________________
૧૨૬
આગમ કથાનુયોગ-૫
કલ્યાણ, મંગલ, દેવ, ચૈત્યરૂપ તેમની પર્યાપાસના કરજે તથા પ્રાતિહારિક પીઠ, ફલક, શચ્યા, સંસ્તારક આદિ હેતુ તેમને આમંત્રિત કરજે. બીજી અને ત્રીજી વખત પણ આ પ્રમાણે કહ્યું અને કહીને પછી જે દિશામાંથી પ્રાદુર્ભત થયો હતો, પાછો તે જ દિશામાં ચાલ્યો ગયો. ૦ સદાલપુત્રનો ગોશાલક વંદન સંકલ્પ :
ત્યારપછી તે દેવની આ વાત સાંભળીને આજીવિકોપાસક સદ્દાલપુત્રને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતીત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, મહામાયણ, અપ્રતિહત જ્ઞાનદર્શનના ધારક અતીત–વર્તમાન, અનાગત કાળના જ્ઞાતા, અહંત, જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી, ત્રણે લોક અત્યંત હર્ષપૂર્વક જેના દર્શનને માટે ઉત્સુક રહે છે, જેની સેવાની વાંછા રાખે છે, પૂજા કરે છે તેવા – (તથા) –
દેવ, મનુષ્ય અને અસુરો દ્વારા અર્ચનીય, પૂજનીય, વંદનીય, નમસ્કરણીય, સત્કારણીય, સન્માનનીય, કલ્યાણ, મંગલ, દેવ, ચૈત્યસ્વરૂપ, પર્યાપાસનીય, સત્કર્મ સંપત્તિયુક્ત ગોશાલ સંખલિપુત્ર કાલે અહીં પધારશે. ત્યારે હું તેને વંદન–નમસ્કાર કરીશ, તેમનું સત્કાર-સન્માન કરીશ, કલ્યાણ, મંગલ, દેવ, ચૈત્યરૂપ તેમની પર્યપાસના કરીશ, અને પ્રાતિહારિક એવા પીઠ, ફલક, શય્યા, સંસ્કારક હેતુ આમંત્રિત કરીશ. ૦ ભગવાન મહાવીર પાસે સદાલપુત્રનું ઘર્મશ્રવણ :
ત્યારપછી કાલરાત્રિ વીતી ગયા પછી પ્રભાત થયું ત્યારે નીલા અને અન્ય પ્રકારના કમળના શોભાવાળા રૂપથી ખિલ્યા પછી, ઉજ્વલ પ્રભા અને લાલ અશોક, કિંશુક, પોપટની ચાંચ, ચણોઠીના અર્ધ ભાગના રંગની સંદેશ લાલિમાયુક્ત કમલવન સમૂહને વિકસિત કરનારા, દિવસને કરનારા સહસ્રરશ્મિયુક્ત સૂર્યનો ઉદય થયા પછી પોતાના તેજસહિત ઉદિત થયા પછી શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – જ્યાં પોલાસપુર નગર હતું, જ્યાં સહસ્ત્રાપ્રવન ઉદ્યાન હતું, ત્યાં આવ્યા. આવીને યથાયોગ્ય અવગ્રહ લઈને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
પર્ષદા વંદનાર્થે નીકળી. જિતશત્રુરાજા પણ કોણિક રાજાની માફક નીકળ્યો – થાવત્ – પર્યાપાસના કરવા લાગ્યો.
ત્યારપછી આજીવિકોપાસક સદાલપુત્રએ આ વૃત્તાંતને સાંભળ્યો કે, શ્રમણ ભગવંત મહાવીર પૂર્વાનુપૂર્વી ક્રમથી ચાલતા, રામાનુગ્રામ વિચરતા અહીં આવ્યા છે, અહીં પ્રાપ્ત થયા છે, અહીં સમોસર્યા છે અને આ પોલાસપુર નગરની બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ અવગ્રહ લઈને સંયમ ને તપથી આત્માને ભાવિત કરતા રહ્યા છે. તો હું જઉં અને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરું, તેમના સત્કાર-સન્માન કરું, કલ્યાણ, મંગલ, દેવ, દૈત્ય સ્વરૂપ તેમની પર્કપાસના કરું. આ પ્રમાણે તેણે વિચાર કર્યો.
આવો વિચાર કરીને સદાલપુત્રએ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક-મંગલ અને પ્રાયશ્ચિત્ત કર્યા. શુદ્ધ, પ્રાવેશ્ય, માંગલિક, ઉત્તમ વસ્ત્રોને પહેર્યા. અલ્પ પણ બહુમૂલ્ય આભુષણોથી શરીરને અલંકૃતુ કર્યું. મનુષ્ય સમૂહને સાથે લઈ પોતાના ઘેરથી નીકળ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org