SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૧૪૩ કથા મુજબ સર્વ કથન જાણવું) પૌષધવત ધારણ કરીને શ્રમણ ભગવંત મહાવીરની પાસે સ્વીકારેલ ધર્મપ્રજ્ઞપ્તિ અંગીકાર કરી વિચારવા લાગ્યો. ત્યારપછી નંદિનીપિતા શ્રમણોપાસકે (આનંદ શ્રાવકની કથામાં જણાવ્યા પ્રમાણે) શ્રાવકની-ઉપાસકની અગિયારે પ્રતિમાની આરાધના કરી – યાવત્ – તેનું શરીર કૃશ થઈ ગયું, તેની નસો દેખાવા લાગી – યાવત્ – (આનંદશ્રાવકની માફક) અંતિમ મારણાંતિક સંખના તો સ્વીકાર કરી, ભક્તપાનનો ત્યાગ કરી, મરણની કામના ન કરતો ધર્મારાધનામાં લીન થઈ ગયો. ૦ નંદિનીપિતાનું સમાધિમરણ અને ગતિ : ત્યારે તે નંદિનીપિતા શ્રમણોપાસક અનેકવિધ શીલવત, ગુણવત વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ દ્વારા આત્માને ભાવિત કરી, વીસ વર્ષ પર્યત શ્રમણોપાસક ધર્મનું પાલન કરી – યાવત્ – આલોચના, પ્રતિક્રમણ કરીને સમાધિપૂર્વક મરણકાળે મૃત્યુ પામીને સમાધિમરણ પ્રાપ્ત કરીને સૌધર્મકલ્પના અરુણગવ નામના વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો – યાવત્ – ત્યાં તેની ચાર પલ્યોપમની સ્થિતિ થઈ – યાવત્ – તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, સર્વદુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :ઉવા ૩, ૫૭; – – – ૦ લેતિકાપિતા અથવા સાલિદીપિતા શ્રાવકની કથા – તે કાળે, તે સમયે શ્રાવસ્તી નામક નગરી હતી, ત્યાં કોષ્ટક નામે ચૈત્ય હતું, ત્યાં જિતશત્રુ નામે રાજા હતો. તે શ્રાવતી નગરીમાં લેતિકાપિતા નામે એક ગાથાપતિ રહેતો હતો. (તેનું નૃત્યાદિમાં નામ સાલિહીપિતા જ છે. જે ધનાય – ચાવત્ - અનેક લોકો દ્વારા અપરાભૂત હતો. તે લેતિકાપિતા ગાથાપતિના કોશમાં ચાર કોટિ સુવર્ણ સુરક્ષિત હતું, ચાર કોટિ સુવર્ણ વ્યાપારમાં સુનિયોજિત હતું ચોર કોટિ સુવર્ણ ગૃહોપફરણ આદિમાં પ્રયુક્ત હતું. દશ-દશ હજાર ગાયોનું એક એવા ચાર ગોકુળ હતા. - તે લેતિકાપિતા ગાથાપતિને અનેક રાજા – યાવત્ – સાર્થવાહ પોતપોતાના કાર્યો માટે પૂછતા હતા, પરામર્શ કરતા હતા. તેમજ તે પોતાના કુટુંબનો આધારભૂત હતો – થાવત્ – સર્વે કાર્યોની દેખરેખ રાખતો હતો. તે લેતિકાપિતા ગાથાપતિને ફાગુની નામે પત્ની હતી. જે અહીન–પ્રતિપૂર્ણ પાંચ ઇન્દ્રિયયુક્ત શરીરવાળી હતી – યાવત્ – મનુષ્યસંબંધી કામભોગ ભોગવતી વિચરતી હતી. ભગવંત મહાવીરનું પધારવું – ૮ – ૮ – લેતિકાપિતાનું ધર્મશ્રવણ અર્થે જવું – ૪ – ૪ – શ્રમણ ભગવંત મહાવીર પાસે લેતિકાપિતા દ્વારા શ્રાવકધર્મ અંગીકાર કરવો - x – ૪ – ત્યારપછી લેતિકાપિતા અને ફાગુનીભાર્યાનું શ્રમણોપાસક શ્રમણોપાસિકા થવું – ૪ – ૪ – દર્ભના સંથારા પર આરૂઢ થઈ ભગવંત મહાવીરની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy