________________
શ્રાવક કથા
૧૧૩
ત્યારપછી તે દેવે બીજી વખત – ત્રીજી વખત પણ આ પ્રમાણે કહ્યું ત્યારે સુરાદેવ શ્રમણોપાસકને આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, અહો ! આ પુરુષ અધમ છે, અધમ બુદ્ધિવાળો છે અને નિકૃષ્ટ પાપકર્મોને કરનારો છે. જેથી પહેલા તેણે મારા મોટા પુત્રને ઘેરથી ઉઠાવ્યો. ઉઠાવીને મારી સામે મારીને તેના માંસપિંડના પાંચ ટુકડા કર્યા, ટુકડા કરીને તેલની ભરેલી કડાઈમાં પકાવ્યા, પકાવીને મારા શરીર પર માંસ અને લોહી છાંટ્યું, એ જ રીતે ત્યારપછી મારા વચલા પુત્રનો – યાવત્ – મારા નાના પુત્રનો ઘાત કર્યો – યાવત્ – (અહીં સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું) હવે તે સોળ ભયંકર રોગને મારા શરીરમાં ઉત્પન્ન કરવા માંગે છે.
તેથી મારે આ પુરુષને પકડી લેવો જોઈએ. આવો વિચાર કરીને તેને પકડી લેવા ઉઠ્યો. પરંતુ તે પુરુષ આકાશમાં ઉડી ગયો અને સુરાદેવના હાથમાં થાંભલો આવી ગયો. ત્યારે તે જોરજોરથી કોલાહલ કરવા લાગ્યો. ૦ ઘન્યાને સુરાદેવનો ઉત્તર :
ત્યારપછી ધન્યા ભાર્યા કોલાહલ સાંભળીને અને સમજીને જ્યાં શ્રમણોપાસક સુરાદેવ હતો, ત્યાં આવી અને આવીને બોલી, હે દેવાનુપ્રિય ! આપ જોર-જોરથી કેમ કોલાહલ કરતા હતા ?
ત્યારે સુરાદેવ શ્રમણોપાસકે તે ધન્યાભાર્યાને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! ખરેખર ! એ પ્રમાણે હું જાણતો નથી કે તે પુરુષ કોણ હતો, જેણે ક્રુદ્ધ, રુઝ, કુપિત, વિકરાળ થઈને, દાંતોને કચકચાવતા નીલકમલ, ભેંસના શીંગડા અને અલસીના ફૂલની પ્રભા જેવી, તીક્ષ્ણ ધારવાળી એક મોટી તલવાર લઈને મને આ પ્રમાણે કહ, હે સુરાદેવ શ્રમણોપાસક ! – યાવત્ – આજ જો તું શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસને છોડીશ નહીં, ખંડિત નહીં કરે તો હમણાં જ હું તારા મોટા પુત્રને ઘરમાંથી લાવીને – યાવત્ – મારી નાંખીશ, તેનાથી તું અકાળે જ જીવિતથી રહિત થઈ જઈશ. (સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું)
– પરંતુ હું તે પુરુષની તે વાત સાંભળીને પણ નિર્ભય – ચાવતુ – ધર્મધ્યાને સ્થિર રહ્યો. ત્યારે – યાવત્ – (સર્વ વર્ણન પૂર્વે મોટા પુત્ર, વચલા પુત્ર, નાના પુત્રના સંદર્ભમાં કરાયું છે તે સર્વ વર્ણન અહીં પણ સમજી લેવું) મને નિર્ભય – યાવત્ – સાધના રત જોયો. ત્યારે ચોથી વખત તે દેવે મને કહ્યું કે, ઓ શ્રમણોપાસક સુરાદેવ ! – યાવત્ – જો તું આજે શીલ – યાવતું – પૌષધોપવાસને છોડીશ નહીં, તેને ખંડિત નહીં કરે તો હમણાં જ તારા શરીરમાં એક સાથે સોળ ભયંકર રોગોને ઉત્પન્ન કરી દઈશ – યાવતુ - જેનાથી તે આર્તધ્યાન અને દુસ્સહ દુઃખથી પીડિત થઈને કસમયે જ જીવિતથી રહિત થઈ જઈશ.
તે પુરુષની આ વાત સાંભળીને હું નિર્ભય – યાવત્ – ધર્મસાધનામાં સ્થિર રહ્યો. ત્યારપછી તે પુરુષે મને નિર્ભય – યાવત્ – સ્થિર જોયો, જોઈને બીજી અને ત્રીજી વખત આ પ્રમાણે કહ્યું – યાવત્ – (સર્વે વર્ણન પૂર્વે કહ્યા મુજબ અહીં પણ સમજી લેવું). મારે માટે ઉચિત થશે કે હું આ પુરુષને પકડી લઉં, આવો વિચાર કરીને હું મારા આસનેથી ઉઠ્યો
Jain ----
international
For Private & Personal Use Only
www.jainelibrary.org