________________
આગમ કથાનુયોગ–૫
ત્યારપછી તે રેવતી ગાથાપત્ની માંસ લોલુપ, માંસ મૂર્છિત, માંસાનુંરાગી, માંસમૃદ્ધ, માંસ આસક્ત થઈને અનેક પ્રકારના માંસોમાં, માંસના ફૂલકોમાં, તળેલા માંસ આદિમાં, પકાવેલા માંસમાં અને સુરા, મધુક, મેરગ, મદ્ય, સીધુ, સુગંધિત શરાબ આદિનું આસ્વાદન કરતી, ખાતી–પીતી, પીવડાવતી, ભોગવતી વિચારવા લાગી.
૧૩૮
ત્યારપછી કોઈ દિવસે રાજગૃહનગરમાં અમારી ઘોષણા થઈ. ત્યારે તે માંસલોલુપ – યાવત્ – માંસાસક્ત રેવતી ગાથાપત્નીએ પોતાના પીયરના નોકરને બોલાવ્યો અને બોલાવીને તેને આ આજ્ઞા કરી કે, હે દેવાનુપ્રિય ! મારા પીયરના ગોકુળમાંથી રોજેરોજ બે–બે વાછડાને મારી અને મને પહોંચાડો.
ત્યારપછી તે પિતૃગૃહના નોકરે રેવતી ગાથાપત્નીની આજ્ઞાને ‘તત્તિ' કહીને વિનયપૂર્વક સ્વીકારી, સ્વીકારીને રેવતી ગાથાપત્નીના પીયરના ગોકુળમાંથી પ્રતિદિન બે— બે વાછડ઼ાને મારીને રેવતી ગાથાપત્નીને તે પહોંચાડવા લાગ્યો.
ત્યારે તે રેવતી ગાથાપત્ની તે વાછડાના માંસને, લોઢાના શલાકો પર સેકીને, ઘી આદિમાં તળીને અને અગ્નિ પર સેકીને તે ટુકડાને સુરા, મધુ, મેરક, મદ્ય, સીંધુ અને પ્રસન્ન નામક મદિરાઓનું આસ્વાદન કરતી, વિસ્વાદન કરતી, લોલુપતાપૂર્વક તેનું સેવન કરવા લાગી.
૦ મહાશતકની ધર્મજાગરિકા અને રેવતી દ્વારા ઉપસર્ગ :
ત્યારે તે મહાશતક શ્રમણોપાસકને વિવિધ પ્રકારના શીલવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ દ્વારા આત્માને ભાવિત કરતા ચૌદ વર્ષ પસાર થયા અને પંદરમું વર્ષ ચાલી રહ્યું હતું ત્યારે કોઈ દિવસે મધ્યરાત્રિએ ધર્મ—જાગરણ કરતા તેને આ પ્રકારનો આધ્યાત્મિક યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો (ઇત્યાદિ સર્વ વર્ણન આનંદ શ્રાવકની કથા મુજબ જાણવું) ત્યારપછી તે દર્ભના સંથારા પર સ્થિર થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસે અંગીકાર કરેલી ધર્મપ્રજ્ઞપ્તિને અંગીકાર કરી વિચરવા લાગ્યો.
-
ત્યારપછી કોઈ દિવસે તે રેવતી ગાથાપત્ની મદિરાથી ઉન્મત્ત બની, વિખરેલા વાળ સાથે, પોતાના ઉત્તરીય વસ્રને વારંવાર ફેંકતી, જ્યાં પૌષધશાળા હતી, જ્યાં મહાશતક શ્રમણોપાસક હતો ત્યાં આવી, આવીને મોહ અને ઉન્માદજનક કામોદ્દીપક કટાક્ષ અને સ્ત્રી ભાવોનું વારંવાર પ્રદર્શન કરતી મહાશતક શ્રમણોપાસકને આ પ્રમાણે કહેવા લાગી.
ઓ મહાશતક શ્રમણોપાસક ! ધર્મકાંક્ષી ! પુણ્યકાંક્ષી ! સ્વર્ગકાંક્ષી ! મોક્ષકાંક્ષી ! ધર્મ, પુણ્ય, સ્વર્ગ અને મોક્ષની કામના કરનારા ! ધર્મપિપાસુ !, પુણ્યપિપાસુ !, સ્વર્ગપિપાસુ ! મોક્ષપિપાસુ ! તું તે ધર્મ, પુણ્ય, સ્વર્ગ અને મોક્ષથી શું પ્રાપ્ત કરીશ ? હે દેવાનુપ્રિય ! જ્યારે તું મારી સાથે ઉદાર એવા મનુષ્યસંબંધી ભોગોને ભોગવતો વિહરતો નથી ?
ત્યારે તે મહાશતક શ્રમણોપાસકે રેવતી ગાથાપત્નીના આ કથનનો આદર ન કર્યો, તેના પર ધ્યાન ન આપ્યું, પણ ઉપેક્ષા અને ઉદાસીન ભાવથી મૌનપૂર્વક ધર્મારાધનામાં નિરત રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org