SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૧૧૧ વડે સીંચીશ. તેના લીધે તું આર્તધ્યાન અને દુઃખથી પીડિત થઈને જીવનથી રહિત થઈ જઈશ. ત્યારે તે સુરાદેવ શ્રમણોપાસકે તે દેવની આ વાત સાંભળીને ભયભીત, ત્રસ્ત, ઉદ્વિગ્ન, ભિત, વિચલિત ન થયો, ગભરાયો નહીં, શાંતભાવથી ધર્મધ્યાનમાં સ્થિર રહ્યો. ત્યારે તે સુરાદેવ શ્રમણોપાસકને તે દેવે અભીત, અત્રસ્ત, અનુદ્ધિગ્ર, અસુભિત, અસંભ્રાંત અને ધર્મધ્યાનમાં નિરત જોયો ત્યારે બીજી અને ત્રીજી વખત પણ સુરાદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું – અરે ઓ સુરાદેવ શ્રમણોપાસક ! – યાવત્ - જો તું આજ શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસને છોડીશ નહીં. ભંગ નહીં કરે તો હું હમણાં જ તારા મોટા પુત્રને ઘરમાંથી બહાર ખેંચી લાવીશ, લાવીને તારી સામે જ તેની હત્યા કરીશ, હત્યા કરીને તેના માંસના પાંચ ટુકડા કરીશ, ટુકડા કરીને તેલની ભરેલી કડાઈમાં તળીશ, તળીને તારા શરીર પર માંસ અને લોહીને છાંટીશ, જેનાથી તે આર્તધ્યાનને વશ થઈને, દુર્નિવાર દુઃખથી પીડિત થતો અકાળે જ જીવિતથી રહિત થઈ જઈશ. ત્યારે તે દેવ દ્વારા બીજી અને ત્રીજી વખત પણ કહેવાયેલ આ વાતને સાંભળીને તે સુરાદેવ શ્રમણોપાસક નિર્ભય – ચાવત – ધર્મધ્યાનમાં રત રહ્યો. ત્યારપછી તે દેવે સુરાદેવ શ્રમણોપાસકને નિર્ભય – યાવત્ – સ્થિર જોયો, જોઈને અત્યંત કુદ્ધ, રુખ, કુપિત અને ચંડિકાવત્ વિકરાળ થઈને દાંતોને કચકચાવતો તે સુરાદેવ શ્રમણોપાસકના મોટા પુત્રને ઘરમાંથી લાવ્યો, લાવીને તેની સામે જ વધ કર્યો. વધ કરીને માંસના પાંચ ટૂકડા કર્યા. ટૂકડા કરીને તેલથી ભરેલી કડાઈમાં પકાવ્યા, પકાવીને સુરાદેવ શ્રમણોપાસકના શરીરને લોહી અને માંસ વડે સીચિત કર્યું. ત્યારે તે સુરાદેવ શ્રમણોપાસકે તે અતીવ દુર્ધર્ષ, વિપુલ, કઠોર, પ્રગાઢ, પ્રચંડ, દુસ્સહ વેદનાને સમા–તિતિક્ષા અને સમભાવપૂર્વક સહન કરી. ત્યારપછી તે દેવે સુરાદેવ શ્રમણોપાસકને નિર્ભય – યાવતુ – સ્થિર જોયો. જોઈને સુરાદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, અરે ઓ સુરાદેવ શ્રમણોપાસક ! – યાવત્ – જો તું આજે શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસને છોડીશ નહીં તો તારા વચલા પુત્રને લાવીશ, લાવીને તારી સામે તેની હત્યા કરીશ, હત્યા કરીને તેના માંસના પાંચ ટુકડા કરીશ, ટુકડા કરીને તેલની ભરેલી કડાઈમાં પકાવીશ, પકાવીને તારા શરીર પર તેનું માંસ અને લોહી છાંટીશ. જેના લીધે તું આર્તધ્યાન અને દસડ વેદનાથી પીડિત થઈને કસમયે જ જીવિતથી રહિત થઈ જઈશ. ત્યારપછી તે દેવે આ વાત સાંભળીને પણ સુરાદેવ શ્રમણોપાસકને નિર્ભય – વાવ - સ્થિર જોયો. ત્યારે (પછીનું સર્વ કથન પૂર્વવતું – મોટાપુત્રમાં જેમ કહ્યું તેમ સમજી લેવું) – યાવત્ – વચલાપુત્રને લાવીને સુરાદેવની સામે જ તેની હત્યા કરી – યાવત્ – તે વચલા પુત્રના માંસ અને લોહીથી સુરાદેવ શ્રાવકના શરીરને સિંચિત કર્યું. ત્યારે સુરાદેવ શ્રમણોપાસકે તે તીવ્ર – યાવત્ – વેદનાને સમભાવે, ક્ષમાપૂર્વક અને તિતિલાસણ અધ્યાસિત કરી. એ રીતે વચલાપુત્રને માર્યા પછી પણ તે દેવે સુરાદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy