________________
શ્રાવક કથા
૧૨૧
રહ્યા છે – યાવત્ – (સર્વે વર્ણન પૂર્વે આનંદ, કામદેવ ઇત્યાદિના કથાનકમાં આવેલ છે, તે પ્રમાણે સમજી લેવું) જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા ત્યાં તે આવ્યો.
– આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને યથોચિત સ્થાને સ્થિત થઈને શુશ્રુષા કરતા, નમસ્કાર કરતા, સામે વિનયપૂર્વક બંને હાથ જોડીને પર્યાપાસના કરવા લાગ્યો.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે કુંડકોલિક ગાથાપતિ અને વિશાળ પર્ષદાને – થાવત્ – ધર્મકથા કહી. પર્ષદા પાછી ગઈ રાજા પણ પાછો ગયો. ૦ કુંડકોલિક અને પૂષાએ સ્વીકારેલ શ્રાવકધર્મ :
ત્યારપછી કુંડકોલિક ગાથાપતિ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મોપદેશ સાંભળીને અને હૃદયમાં અવધારીને હર્ષિત અને સંતુષ્ટ થયો, આનંદિત ચિત્ત, પ્રીતિયુક્ત મન, પરમ પ્રસન્ન અને હર્ષાતિરેકથી વિકસિત હૃદયી થઈને પોતાના સ્થાનેથી ઊભો થયો. ઊભો થઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી – યાવત્ – (સર્વ કથન આનંદ, કામદેવ આદિ શ્રમણોપાસકની કથામાં કર્યા મુજબ અહીં પણ સમજી લેવું) હે દેવાનુપ્રિય ! હું આપની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ અંગીકાર કરીશ – યાવત્ – કુંડકોલિકે શ્રમણ ભગવંત મહાવીરની પાસે શ્રાવકધર્મ સ્વીકાર કર્યો. (ઇત્યાદિ)
ત્યારપછી તે કુંડકોલિક શ્રમણોપાસક થઈ ગયો અને તેની પત્ની પૂષા શ્રમણોપાસિકા થઈ ગઈ. તેઓ બંને જીવ–અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા થઈ ગયા – થાવત્ – તેઓ પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદછન, ઔષધિ, ભૈષજ તેમજ પ્રાતિહારિક એવા પીઠ, ફલક, શય્યા, સંસ્કારક, આસન આદિથી શ્રમણ-શ્રમણીને પ્રતિલાભિત કરતા વિચારવા લાગ્યા. ૦ કુંડકોલિક અને દેવની નિયતિવાદ સંબંધે ચર્ચા -
ત્યારપછી તે કુંડકોલિક શ્રમણોપાસક કોઈ દિવસે બપોરે જ્યાં અશોકવાટિકા હતી, જ્યાં પૃથ્વીશિલાપટ્ટક હતો ત્યાં આવ્યો. આવીને પોતાના નામની મુદ્રિકા અને ઉતરીય વસ્ત્ર પૃથ્વી શિલાપટ્ટક પર રાખ્યું. રાખીને શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી પ્રાપ્ત ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરી વિચારવા લાગ્યો.
ત્યારે તે કંડકોલિક શ્રાવક પાસે એક દેવ પ્રગટ થયો.
ત્યારપછી તે દેવે કુંડકોલિકની નામાંકિત મુદ્રિકા અને ઉત્તરીય વસ્ત્રને પૃથ્વીશિલાપટ્ટક પરથી ઉઠાવ્યું. ઉઠાવીને ઘૂંઘરું સહિત, પંચરંગી શ્રેષ્ઠ વસ્ત્રો પહેરીને ઝનઝનાટ કરતો આકાશમાં સ્થિત થઈને કુંડકોલિક શ્રમણોપાસકને આ પ્રમાણે કહેવા લાગ્યો
અરે ઓ કુંડકૌલિક શ્રમણોપાસક ! દેવાનુપ્રિય! મખલિપુત્ર ગોશાલકની ધર્મપ્રજ્ઞપ્તિ સુંદર છે કે, તેમાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાર્થ પરાક્રમનું કોઈ સ્થાન નથી, પરંતુ સર્વ ભાવ નિયત છે અને શ્રમણ ભગવંત મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ અસુંદર છે કે તેમાં ઉત્થાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org