________________
શ્રાવક થા
એ જોઈને તે ગાથાપત્ની રેવતીએ મહાશતક શ્રમણોપાસકને બીજી અને ત્રીજી વખત પણ આ પ્રમાણે કહ્યું (સર્વ વર્ણન પૂર્વવત્ જ જાણવું.) મહાશતક શ્રાવકે રેવતી ગાથાપત્નીની આ વાતનો આદર ન કર્યો – યાવત્ ધર્મસાધનામાં રત રહ્યો.
૧૩૯
ત્યારે તે રેવતી ગાથાપત્ની મહાશતક શ્રમણોપાસક દ્વારા તિરસ્કૃત અને ઉપેક્ષિત થઈને જે તરફથી આવી હતી, તે તરફ પાછી ચાલી ગઈ.
૦ મહાશતક દ્વારા ઉપાસક પ્રતિમા અને અનશન સ્વીકાર :–
ત્યારપછી તે મહાશતક શ્રમણોપાસક પ્રથમ ઉપાસક પ્રતિમા સ્વીકાર કરીને વિચરવા લાગ્યો. એ જ પ્રમાણે – યાવત્ – તેણે અગિયારે ઉપાસક પ્રતિમાની યથાશ્રુત, યથાકલ્પ, યથામાર્ગ, યથાતત્ત્વ સમ્યક્ પ્રકારે સ્પર્શના કરી, પાલન કર્યું, શોધિત કરી, તીર્ણ કરી, કીર્તિત કરી, આરાધિત કરી.
ત્યારપછી તે મહાશતક શ્રમણોપાસક તે ઉત્કૃષ્ટ, વિપુલ, પ્રયત્નસાધ્ય, ગ્રહણ કરેલ તપશ્ચરણથી શુષ્ક, રુક્ષ થઈ ગયો યાવત્ – તેની નાડીઓ દેખાવા લાગી યાવત્ – (આનંદ અને કામદેવ શ્રાવકની કથામાં જણાવ્યા પ્રમાણે) તેણે અપશ્ચિમ મારણાંતિક સંલેખના—ઝૂસણાનો સ્વીકાર કરી, ભક્ત–પાનનો પરિત્યાગ કરી મૃત્યુની આકાંક્ષા ન કરતો તે વિચરવા લાગ્યો.
-
Jain Education International
૦ મહાશતકને અવધિજ્ઞાનોત્પત્તિ રેવતીને નરકગમન કથન ઃ—
ત્યારપછી મહાશતક શ્રમણોપાસકને શુભ અધ્યવસાય, શુભ પરિણામ, વિશુદ્ધ થતી એવી લેશ્યાઓથી તદાવરક કર્મના ક્ષયોપશમથી અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. જેનાથી તે પૂર્વમાં—દક્ષિણમાં અને પશ્ચિમમાં એકએક હજાર યોજન પર્યંત લવણસમુદ્રમાં જોવા અને જાણવા લાગ્યો. ઉત્તરમાં હિમવંત પર્વત પર્યંત જોવા, જાણવા લાગ્યો. ઉદિશામાં સૌધર્મકલ્પ પર્યંત અને અધોદિશામાં પ્રથમ નરકભૂમિ રયણપ્રભામાં ૮૪,૦૦૦ વર્ષની સ્થિતિવાળા લોલુપાચ્યુત નરક પર્યંત જોવા અને જાણવા લાગ્યો.
ત્યારપછી કોઈ દિવસે તે રેવતી ગાથાપત્ની મદિરાના નશામાં ઉન્મત્ત થઈ, લડખડાતી, વિખરાયેલા વાળ સાથે, પોતાના ઉત્તરીયને વારંવાર કાઢીને સ્તનાદિ ભાગને પ્રદર્શિત કરતી પૌષધશાળામાં મહાશતક શ્રાવક પાસે આવી, તે બોલી – ઓ શ્રમણોપાસક મહાશતક ! - યાવત્ – તું મારી સાથે ભોગોપભોગ ભોગવતો કેમ વિચરતો નથી. ત્યારે મહાશતકે રેવતી ગાથાપત્નીની આ વાતનો આદર ન કર્યો – યાવત્ – મૌન રહ્યો.
ત્યારપછી મહાશતક શ્રમણોપાસકને રેવતી ગાથાપત્નીએ બીજી અને ત્રીજી વખત આ પ્રમાણે કહ્યું ત્યારે ક્રોધિત, રુષ્ટ, કુપિત અને ચંડિકાવત્ રૌદ્રરૂપ ધારણ કરીને દાંતોને કચકચાવતો એવા તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. ઉપયોગ કરીને તેણે રેવતી શ્રાવિકાને આ પ્રમાણે કહ્યું–
ઓ અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર ! દુરંત-પંત લક્ષણા ! હીનપુણ્યચાતુર્દશી ! શ્રી, હી, ધૃતિ, કીર્તિ વિહીન રેવતી ! તું સાત રાત્રિમાં અલસક નામના રોગથી આક્રાંત થઈને આર્ત્ત, દુ:ખિત, વ્યથિત અને વિવશ થઈને અશાંતિપૂર્વક મરણ સમયે મૃત્યુ પામી અધોલોકમાં આ રત્નપ્રભા પૃથ્વીના લોલુપાચ્યુત નામના નરકમાં ૮૪,૦૦૦ વર્ષની
For Private & Personal Use Only
-
--
www.jainelibrary.org