SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા સિદ્ધાંતનો ત્યાગ કરીને શ્રમણ નિગ્રંથોના સિદ્ધાંતોનો અનુયાયી થઈ ગયેલ છે ત્યારે તેણે વિચાર કર્યો કે, હું જાઉં અને સદ્દાલપુત્ર આજીવિકોપાસકની શ્રમણ નિગ્રંથોની માન્યતા છોડાવીને ફરી આજીવિક સિદ્ધાંત અંગીકાર કરાવું. આવો વિચાર કરી આજીવિક સંઘને સાથે લઈને જ્યાં પોલાસપુર નગર હતું, તેમાં જ્યાં આજીવિકા સભા હતી, ત્યાં આવ્યો. આવીને પાત્ર—ઉપકરણ આદિ રાખ્યા. પછી કેટલાંક આજીવિકોને સાથે લઈને જ્યાં સદ્દાલપુત્ર શ્રમણોપાસક હતો ત્યાં ગયો. ત્યારે સદ્દાલપુત્ર શ્રમણોપાસકે ગોશાલક મંખલિપુત્રને આવતો જોયો. જોઈને તેમનો આદર ન કર્યો, તેમના તરફ ધ્યાન ન આપ્યું, તેમનો આદર ન કર્યો, અપરિચિત માફક ઉપેક્ષા ભાવ રાખતો ચુપચાપ મૌન બેસી રહ્યો. ત્યારપછી ગોશાલ મંખલિપુત્રે સદ્દાલપુત્ર શ્રમણોપાસક દ્વારા આ પ્રકારે અનાદર અને ઉપેક્ષા કરાતી જોઈને પીઠ, ફલક, શય્યા, સંસ્તારક આદિ પ્રાપ્ત કરવા માટે શ્રમણ ભગવાન મહાવીરનું ગુણકીર્તન કરતા કહ્યું, હે દેવાનુપ્રિય ! શું અહીં મહામાહણ પધાર્યા હતા ? ૧૩૧ ત્યારે સદ્દાલપુત્ર શ્રમણોપાસકે ગોશાલ મંખલિપુત્રને પૂછયું, હે દેવાનુપ્રિય ! તે મહામાહણ કોણ છે ? ત્યારે ગોશાલ મંખલિપુત્રએ સદ્દાલપુત્ર શ્રમણોપાસકને ઉત્તર આપ્યો કે શ્રમણ ભગવંત મહાવીર મહામાહણ છે. હે દેવાનુપ્રિય ! ક્યા અભિપ્રાયથી આપ આમ કહો છો કે, શ્રમણ ભગવંત મહાવીર મહામાહણ છે ? હે સદ્દાલપુત્ર ! શ્રમણ ભગવંત મહાવીર મહામાહણ છે. કેમકે તે અપ્રતિહત જ્ઞાનદર્શનને ધારણ કરનારા અતીત, વર્તમાન, અનાગત ત્રિકાલવર્તી પર્યાયોને જાણનારા, અર્હત્, જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી, ત્રણે લોક દ્વારા સેવિત, પ્રતિષ્ઠિત, પૂજિત અને દેવ, મનુષ્ય, અસુરલોક દ્વારા અર્ચનીય, પૂજનીય, વંદનીય, નમસ્કરણીય, સત્કારણીય, સન્માનનીય તથા કલ્યાણ, મંગલ, દેવ, ચૈત્યરૂપ હોવાથી પર્યુંપાસનીય છે, સત્કર્મ સંપત્તિયુક્ત છે. તેથી હે દેવાનુપ્રિય ! હું એમ કહું છું કે શ્રમણ ભગવંત મહાવીર મહામાહણ છે. (ગોશાળાએ ફરી પૂછ્યું) હે દેવાનુપ્રિય ! અહીં મહાગોપ આવેલા ? (સદ્દાલપુત્રએ કહ્યું) – હે દેવાનુપ્રિય ! મહાગોપ કોણ છે ? (ગોશાલ –) શ્રમણ ભગવંત મહાવીર મહાગોપ છે. (સદ્દાલપુત્ર) હે દેવાનુપ્રિય ! આપ ક્યા કારણથી કહો છો કે શ્રમણ ભગવંત મહાવીર મહાગોપ છે ? (ગોશાલ–) હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવંત મહાવીર મહાગોપ છે, કેમકે આ સંસારરૂપી ભયાનક વનમાં અનેક જીવ નષ્ટ થઈ રહ્યા છે, વિનષ્ટ થઈ રહ્યા છે, ખવાઈ રહ્યા છે, છેદન કરાઈ રહ્યા છે, ભેદન કરાઈ રહ્યા છે, લુપ્ત (ઘાયલ) કરાઈ રહ્યા છે, વિલુપ્ત (વિકલાંગ) કરાઈ રહ્યા છે (આવા સર્વે જીવોની) ધર્મરૂપી દંડ દ્વારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy