________________
શ્રાવક કથા
૧૨૩
તેથી પહેલા શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરું પછી ત્યાંથી પાછો ફરીને પૌષધનું પારણું કરવું મારે માટે ઉચિત છે, આ પ્રકારે વિચાર કર્યો, વિચાર કરીને પૌષધશાળાથી નીકળ્યો, શુદ્ધ, પ્રાવેશ્ય, માંગલિક ઉત્તમ વસ્ત્રો પહેરીને જનસમૂહને સાથે લઈને પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને કાંપિલ્યપુર નગરના મધ્ય ભાગમાંથી થઈને જ્યાં સહસ્ત્રાપ્રવન ઉદ્યાન હતું, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યો, આવીને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યો, વંદન–નમસ્કાર કરીને ત્રિવિધ પર્યાપાસના દ્વારા પર્યાપાસના કરવા લાગ્યો.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે કુંડકૌલિક શ્રમણોપાસક અને તે મોટી પર્ષદાને – યાવત્ – ધર્મોપદેશ આપ્યો.
હે કંડકૌલિક ! આ પ્રમાણે સંબોધિત કરી શ્રમણ ભગવંત મહાવીરે કુંડકૌલિક શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, હે કુંડકૌલિક ! કાલે બપોરે અશોક વાટિકામાં એક દેવ તારી સામે પ્રગટ થયો.
તે દેવે તારા નામની મુદ્રિકા અને ઉત્તરીય પૃથ્વીશિલાપટ્ટક પરથી ઉઠાવ્યું, ઉઠાવીને ઘુંઘરુંઓ યુક્ત પંચરંગી શ્રેષ્ઠ વસ્ત્રોને પહેરીને ઝનઝનાટ કરતો આકાશમાં અવસ્થિત થઈને તને આ પ્રમાણે કહ્યું
અરે ! કુંડકૌલિક શ્રમણોપાસક ! દેવાનુપ્રિય! ગૌશાલક મંખલિપુત્રની ધર્મપ્રજ્ઞપ્તિમાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પૌરુષ, પરાક્રમ નથી, સર્વ ભાવ નિયત છે – યાવત્ – (તે સર્વ વૃત્તાંત ભગવંતે કહ્યો જે સંવાદ કુંડકૌલિક અને તે દેવ વચ્ચે થયો હતો.) તે દેવ – યાવત્ – તારા નામની મુદ્રા અને ઉત્તરિય વસ્ત્ર પાછું પૃથ્વીશિલાપટ્ટક પર રાખીને જે દિશામાંથી આવ્યો હતો, એ જ દિશામાં પાછો ચાલ્યો ગયો. ' હે દેવાનુપ્રિય ! કંડકૌલિક ! શું આ કથન સત્ય છે ?
હાં, ભગવન્! તે એ પ્રમાણે જ છે. ૦ ભગવંત મહાવીરનો ઉપદેશ અને કંડકૌલિકનું ધર્મ જાગરણ :
હે આર્યો ! આ પ્રમાણે ઉપસ્થિત શ્રમણ નિગ્રંથો અને નિગ્રંથીઓને સંબોધિત કરી શ્રમણ ભગવંત મહાવીરે કહ્યું, હે આર્યો ! જો ઘરમાં રહેનાર ગૃહસ્થ પણ અન્યતીર્થિકોના અર્થ, હેતુ, પ્રશ્ન, કારણ, યુક્તિ અને વ્યાખ્યા દ્વારા નિરુત્તર કરી દે છે, તો હે આર્યો ! દ્વાદશાંગ રૂ૫ ગણિપિટકનું અધ્યયન કરનારા શ્રમણ નિગ્રંથ તો અન્ય મતાવલંબીઓને અર્થ, હેતુ, પ્રશ્ન, યુક્તિ અને વિશ્લેષણ દ્વારા નિરુત્તર કરવામાં સમર્થ હોય જ ને !
હે ભગવન્! એમ જ છે. કહીને તે સાધુ-સાધ્વીઓએ શ્રમણ ભગવંત મહાવીરના આ કથનને વિનયપૂર્વક સ્વીકાર્યું.
ત્યારપછી તે કુંડકૌલિક શ્રમણોપાસકે શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને પ્રશ્નો પૂછ્યા, પૂછીને સમાધાન પ્રાપ્ત કર્યા અને ત્યારપછી જે દિશાથી આવ્યો હતો તે દિશામાં પાછો ફર્યો.
ભગવાન્ મહાવીર પણ અન્ય જનપદમાં વિહરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org