________________
શ્રાવક કથા
૧૪૧
ત્યારે જોઈને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, પ્રીતિમના, પરમપ્રસન્ન અને હર્ષના અતિરેકથી વિકસિત હૃદયવાળા થઈને ગૌતમસ્વામીને વંદન–નમસ્કાર કર્યા
- ત્યારપછી ગૌતમસ્વામીએ મહાશતક શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવંત મહાવીરે આ પ્રમાણે આખ્યાત, ભાષિત, પ્રજ્ઞપ્ત, પ્રરૂપિત. કરેલ છે કે અપશ્ચિમ ભારણાંતિક સંલેખનાની આરાધનામાં રત શ્રમણોપાસકે – વાવત્ – અમણામ વચન બોલવા કલ્પતા નથી. પરંતુ હે દેવાનુપ્રિય ! તમે રેવતી ગાથાપત્નીને સત્ય, તત્ત્વ – યથાવત્ – અમણામ વચન કહ્યા છે. હે દેવાનુપ્રિય ! તમે આ સ્થાનની આલોચના, પ્રતિક્રમણ – યાવત – યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત કરવા માટે ઉદ્યત થઈને તપ કર્મ સ્વીકાર કરો.
ત્યારે તે મહાશતક શ્રમણોપાસકે ગૌતમસ્વામીના આ કથનને “તહત્તિ" કહી વિનયપૂર્વક સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને તે સ્થાનની આલોચના કરી, પ્રતિક્રમણ કર્યું – થાવત્ – યથોચિત પ્રાયશ્ચિત્ત કરવા તત્પર થઈ તપ કર્મ અંગીકાર કર્યું. ૦ ગૌતમનું પાછા જવું અને મહાશતકનું મરણ તથા ગતિ:
ત્યારપછી ગૌતમસ્વામીએ મહાશતક શ્રમણોપાસકની પાસેથી પાછા ફર્યા અને રાજગૃહનગરની મધ્યમાંથી નીકળ્યા, નીકળીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજતા હતા, ત્યાં આવ્યા અને આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા. વંદન– નમસ્કાર કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરી વિચરવા લાગ્યા.
ત્યારપછી કોઈ દિવસે શ્રમણ ભગવંત મહાવીરે રાજગૃહથી પ્રસ્થાન કર્યું અને અન્ય બાહા જનપદોમાંથી વિચારવા લાગ્યા.
ત્યારે તે મહાશતક શ્રમણોપાસક અનેક પ્રકારના શીલવત, ગુણવ્રત, વિરમણ પ્રત્યાખ્યાનો અને પૌષધોપવાસથી આત્માને ભાવિત કરતા વીશ વર્ષપર્યંત શ્રમણોપાસક પર્યાયનું પાલન કર્યું, અગિયાર ઉપાસક પ્રતિમાઓનું સમ્યક્ પ્રકારે પાલન કરી, માસિક સંખના દ્વારા આત્માને શોધિત કરી, અનશન દ્વારા સાઈઠ ભક્ત–પાનનું છેદન કરીને, આલોચના-પ્રતિક્રમણ કરી, મરણકાલે સમાધિપૂર્વક મૃત્યુ પામીને સૌધર્મકલ્પના અરુણાવયંસક વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો, ત્યાં તેની ચાર પલ્યોપમની સ્થિતિ છે.
ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને સર્વદુઃખોનો અંત કરશે.
૦ આગમ સંદર્ભ :ઉવા ૩, ૪૮ થી પ૬;
– ૪ – ૪ – ૦ નંદિનીપિતા શ્રાવકની કથા -
તે કાળે, તે સમયે શ્રાવતી નામની નગરી હતી, ત્યાં કોષ્ઠક નામે ચૈત્ય હતું, ત્યાંના રાજાનું નામ જિતશત્રુ હતું.
તે શ્રાવસ્તી નગરીમાં ધનાઢ્ય – યાવત્ - અનેક લોકો દ્વારા અપરાભૂત એવો નંદિનીપિતા નામે ગાથાપતિ નિવાસ કરતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org