________________
શ્રાવક કથા
૧૧૫
આ પ્રમાણે વિચાર કરીને – વાવ – સુરાદેવે અપશ્ચિમ મારણાંતિક સંલેખના – ઝૂસણાનો સ્વીકાર કરીને, ભોજન-પાનનો ત્યાગ કરીને મરણની આકાંક્ષા ન કરતા વિચારવા લાગ્યો. ૦ સુરાદેવનું સમાધિમરણ અને ગતિ :
ત્યારે તે સુરાદેવ શ્રમણોપાસક અનેક શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ દ્વારા આત્માને ભાવિત કરતા, વીસ વર્ષ શ્રમણોપાસક પર્યાયનું પાલન કરી, અગિયાર ઉપાસક પ્રતિમાઓનું સમ્યક્ પ્રકારે આરાધના કરીને એક માસની સંખના દ્વારા આત્માને શુદ્ધ કરી, અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરી, આલોચના–પ્રતિક્રમણ કરીને સમાધિપૂર્વક મરણકાળે મરણ પામ્યો.
સમાધિમરણ પામીને તે સુરાદેવ શ્રમણોપાસક સૌધર્મકલ્પના અરુણકાંત વિમાનમાં ઉત્પન્ન થયો. ત્યાં તેની ચાર પલ્યોપમની સ્થિતિ થઈ.
ત્યારપછી ત્યાંથી ઐવિત થઈને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, સર્વદુ:ખોનો અંત કરશે.
૦ આગમ સંદર્ભ :ઉવા. ૩, ૩ર, ૩૩;
– ૮ – » –– ૦ ચુક્ષશતક શ્રાવકની કથા :
તે કાળે, તે સમયે આલભિકા નામની નગરી હતી, ત્યાં શંખવન નામે ઉદ્યાન હતું, ત્યાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો.
તે આલભિકા નગરીમાં ધન-ધાન્યથી સંપન્ન – યાવત્ – અપરાભૂત એવો ચુલ્લશતક નામનો ગાથાપતિ નિવાસ કરતો હતો. ૦ યુદ્ધશતકની સંપત્તિ, મહત્તા અને બહલાભાર્યા :
તે ચુલશતક ગાથાપતિનું છ કોટિ સુવર્ણ કોષમાં સંચિત હતું, છ કોટિ સુવર્ણ વ્યાપારમાં નિયોજિત હતું, છ કોટિ સુવર્ણ ગૃહસ્થી ઉપકરણાદિમાં પ્રયુક્ત હતું. તેને દશદશ હજાર ગાયોવાળું એક એવા છે ગોકુળ (વજ) હતા.
તે ચુલ્લશતક ગાથાપતિ પાસે ઘણાં જ રાજા – ઈશ્વર – યાવત્ – સાર્થવાહ પોતપોતાના કાર્યોને માટે પૂછતા હતા. પરામર્શ કરતા હતા અને પોતાના કુટુંબને માટે પણ તે આધાર સ્તંભ – યાવત્ – સમસ્ત કાર્યોનો પ્રેરક હતો.
તે ચુલશતક ગાથાપતિની શુભલક્ષણો અને પરિપૂર્ણ પાંચ ઇન્દ્રિયો યુકત શરીરવાળી બહુલા નામે ભાર્યા હતી – યાવત્ – મનુષ્યોચિત કામભોગોને ભોગવતી વિચરણ કરતી હતી. ૦ ભગવંત મહાવીર પાસે ચુલ્લશતક દ્વારા ઘર્મશ્રવણ :
તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – જ્યાં આલભિકા નગરી હતી, જ્યાં શંખવન ઉદ્યાન હતું. ત્યાં પધાર્યા, પધારીને યથાયોગ્ય અવગ્રહ લઈને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરતા હતા. વંદનાર્થે પર્ષદા નીકળી. રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org