________________
૧૧૦
આગમ કથાનુયોગ-૫
મનવાળો થયો. હર્ષના વશથી તેનું હૃદય વિકસિત થયું, પોતાના આસનેથી ઊભો થયો, ઊભા થઈને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું – યાવત્ – હું આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ અંગીકાર કરવા ઇચ્છું છું. ("– યાવતું – "માં આવતું શેષ સર્વે વર્ણન આનંદ અને કામદેવ શ્રાવકમાં આવતા વર્ણન પ્રમાણે સમજી લેવું)
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો.
ત્યારપછી તે સુરાદેવ ગાથાપતિએ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી શ્રાવકધર્મ અંગીકાર કર્યો.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર કોઈ દિવસે વાણારસી નગરીના કોષ્ઠક ચૈત્યથી નીકળ્યા, નીકળીને બહારના જનપદમાં વિચારવા લાગ્યા. ૦ સુરાદેવ અને ઘન્યાની શ્રાવકચર્યા :
ત્યારપછી તે સુરાદેવ જીવ–અજીવાદિ તત્ત્વોનો જ્ઞાતા શ્રમણોપાસક થઈ ગયો. ત્યારપછી બન્યા પણ જીવ-અજીવાદિ તત્ત્વોની જ્ઞાતા શ્રમણોપાસિકા થઈ ગઈ – થાવત્ – તેઓ (સુરાદેવ તથા ધન્યા) શ્રમણ નિગ્રંથોને પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર, વસ્ત્ર, પાત્રાદિ, કંબલ, પાદપ્રોંછન, રજોહરણ, ઔષધિ, ભૈષજ તથા પ્રાતિહારિક એવા પીઠ, ફલક, શય્યા, સંસ્કારક, આસન આદિથી પ્રતિલાભિત કરતા પોતાનો સમય વ્યતીત કરવા લાગ્યા.. ૦ સુરાદેવનું ધર્મજાગરણ :
ત્યારપછી તે સુરાદેવ શ્રમણોપાસકને અનેક પ્રકારના શીલ, વ્રત, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ દ્વારા આત્માને ભાવિત કરતા ચૌદ વર્ષ વીતી ગયા અને પંદરમાં વર્ષમાં કોઈ દિવસે મધ્ય રાત્રિમાં ધર્મ જાગરિકામાં જાગરણ કરતા આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે – યાવત્ – (સર્વ વર્ણન આનંદ અને કામદેવ શ્રમણોપાસકની કથા અનુસાર જાણી લેવું) એકલા, અદ્વિતીય થઈને દર્ભનો સંથારે સ્થિત થઈને શ્રમણ ભગવંત મહાવીરની પાસે ગ્રહણ કરેલ ધર્મપ્રજ્ઞપ્તિને સ્વીકારીને વિચરું – (મારો સમય વ્યતીત કરું.) ૦ સુરાદેવને દેવકૃત્ ઉપસર્ગ :
ત્યારપછી (પૌષધશાળામાં પૌષધ ગ્રહણ કરીને રહેલા) સુરાદેવ સન્મુખ મધ્યરાત્રિમાં એક દેવ પ્રગટ થયો. તે દેવે નીલકમલ પ્રભાયુક્ત – યાવત્ તીક્ષ્ણ ધારવાળી એક મોટી તલવાર હાથમાં લઈને સુરાદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, અરે ઓ સુરાદેવ શ્રમણોપાસક ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનારા -- યાવત્ – જો તું શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસથી વિચલિત કે મુભિત નહીં થાય, તેને ખંડિત નહીં કરે, ભાંગશે નહીં, તેનો ત્યાગ નહીં કરે તો – ચાવતુ – હું તારા મોટા પુત્રને ઘરમાંથી બહાર ખેંચી લાવીને તારી સામે જ તેનો વધ કરીશ, વધ કરીને તેના માંસના ટુકડે ટુકડા કરી નાંખીશ. પછી તેલની કડાઈમાં પકાવીશ, પકાવીને તારા શરીરને તેના માંસ અને લોહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org