________________
૧૩૬
આગમ કથાનુયોગ-૫
આનંદ અને કામદેવ શ્રાવકની કથા પ્રમાણે જાણવું) અપશ્ચિમ ભારણાંતિક સંલેખના ઝૂસણાને
સ્વીકાર કરી આહાર–પાણીનો ત્યાગ કરી, જીવનમરણની આકાંક્ષા ન કરતા વિચરવા લાગ્યો. ૦ સાલપુત્રનું સમાધિમરણ અને ગતિ :
ત્યારે તે સદાલપુત્ર શ્રમણોપાસક ઘણાં જ શીલવત, ગુણવત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ દ્વારા આત્માને ભાવિત કરતા વીસ વર્ષ શ્રાવકપર્યાયનું પાલન કરી – યાવત્ – મૃત્યુ પામીને સૌધર્મકલ્પમાં અરુણાભ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો,
ત્યાં તેની ચાર પલ્યોપમની સ્થિતિ થઈ. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ સમસ્ત દુઃખોનો અંત કરશે.
૦ આગમ સંદર્ભ :ઉવા ૩, ૪૧ થી ૪૭,
આવ.પૂ.૧-. ૨૧3; – ૪ – ૪ – ૦ મહાશતક શ્રાવક કથા :
તે કાળે, તે સમયે રાજગૃહ નગર હતું. ત્યાં ગુણશિલક નામે ચૈત્ય હતું. ત્યાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો.
તે રાજગૃહ નગરમાં મહાશતક નામક ગૃહસ્થ રહેતો હતો. જે ઋદ્ધિમાનું – યાવત્ – અનેક લોકોથી અપરિભૂત હતો. ૦ મહાશતકની સંપત્તિ આદિ :
તે મહાશતક ગાથાપતિની આઠ કોટિ કાંસ્ય પરિમિત સુવર્ણ કોષમાં સુરક્ષિત હતા, આઠ કોટિ કાંસ્ય પરિમિત સુવર્ણ વ્યાપારમાં વિનિયોજિત હતી અને આઠ કોટિ કાંસ્યા પરિમિત સુવર્ણ ગૃહોપકરણમાં પ્રયુક્ત હતા. તેને દશ-દશ હજાર ગાયોનું એક એવા આઠ ગોકુળ હતા.
તે મહાશતક ગાથાપતિ અનેક રાજા – યાવત્ – કૌટુંબિક પુરુષોમાં સલાહ દેવામાં યોગ્ય, વિચાર વિમર્શમાં સમર્થ હતો. તથા પોતાના કુટુંબમાં પણ મેઢીભૂત – યાવત્ – સર્વ કાર્યોમાં નિર્દેશક હતો.
તે મહાશતકને રેવતી વગેરે તેર પત્નીઓ હતી તે બધી શુભલક્ષણોથી યુક્ત, પરિપૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળી હતી – યાવત્ – મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતી સમય વ્યતીત કરતી હતી.
તે મહાશતકની રેવતી ભાર્યાની પાસે પિયરથી મળેલ આઠ કોટિ સુવર્ણ તથા દશ– દશ હજાર ગાયોનું એક એવા આઠ ગોકુળ વ્યક્તિગત સંપત્તિના રૂપમાં હતા તથા બાકી બાર પત્નીઓની પાસે તેના–તેના પિયરથી પ્રાપ્ત એક–એક કોટિ સુવર્ણ અને દશ-દશ હજાર ગાયોવાળું એક એક ગોકુળ હતું. ૦ ભગવંત મહાવીર પાસે મહાશતકની ગૃહી–ઘર્મ પ્રતિપત્તિ :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહનગરમાં પધાર્યા. પર્ષદા નીકળી. કોણિક રાજાના વર્ણન સદશ શ્રેણિક રાજા પણ નીકળ્યો – યાવત્ – તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org