ્ઞાતા એવો શ્રમણોપાસક હતો.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર – ૮ – – રાજગૃહનગરના ગુણશિલક ચૈત્યમાં પધાર્યા – ૮ – ૮ – ત્યારે ઘણાં લોકો પાસેથી સુદર્શને આ વૃત્તાંત જાણ્યો – ૪ – ૪ – તેણે વિચાર કર્યો કે હું શ્રમણ ભગવંત મહાવીરના વંદનાર્થે જઉં. આવો વિચાર કરીને તેણે માતાપિતાને વિનંતી કરી કે, હું શ્રમણ ભગવંત મહાવીરને વંદનાર્થે જઉ. – – ૮ –
ત્યારે માતાપિતાએ સુદર્શન શ્રેષ્ઠીને કહ્યું, હે પુત્ર ! મુદુગરપાણી યક્ષથી વશીભૂત થયેલો અર્જુનમાળી રાજગૃહની બહાર રોજ છ પુરુષો અને એક સ્ત્રીની હત્યા કરે છે. તેથી હે પુત્ર ! તું જઈશ નહીં. અન્યથા તારા શરીરને હાનિ પહોંચશે. – ૮ – ૮ – ૮ – એ રીતે માતાપિતાએ અનેક રીતે તેને સમજાવ્યો પણ જ્યારે તેઓ સમર્થ ન થયા ત્યારે કહ્યું કે, હે દેવાનુપ્રિય ! તને જેમ સુખ ઉપજે તેમ કર. – – –
સુદર્શન, શ્રમણ ભગવંત મહાવીરના વંદનાર્થે જવા ઉદ્યત થયો ત્યારે મુગર પાણી યક્ષે સુદર્શન શ્રમણોપાસકને જતા જોયો, જોઈને ક્રોધથી અભિભૂત થયો – ૪ – ૪ –
ત્યારે સુદર્શને મુગરપાણિ યક્ષને આવતો જોયો, જોઈને નિર્ભય તથા ત્રાસ, ઉદ્વેગ, ક્ષોભરહિત થઈને ચંચળતારહિત, સંભ્રાંતારહિત થઈ વસ્ત્ર વડે ભૂમિનું પ્રમાર્જન કરી, બંને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org