SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ આગમ કથાનુયોગ-૫ ત્યારે તે કુંડકૌલિક શ્રમણોપાસકના અનેક પ્રકારના શીલવતો, ગુણવતો, વિરમણો, પ્રત્યાખ્યાનો અને પૌષધોપવાસો દ્વારા આત્માને ભાવિત કરતા ચૌદ વર્ષ વ્યતીત થયા અને જ્યારે પંદરમું વર્ષ ચાલી રહ્યું હતું ત્યારે કોઈ એક સમયે મધ્યરાત્રિમાં ધર્મજાગરિકાથી જાગરણ કરતા આ આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે – યાવત્ – (આ સર્વે વર્ણન પૂર્વે આનંદ અને કામદેવ શ્રાવકની કથામાં આવી ગયું છે. તે પ્રમાણે સમજી લેવું) એકાકી અને અદ્વિતીય થઈને દર્ભના સંથારા પર આરૂઢ થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસેથી પ્રજ્ઞપ્ત થયેલી ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને વિચરવા લાગ્યા. ૦ કુંડકૌલિક દ્વારા ઉપાસક પ્રતિમા ને અનશન સ્વીકાર : - ત્યારપછી કંડકૌલિક શ્રમણોપાસક પહેલી ઉપાસક પ્રતિમાનો સ્વીકાર કરીને વિહરવા લાગ્યા – યાવત્ – તેણે બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠી, સાતમી, આઠમી, નવમી, દશમી અને અગિયારમી ઉપાસક પ્રતિમાની આરાધના કરી. આ સર્વે ઉપાસક પ્રતિમાને તેણે યથાસૂત્ર, યથાકલ્પ, યથામાર્ગ, યથાતત્ત્વ, સમ્યક્ પ્રકારે કાયા દ્વારા સ્પર્શના કરી, પાલન કર્યું, શોધન કર્યું, તીર્ણ કરી, કીર્તન કર્યું અને આરાધના કરી. ત્યારપછી તે કુંડકૌલિક શ્રમણોપાસક આ અને આવા પ્રકારના ઉદાર, વિપુલ, પ્રયત્નસાધ્ય તપોકર્મને ગ્રહણ કરીને શુષ્ક, રુક્ષ – યાવત્ – શરીર વાળો થઈ ગયો. ત્યારપછી તે કુંડકૌલિક શ્રમણોપાસકને કોઈ સમયે મધ્યરાત્રિએ ધર્મ જાગરણ કરતા આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો – યાવત્ – (આ સર્વ કથન આનંદ અને કામદેવ શ્રમણોપાસકની કથામાં આવી ગયેલ છે, તે પ્રમાણે સમજી લેવું) અંતિમ મારણાંતિક સંલેખના-ઝૂસણા અંગીકાર કરીને ભક્ત–પાનનો ત્યાગ કરીને મરણની આકાંક્ષા ન કરતો કુંડકૌલિક શ્રમણોપાસક વિચારવા લાગ્યો. ૦ કંડકૌલિકનું સમાધિમરણ અને ગતિ : ત્યારે તે કુંડકૌલિક શ્રમણોપાસક અનેક પ્રકારના શીલવતો, ગુણવતો, વિરમણો, પ્રત્યાખ્યાનો, પૌષધોપવાસોથી આત્માને શુદ્ધ કરતા વીશ વર્ષનો શ્રમણોપાસક પર્યાયનું પાલન કરી, અગિયાર ઉપાસક પ્રતિમાઓનું સમ્યક્ પ્રકારે પાલન કરી, એક માસની સંલેખના દ્વારા આત્માને શુદ્ધ કરી, અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરી, આલોચના - પ્રતિક્રમણ પૂર્વક સમાધિ મૃત્યુ પામ્યો. સમાધિમરણ પામીને તે કુંડકૌલિક શ્રમણોપાસક સૌધર્મકલ્પમાં સૌધર્મ અવતંસક મહાવિમાનના ઇશાન દિશિભાગમાં સ્થિત અરુણધ્વજ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો – યાવત્ – ત્યાં તેની ચાર પલ્યોપમની સ્થિતિ હતી – યાવત્ – ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, સર્વ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :ઉવા ૩, ૩૭ થી ૪૦; – ૮ – ૮ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy