________________
૧૧૪
આગમ કથાનુયોગ-૫
અને પકડવાને માટે દોડ્યો, પરંતુ મારા હાથમાં થાંભલો આવી ગયો અને તે પુરુષ આકાશમાં ઉડી ગયો. જેથી હું જોર-જોરથી બુમો પાડતો કોલાહલ કરવા લાગ્યો. ૦ ધન્યા શ્રાવિકાની સમજાવટથી સુરાવ દ્વારા પ્રાયશ્ચિત્ત :
ત્યારપછી ધન્યા ભાર્યાએ સુરાદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, કોઈ પુરુષે તમારા મોટા પુત્રને ઘેરથી ઉઠાવેલ નથી, તેને તમારી આગળ માર્યો નથી. તમારા વચલા પુત્રને પણ કોઈએ ઘરમાંથી બહાર કાઢેલ નથી કે તેની હત્યા પણ નથી કરી, તમારા નાના પુત્રને પણ કોઈ ઘરમાંથી લઈ ગયું નથી કે તેનો ઘાત કરેલ નથી.
હે દેવાનુપ્રિય ! કોઈ પુરુષે તમારા શરીરમાં કાસ આદિ સોળ રોગને ઉત્પન્ન કર્યા નથી. પરંતુ કોઈ પુરુષે તમને ઉપસર્ગ કરેલ છે તમે ફક્ત મિથ્યા – ભયાનક સ્વપ્ન માત્ર જોયેલ છે. જેનાથી તમે આ સમયે ખંડિત વ્રત, ખંડિત નિયમ અને ખંડિત પૌષધવાળા થઈ ગયા છો. તેથી હે દેવાનુપ્રિય ! તમે આ સ્થાનની આલોચના કરો, પ્રતિક્રમણ કરો, નિંદા કરો. ગર્તા કરો, નિવૃત્તિ કરો, અકાર્યની વિશુદ્ધિ કરો અને તદનુરૂપ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરીને તપ કર્મ કરી (શુદ્ધ થાઓ.)
ત્યારે તે સુરાદેવ શ્રમણોપાસક “તહત્તિ” “તું ઠીક કહે છે' એમ કહીને ધન્યાભાર્યાના કથનને વિનયપૂર્વક સ્વીકાર્યું. સ્વીકારીને તે સ્થાનની – દોષની આલોચના કરી, પ્રતિક્રમણ કર્યું, નિંદા કરી, ગહ કરી, નિવૃત્તિ કરી તેની વિશુદ્ધિ કરી અને તે અકાર્યને માટે પ્રાયશ્ચિત્ત કરવા માટે ઉદ્યત્ થઈને તદનુરૂપ તપ:ક્રિયાનો સ્વીકાર કર્યો. ૦ સુરાદેવે આરાધેલ પ્રતિમા અને અનશન સ્વીકાર :
ત્યારપછી તે સુરાદેવ શ્રમણોપાસકે પહેલી ઉપાસક પ્રતિમા અંગીકાર કરી અને તે પહેલી ઉપાસક પ્રતિમાને સુરાદેવ શ્રમણોપાસકે સૂત્રોનુસાર, માર્ગાનુસાર, કલ્પ અનુસાર, તત્ત્વ અનુસાર સમ્યક્ પ્રકારે ગ્રહણ કરી, પાલન કરી, શોધિત કરી, પૂર્ણ કરી, કીર્તિત કરી અને આરાધિત કરી.
ત્યારપછી તે સુરાદેવ શ્રમણોપાસકે બીજી ઉપાસક પ્રતિમાને ગ્રહણ કરી, ત્યારબાદ ત્રીજી, ચોથી, પાંચમી, છઠી, સાતમી, આઠમી, નવમી, દશમી અને અગિયારમી ઉપાસક પ્રતિમાને સૂત્ર, કલ્પ, વિધિ અને સિદ્ધાંત અનુસાર ગ્રહણ કરી, પાલન કરી, શોભિત કરી, પૂર્ણ કરી, કીર્તિત કરી, આરાધિત કરી.
ત્યારપછી તે શ્રમણોપાસક તે ઉદાર, વિપુલ, પ્રયત્ન સાધ્ય તપ કર્મને સ્વીકાર કરવાથી શુષ્ક, રુક્ષ, નિર્માસ, અસ્થિ ચર્માવૃત્ત, કડકડાહટ કરતી, કૃશ અને જેની નાડી ઉભરી આવેલ છે તેવા શરીરવાળો થઈ ગયો.
ત્યારપછી કોઈ એક મધ્યરાત્રિએ ધર્મ જાગરિકાથી જાગરણ કરતા કરતા તે સુરાદેવ શ્રમણોપાસકને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે (આ સર્વે વર્ણન પૂર્વે આનંદ અને કામદેવ શ્રમણોપાસકની કથામાં આવી ગયેલ છે,
ત્યાંથી જાણી લેવું) – યાવત્ - અંતિમ મારણાંતિક સંખના ઝૂમણાનો સ્વીકાર કરીને, ભોજન–પાણીનો ત્યાગ કરીને, જીવન-મરણની આકાંક્ષા ન કરતા મારો સમય વ્યતીત કરું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org