________________
૧૪૨
આગમ કથાનુયોગ-૫
૦ નંદિનીપિતાની સંપત્તિ, મહત્તા, અશ્વિની ભાર્યા :
તે નંદિનીપિતા ગાથાપતિનું ચાર કોટિ સુવર્ણ કોષમાં સુરક્ષિત હતું, ચાર કોટિ સુવર્ણ વ્યાપારમાં વિનિયોજિત હતું, ચાર કોટિ સુવર્ણ ગૃહોપકરણમાં પ્રયુક્ત હતું. દશદશ હજાર ગાયોનું એક એવા ચાર ગોકુળ તેની પાસે હતા.
તે નંદિનીપિતા ગાથાપતિને અનેક રાજા – યાવત્ – સાર્થવાહ પોતપોતાના કાર્યોના વિષયમાં પૂછતા હતા, પરામર્શ કરતા હતા તથા પોતાના કુટુંબનો મેઢીભૂત – યાવતું – સર્વે કાર્યોનો નિર્દેશક હતો.
તે નંદિનીપિતા ગાથાપતિની અશ્વિની નામે ભાર્યા હતી. જે અહીન અને પંચેન્દ્રિયપૂર્ણ શરીરયુક્ત હતી – યાવત્ – મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતી વિચરતી હતી. ૦ ભગવંત મહાવીર પાસે નંદિનીપિતા દ્વારા શ્રાવકધર્મ સ્વીકાર :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર શ્રાવસ્તીમાં પધાર્યા. પર્ષદા નીકળી. રાજા જિતશત્રુ પણ કોણિક રાજાની માફક નીકળ્યો – યાવત્ – પર્યાપાસના કરવા લાગ્યો.
ત્યારપછી તે નંદિનીપિતા ગાથાપતિએ આ વૃત્તાંત જાણ્યો કે, શ્રમણ ભગવંત મહાવીર અનુક્રમથી વિહાર કરતા – યાવત્ – અહીં શ્રાવસ્તી નગરીના કોષ્ઠક ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહ લઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે – યાવતું – (આનંદ અને કામદેવ શ્રાવકની માફક નંદિનીપિતા ગાથાપતિ પણ) જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યો. આવીને – યાવત્ – તે પર્યાપાસના કરવા લાગ્યો.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે નંદિનીપિતા ગાથાપતિને અને વિશાળ પર્ષદાને - યાવત્ – ધર્મોપદેશ આપ્યો – યાવત્ – (આનંદ અને કામદેવ શ્રાવકની કથામાં જણાવ્યા પ્રમાણે) તે નંદિનીપિતાએ શ્રમણ ભગવંત મહાવીર પાસે શ્રાવકધર્મ સ્વીકાર્યો. ત્યારપછી કોઈ દિવસે શ્રમણ ભગવંત મહાવીર શ્રાવસ્તી નગરી અને કોષ્ઠક ચૈત્યથી નીકળ્યા અને નીકળીને બહારના જનપદમાં વિહાર કરવા લાગ્યા. ૦ નંદિની પિતા અને અશ્વિનીભાર્યાની શ્રાવકચર્યા :
ત્યારપછી તે નંદિનીપિતા શ્રમણોપાસક થઈ ગયો. તે અશ્વિનીભાર્યા પણ શ્રમણોપાસિકા થઈ ગઈ. તે બંને જીવ–અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા થઈ ગયા – થાવત્ – શ્રમણ નિગ્રંથોને પ્રાણુક અને એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ આહાર, વસ્ત્ર, પાત્રાદિ, કંબલ, પાદપ્રોંછન, ઔષધિ, ભૈષજ તથા પ્રાતિહારિક એવા પીઠ, ફલક, શય્યા, સંસ્મારકથી પ્રતિલાભિત કરતા વિચારવા લાગ્યા. ૦ નંદિની પિતાની ધર્મજાગરિકા, ઉપાસક પ્રતિમા, અનશન સ્વીકારા :
ત્યારે તે નંદિનીપિતા શ્રમણોપાસકને અનેક શીલવતો, ગુણવતો, વિરમણો, પ્રત્યાખ્યાનો, પૌષધોપવાસો દ્વારા આત્માને ભાવિત કરતા ચૌદ વર્ષ પસાર થયા અને પંદરમું વર્ષ પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ દિવસે મધ્યરાત્રિએ ધર્મારાધનામાં જાગરણ કરતા આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ થયો – યાવત્ – (આનંદ શ્રાવકની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org