SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ આગમ કથાનુયોગ-૫ આત્માને ભાવિત કરતા તે સદ્દાલપુત્ર શ્રમણોપાસકને ચૌદ વર્ષ વ્યતીત થઈ ગયા અને પંદરમું વર્ષ પસાર થઈ રહ્યું હતું. ત્યારે કોઈ સમયે મધ્યરાત્રિએ ધર્મજાગરણા કરતા તેને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો – યાવત્ – (સર્વે વર્ણન આનંદ અને કામદેવ શ્રાવકની કથા મુજબ જાણવું) તે એકાકી, અદ્વિતીય થઈને દર્ભના સંથારા પર સ્થિત થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ગ્રહણ કરેલી ધર્મપ્રજ્ઞતિનો સ્વીકાર કરી વિચરવા લાગ્યો. ત્યારપછી મધ્યરાત્રિએ તે સદાલપુત્ર શ્રમણોપાસક સન્મુખ એક દેવ પ્રગટ થયો. તે દેવે નીલકમલ, ભેંસના શીંગડા, અલસીના પુષ્પ જેવી એક મોટી તલવાર હાથમાં લઈને સદ્દાલપુત્ર શ્રમણોપાસકને કહ્યું, અરે ઓ સદ્દાલપુત્ર શ્રમણોપાસક ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનારા ! તુરંત, પંત, લક્ષણવાળા, હીનપુન્ય ચૌદશીયા! શ્રી, હી ધૃતિ, કીર્તિથી રહિત! ધર્મકાંક્ષી !, પૂણ્યકાંક્ષી !, મોક્ષકાંક્ષી ! ધર્મપિપાસુ !, પૂણ્યપિપાસુ ! સ્વર્ગપિપાસુ! મોક્ષપિપાસુ ! દેવાનુપ્રિય! જો કે તને શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસથી વિચલિત, સુમિત થવું, તેને ખંડિત કરવું, ભગ્ન કરવું, ઉક્ઝિત કરવું, તેનો ત્યાગ કરવો, પરિત્યાગ કરવો કલ્પતો નથી – પણ આજ જો તું શીલ – યાવત્ – પૌષધોપવાસને છોડીશ નહીં, ભગ્ન કરીશ. નહીં તો હું આ જ સમયે તારા જ્યેષ્ઠપુત્રને ઘેરથી લાવીશ, લાવીને તારી સામે તેને મારી નાંખીશ, મારીને તેના માંસના નવ ટુકડા કરીશ, ટુકડા કરીને તેલથી ભરેલી કડાઈમાં તળીશ, તળીને માંસ અને લોહીથી તારા શરીરને લિપ્ત કરી દઈશ. જેથી તું વિકટ આર્તધ્યાન અને દુઃખથી પીડિત થઈને કસમયે જ જીવનરહિત થઈ જઈશ. તે દેવની આ વાતને સાંભળીને પણ સદ્દાલપુત્ર શ્રમણોપાસક ભીત, ત્રસ્ત, ઉદ્વિગ્ર, સુભિત, વિચલિત ન થયો, ગભરાયો નહીં, પણ શાંત ભાવથી ધર્મધ્યાનમાં સ્થિર રહ્યો. ત્યારપછી તે દેવે સદ્દાલપુત્ર શ્રમણોપાસકને અભીત, અત્રસ્ત, અનુહિંગ, અણુભિત, અસંભ્રાન્ત અને શાંતિથી (મૌનપૂર્વક) ધર્મધ્યાન રત બનીને વિહરતો જોયો, તે જોઈને – થાવત્ – (સર્વ વર્ણન પૂર્વવતુ જાણવું. જુઓ કથા ચુલની પિતા શ્રાવક) સદ્દાલપુત્રના જ્યેષ્ઠપુત્રને ઘરમાંથી લાવી, તેની હત્યા કરી, તેના માંસના નવ ટુકડા કર્યા, ટુકડા કરીને તેલની ભરેલી કડાઈમાં તન્યા, તળીને સદ્દાલપુત્ર શ્રમણોપાસકના શરીરને માંસ અને લોહીથી લીપ્યું. ત્યારે તે સદ્દાલપુત્ર શ્રમણોપાસકે તે તીવ્ર, વિકટ, કઠોર, પ્રગાઢ, પ્રચંડ, દુખદ અસહનીય વેદનાને સમ્યક્ પ્રકારે સહી, ખમી, તિતિક્ષાપૂર્વક અધ્યાસિત કરી. એ જ પ્રમાણે (ચુલની પિતા શ્રાવકની કથામાં જણાવ્યા પ્રમાણે) તે દેવે સદાલપુત્રના વચલાપુત્ર અને નાના પુત્રની પણ હત્યા કરી – યાવત્ – સદાલપુત્રે તે વેદના સહિષ્ણુતા, ક્ષમા, તિતિક્ષાપૂર્વક સમ્યક્ પ્રકારે સહન કરી. ત્યારપછી તે દેવે સદ્દાલપુત્ર શ્રમણોપાસકને – યાવત્ – કહ્યું કે, જો તું આજે શીલ આદિ – યાવતુ – પૌષધોપવાસોને છોડીશ નહીં, ભંગ નહીં કરે, તો હું હમણાં જ તારી ધર્મસહાયિકા, ધર્મવૈદ્યા, ધર્માનુરાગરક્તા, સમસુખદુઃખ સહાયિકા તારી અગ્નિમિત્રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy